ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જમીન ભાજપ લઘુમતી સમાજના નેતા યુનુસ તલાટે બારોબાર પોતાના નામે કરાવી લેતા વિવાદ- Video

એક તરફ દેશમાં વકફ બોર્ડના નવા કાયદાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેની વચ્ચે ગુજરાત વકફ બોર્ડના તત્કાલિન સભ્યો સામે વકફ ટ્રીબ્યુનલ કોર્ટ દ્વારા કરાયેલ આદેશો જ ઘણું બધું છતું કરી રહ્યા છે. સમગ્ર મામલે ભાજપ લઘુમતિ સમાજના નેતા યુનુસ તલાટ પણ વિવાદોના ઘેરામાં છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2024 | 9:02 PM

અમદાવાદના ધંધૂકા ખાતે ગેબનશા પીરની દરગાહ આવેલી છે. જ્યાં હાલ મોટાપાયે દુકાનો અને મિલકતો વસી ગઈ છે. હકીકતમાં સમગ્ર વિવાદ આ જમીનનો જ છે. આ મિલ્કત વકફ બોર્ડમાં નોંધાયેલી છે. પણ, દરગાહની દેખરેખ રાખનાર દીદારઅલી ફકીરને જમીનના માલિક દર્શાવીને જમીન બારોબાર વેચી દેવામાં આવી !

આ જમીનના ખરીદાર હતા.યુનુસ ઉસ્માનભાઈ તલાટ, જે ભાજપ લઘુમતિ સમાજના નેતા છે. મુદ્દો એ કે દેખરેખ રાખનાર ફકીર ભલાં જમીન માલિક બનીને જમીન વેચી જ કેવી રીતે શકે ? પરંતુ, વેચાણના દસ્તાવેજ પણ બની ગયા. રાજકીય વગ વાપરીને યુનુસ તલાટે શેરુમિયાંની વડીલોપાર્જીત જગ્યા ખરીદ્યાનું બતાવી કબજો જમાવ્યો અને પછી તેને અન્ય લોકોને પણ વેચી મારી.

અરજદાર શેરુમિયાના ધ્યાને જ્યારે આ વાત આવી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. યુનુસ તલાટ ભાજપમાં હોદ્દો ધરાવતા હોવાની સાથે અમદાવાદ હજ કમિટિમાં પણ હોદ્દેદાર હતા. યુનુસ તલાટે આ જગ્યા લીધા બાદ ટ્રસ્ટમાં પોતાનું નામ ચઢાવી દીધાનું પણ સામે આવ્યું છે. વકફ કાયદાની જોગવાઈની કલમ-43 પ્રમાણે એક ટ્રસ્ટ નોંધાયેલું હોય તો ફરી વખત તેની નોંધણી શક્ય નથી. તો આ કેવી રીતે થયું ? વકફ બોર્ડમાં આ જમીન નોંધાયેલી છે તે જાણવા શેરુમિયાંએ RTI કરી. જેમાં તેમને ચોંકાવનારા જવાબ મળ્યા.

દરરોજ દાઢી કરવી કેટલી જોખમી ? જાણો કેટલા દિવસ બાદ Shaving કરવી જોઈએ
આ પાંચ લોકો પાસે ક્યારેય નથી ટક્તા પૈસા, હંમેશા નારાજ રહે છે લક્ષ્મી
Bigg Boss 18 માંથી બહાર થઈ 25 વર્ષીય આ અભિનેત્રી, જુઓ ફોટો
કયા લોકોએ શિંગોડા ન ખાવા જોઈએ? નિષ્ણાત પાસેથી જાણીએ
દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર
આજનું રાશિફળ તારીખ : 25-10-2024

શેરુમિયાંનો આક્ષેપ છે કે વકફ બોર્ડના સભ્યો. તેમનું કંઈ સાંભળવા તૈયાર જ ન હતા. લેખિતમાં રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન ભરાયા. ખુદ સભ્યોએ પણ પોતાનો ભાગ લઈ લીધો હોવાનો શેરુમિયાંનો આક્ષેપ છે.

યુનુસ તલાટ દ્વારા અનેક કાવાદાવા છતાં અરજદાર શેરુમિયાં શેખ દ્વારા. પોતાની લડત ચાલુ રાખવામાં આવી. વકફ ટ્રીબ્યુનલ કોર્ટમાં કેસ ગયો. આખરે, વકફ ટ્રીબ્યુનલ કોર્ટમાં 21 ઓક્ટોબર, 20024ના રોજ જે ચુકાદો અપાયો છે તે અરજદારની તરફેણમાં આવ્યો છે. સાથે જ કોર્ટે એ બાબતની પણ ગંભીર નોંધ લીધી છે કે વકફ બોર્ડના તાત્કાલિક હોદ્દેદારોએ અરજદાર દ્વારા કાયદેસરની માહિતી માંગવા છતાં તેને ન આપી. RTI કરાઈ છતાં સાચો જવાબ ન અપાયો. ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યના કાયદા સચિવ, સામાન્ય વહીવટ વિભાગ અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.

સમગ્ર મામલે TV9 દ્વારા યુનુસભાઈ તલાટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, તેમણે આ અંગે કોઈપણ પ્રકારનું નિવેદન કરવાની ના પાડી. ત્યારે ટ્રીબ્યુનલના આદેશ બાદ કયા પ્રકારના પગલા લેવાશે તે જોવું મહત્વનું બની રહેશે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
ખેડૂતોની મહાપંચાયતમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર- Video
ખેડૂતોની મહાપંચાયતમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર- Video
કાંકરિયા ઝૂ માં નવા પ્રાણીઓનું આગમન- Video
કાંકરિયા ઝૂ માં નવા પ્રાણીઓનું આગમન- Video
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">