AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 10 આરોપીઓને આજીવન કારાવાસ, અમદાવાદ સેશન્સ કોર્ટે સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં આપ્યો ચુકાદો, જુઓ Video

અમદાવાદ સેશન્સ કોર્ટે સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યાના કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 16 વર્ષ ચાલેલા કેસમાં 84 પુરાવા અને 84 સાક્ષીઓના નિવેદનોનો ઉપયોગ કરાયો હતો. ત્રિવેદી પર સ્વાધ્યાય પરિવારમાં ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવાનો આરોપ હતો. આ ચુકાદો 15 જૂન, 2006ના રોજ બનેલી ઘટના બાદ આવ્યો છે.

Breaking News : 10 આરોપીઓને આજીવન કારાવાસ, અમદાવાદ સેશન્સ કોર્ટે સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં આપ્યો ચુકાદો, જુઓ Video
Ronak Varma
| Edited By: | Updated on: Feb 28, 2025 | 9:08 PM
Share

આમદવાદના સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યાના કેસમાં આમદવાદ સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. 15 જૂન 2006ના રોજ થયેલી આ ઘટનામાં કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 16 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં આખરે 84 પુરાવા અને 84 સાહેદોના નિવેદનને આધારે આ ચુકાદો આવ્યો છે.

કેસ 2009માં દાખલ થયો હતો

મૂળ NRI અને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા પંકજ ત્રિવેદીની હત્યા એલિસબ્રિજ જિમખાના પાસે કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેઓ સ્વાધ્યાય પરિવારમાં ચાલી રહેલી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા, જેના કારણે તેમની હત્યા કરાઈ હતી. આ કેસ 2009માં દાખલ થયો હતો અને લાંબી કાનૂની લડત પછી હવે ચુકાદો આવ્યો છે.

સજા મળેલા આરોપીઓમાં ચંદ્રસિંહ જાડેજા, હિતેશસિંહ ચૂડાસમા, દક્ષેશ શાહ, ભૂપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ ચૂડાસમા, ભરતભાઈ તટે, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી અને જશુ જાડેજાનો સમાવેશ થાય છે. આ તમામને કોર્ટએ આજીવન કેદ અને 25 હજાર રૂપિયાની દંડની સજા ફટકારી છે.

હિસાબ બાબતે તેમણે સ્વાધ્યાય પરિવાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા

કેસના દસ્તાવેજો મુજબ પંકજ ત્રિવેદી NRI હતા અને ગુજરાતમાં ભૂકંપ દરમિયાન પીડિતોની મદદ માટે વિદેશથી ભંડોળ એકત્ર કર્યું હતું. આ ભંડોળના હિસાબ બાબતે તેમણે સ્વાધ્યાય પરિવાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના કારણે કેટલાક અનુયાયીઓ તેમના વિરોધમાં આવી ગયા હતા. તેમના પર અનેક ફરિયાદો દાખલ કરાઈ હતી, પરંતુ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ ફરિયાદોને રદ કરી હતી.

15 જૂન, 2006 ના રોજ આરોપીઓએ કાવતરું રચ્યું હતું

પંકજ ત્રિવેદીએ પોતાને જીવન માટે સંભવિત જોખમ હોવાના આક્ષેપ સાથે તે સમયના મુખ્યમંત્રી અને પોલીસને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આશરે 30 લોકોના નામ આપ્યા હતા. 15 જૂન, 2006ના રોજ આરોપીઓએ કાવતરું રચીને પંકજ ત્રિવેદીની જીમખાના બહાર હત્યા કરી હતી, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.

બેઝબોલના દંડા અને પાઇપ જેવા હથિયારો વડે પંકજ ત્રિવેદી પર હુમલો

આ કેસમાં સરકારી સાહેદો અને જીમખાનાના વોચમેનની મહત્ત્વની ભૂમિકા રહી છે. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ બેઝબોલના દંડા અને પાઇપ જેવા હથિયારો વડે પંકજ ત્રિવેદી પર હુમલો કર્યો હતો. આખરે 16 વર્ષ બાદ કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓના આધારે આજીવન કેદનો ન્યાય આપ્યો છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">