AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Plane Crash : વિજય રૂપાણીનો ફ્લાઇટમાં બેસી છેલ્લો વીડિયો કોલ, જાણો કોની સાથે થઈ વાત અને શું કહ્યું ? જુઓ Video

વિજય રૂપાણીના નિધન બાદ તેમના ઘનિષ્ઠ મિત્ર મહેશભાઈએ ટીવી9 સાથે વાત કરી. તેમણે રૂપાણી સાથેના 60 વર્ષ જૂના સંબંધો અને છેલ્લી મુલાકાત યાદ કરી.

Ahmedabad Plane Crash : વિજય રૂપાણીનો ફ્લાઇટમાં બેસી છેલ્લો વીડિયો કોલ, જાણો કોની સાથે થઈ વાત અને શું કહ્યું ? જુઓ Video
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 16, 2025 | 8:33 PM
Share

વિજય રૂપાણીના અણધાર્યા નિધનથી સમગ્ર ગુજરાતમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. રાજકોટમાં તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. આ દુઃખદ પ્રસંગમાં, ટીવી9 ગુજરાતીએ રૂપાણીના ઘનિષ્ઠ મિત્ર મહેશભાઈ સાથે એક ખાસ વાતચીત કરી.

મહેશભાઈએ ટીવી9 ને આપેલા ઇન્ટરવ્યુમાં રૂપાણી સાથેના તેમના 60 વર્ષ જૂના સંબંધો વિશે વિગતવાર વાત કરી. તેમણે જણાવ્યું કે બાળપણથી જ તેઓ રૂપાણી સાથે ગાઢ મિત્રતા ધરાવતા હતા. સીએમ બન્યા પછી પણ તેમની મિત્રતા જળવાઈ રહી. વિજય રૂપાણી વારંવાર ગાંધીનગર મહેશભાઈને બોલાવતા હતા અને સાથે જમતા, વાતો કરતા. રાજકોટની મુલાકાત દરમિયાન પણ તેમનો સંપર્ક ચાલુ રહેતો.

મહેશભાઈએ વિજય રૂપાણી દ્વારા રાજકોટના વિકાસ માટે કરવામાં આવેલા કામોની પ્રશંસા કરી. એમએસપી, અટલ સરોવર, નવા એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સને વિજય રૂપાણીના યોગદાન તરીકે યાદ કર્યા. તેમ છતાં, રૂપાણી હંમેશા રાજકોટના વિકાસ માટે વધુ કાર્યો કરવા માંગતા હતા.

ફ્લાઇટ દરમિયાન વીડિયો કોલ પર વાત

મહેશભાઈએ છેલ્લી વાતચીત યાદ કરી. તેઓ ફ્લાઇટ દરમિયાન વીડિયો કોલ પર વાત કરી હતી. આ વાતચીત ટૂંકી હતી, પરંતુ તેમની મિત્રતાની ગાઢતાને દર્શાવતી હતી. મહેશભાઈએ રૂપાણીના અચાનક જતા રહેવાનો શોક વ્યક્ત કર્યો અને તેમના લાંબા સમયના મિત્રના ગુમાવવાના દુઃખને શબ્દોમાં વ્યક્ત કરવામાં અસમર્થતા દર્શાવી. રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવ્યો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દુઃખદ પ્રસંગે, સમગ્ર ગુજરાત તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને

Follow Us
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
g clip-path="url(#clip0_868_265)">