અમદાવાદમાં એક એવું મંદિર જે વર્ષમાં બે દિવસ હોળી અને ધુળેટી પર્વ પર જ ખુલે છે, જ્યાં ભક્તોની ભીડ જામે છે

રાજા વિક્રમનાં સમયમાં આ ભાભારાણા થઈ ગયા હોવાનાં પુરાવા મળે છે. જોકે ઈતિહાસ ગવાહ છે કે શામળ ભટ્ટ પણ ગોમતીપુરમાં જ રહેતા હતા. એ સમયે ગોમતીપુરનું નામ ‘વેંગણપુર’ હતું.

અમદાવાદમાં એક એવું મંદિર જે વર્ષમાં બે દિવસ હોળી અને ધુળેટી પર્વ પર જ ખુલે છે, જ્યાં ભક્તોની ભીડ જામે છે
A temple in Ahmedabad which is open only two days in a year on Holi and Dhuleti festivals
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 18, 2022 | 2:26 PM

Ahmedabad: હોળી ધુળેટી (HOLI) પર્વ પર એક તરફ લોકો રંગોથી હોળી પર્વ ઉજવે છે. ત્યાં બીજી તરફ શહેરના ગોમતીપુર વિસ્તારમાં લોકો ભાભારાણા મંદિરમાં (Bhabharana temple)દર્શન કરીને આ પર્વની ઉજવણી કરે છે. જેનું કારણ છે કે જેમને સંતાન ન થતા હોય અથવા જેમનાં સંતાન જીવતા ન રહેતા હોય, તેવા દુ;ખીયારા ભાભારાણા દર્શન કરી માનતા માને તો તે ખોટ પુરી થાય છે. જે પ્રથા સેંકડો વર્ષથી ચાલી આવે છે. જે મંદિર આખા વર્ષમાં માત્ર બે દિવસ હોળી અને ધૂળેટી પર્વ પર ખુલતું હોવાથી એ દિવસે ભક્તોની દર્શન કરવા ભીડ જામી છે.

કેટલીક લોકવાયકાઓ પ્રમાણે આ ભાભારાણા અત્યંત પવિત્ર જીવ હતા. તેમને વચનસિધ્ધિ સહજ હતી. જે સમયમાં મેડીકલ સાયન્સ આજનાં જેટલુ વિકસેલું ન હતું અને બાળક થવા માટેની કોઈ દવા શોધાઈ ન હતી, ત્યારે આ પવિત્ર જીવની માત્ર આશિષથી શેર માટીની ખોટ પુરાઈ જતી હતી. એ સમયમાં દવાઓનાં અભાવે જન્મેલા બાળકોનું મરણનું પ્રમાણ વિશેષ હતું. ત્યારે ગામડા માં આ વચનસિદ્ધ પવિત્ર પુરૂષની માત્ર આશિષથી બાળ-બચ્ચા બચી જતા હતા.

આજે જ્યાં મંદિર સ્થિત છે. ત્યાં પહેલા એક ઓટલો હતો. ભાભારાણા દેવ તે ઓટલા પર બેસતા અને લોકોની સમસ્યાઓને હલ કરતા. એવું માનવામાં આવે છે કે હોળીનાં દિવસે ભાભારાણા દેવે આ ઓટલા પર જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ દર હોળી-ધૂળેટીએ તેમની યાદમાં મુર્તી બનાવીને પૂજવાની અને દીનદુખીયાંના દર્દ દુર કરવાની પ્રથા શરૂ થઈ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગામનાં લોકોના કહેવા પ્રમાણે ભાભારાણા દેવનો ઈતિહાસ વર્ષો જુનો છે. રાજા વિક્રમનાં સમયમાં આ ભાભારાણા થઈ ગયા હોવાનાં પુરાવા મળે છે. જોકે ઈતિહાસ ગવાહ છે કે શામળ ભટ્ટ પણ ગોમતીપુરમાં જ રહેતા હતા. એ સમયે ગોમતીપુરનું નામ ‘વેંગણપુર’ હતું. તો વેંગણપુરમાંથી ગોમતીપુર ક્યારે થયું? વડીલો પાસેથી કથા સંભાળવા મળે છે કે અમદાવાદનાં બાદશાહ ની ‘ધાવમાતા’ નું નામ ગોમતી હતું અને તે વેંગણપુરની હતી, બાદશાહે ધાવમાતાનાં નામને ગોમતીપુરનું નવું નામ આપ્યું.

હોળીનાં આગળનાં દિવસે ચીકણી માટીમાંથી ભાભારાણા દેવની મૂર્તિ બનાવીને સ્થાપન કરવામાં આવે છે.

સૈકાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ગોમતીપુરનાં યુવાનો હોળીનાં આગલા દિવસે ચીકણી માટી લાવે છે. આખી રાત જાગીને ગામનાં લોકો ભેગા મળીને ભાભારાણા દેવની મૂર્તિ બનાવે છે. હોળીની વહેલી સવાર સુધીમાં તો માનો કોઈ તેજસ્વી રાજા આપણી સમક્ષ સિંહસન પર જીવતા બિરાજમાન થઇ ગયો હોય તેવા સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણા, કાચની આંખો તથા મોટા હાર સાથે સજ્જ ભાભારાણા દેવની મૂર્તિ તૈયાર કરી દેવામાં આવે છે. મૂર્તિ બની ગયા પછી હોળીનાં દિવસે સવારે ૫ વાગે વાજતા-ગાજતા ઢોલ-નગારા સાથે મંગળા આરતી કરવામાં આવે છે.

ત્યારબાદ હોળી અને ધૂળેટીનાં દિવસે ભાભારાણા દેવનાં દર્શન કરવા અને સંતાનસુખ તેમજ અન્ય સમસ્યાઓની માનતા રાખવા દુર-દુરથી લોકો આવે છે. વર્ષ દરમ્યાન માત્ર બે જ દિવસ મંદિર ખુલતું હોવાથી માનતા રાખવા તથા માનતા પૂરી કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માનતા પૂર્ણ થયા બાદ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે લાકડાના પારણા, ચાંદીના પારણા, છત્ર, શ્રીફળ વગેરે ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જે કુંવારા યુવક-યુવતીઓનાં લગ્ન ન થતા હોય તે પણ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ ઢીંગલા કે ઢીંગલી ચઢાવે છે.

ધૂળેટીનાં દિવસે સાંજે ૫ વાગે પાલખી સાથે ગોમતીપુર ગામમાં ભાભારાણા દેવની શોભાયાત્રા નીકળે છે અને રાત્રે મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ અનોખા ઉત્સવનું સમાપન થાય છે.ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ પણ એકપણ વર્ષ ચુક્યા વિનાં આ ઉત્સવ ઉજવાય છે જેમાં કોઈ પુજારી નથી, કોઈ ચોકકસ કોમ-જાતીનો ઈજારો નથી. માત્ર અને માત્ર શ્રધ્ધા ઉપર જ આ તહેવાર આ જ સ્થળે ઉજવાય છે.

આ પણ વાંચો : Surat: નરેશ પટેલના રાજકીય પાર્ટીમાં જોડાવવા બાબતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું શું આવ્યું નિવેદન

આ પણ વાંચો : The Kashmir Files BO Collection Day 7 :’ધ કાશ્મીર ફાઇલ્સ’ રોજ બનાવી રહી છે નવો રેકોર્ડ, જાણો 7 દિવસમાં કેટલી કમાણી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">