AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષામાં ગંભીર બેદરકારી, પરીક્ષા ખંડ બહાર કોરોના નિયમોનો ભંગ

AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં કોરોના વિસ્ફોટ અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા યોજવામાં આવી હતી.

AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષામાં ગંભીર બેદરકારી, પરીક્ષા ખંડ બહાર કોરોના નિયમોનો ભંગ
પરીક્ષા ખંડ બહાર ભીડ
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Mar 26, 2021 | 2:42 PM

AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં કોરોના વિસ્ફોટ અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સોસીયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. અને, વિદ્યાર્થીઓને બેન્ચને બદલે ખુરશીઓ ઉપર પરીક્ષા આપવા બેસાડવામાં આવ્યા હતા.

પરીક્ષામાં ગંભીર બેદરકારી

કોરોના વિસ્ફોટ વચ્ચે આજથી ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષા શરૂ થઈ છે. પરીક્ષામાં કોરોનાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો છે. પરીક્ષા સેન્ટર બહાર હજારો વિદ્યાર્થીઓની ભીડ એકઠી થઈ હતી. સાથે જ સોસીયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. નિયમ મુજબ પરીક્ષા સેન્ટર બહાર સેનેટાઇઝર પણ ના મૂકાયું હતું.વિદ્યાર્થીઓને ટેમ્પરેચર માપ્યા વિના જ પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. 20 હજારથી વધારે વિદ્યાર્થીઓની બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. નિયમોનું પાલન ના થતા પરીક્ષામાં કોરોના વિસ્ફોટ થવાની પુરેપુરી શકયતા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરોના ગાઇડલાઇનનો ભંગ

પીજીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થાને લઈને પણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. એક જ બિલ્ડિંગમાં હજારો વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર ફાળવી દેવામાં આવ્યું હતુ. બિલ્ડિંગમાં યુનિવર્સિટી દ્વારા યોગ્ય બેઠક વ્યવસ્થા ના કરાઈ હતી. નવા બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ સંકુલમાં આડેધડ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. બેન્ચને બદલે ખુરશીઓ પર પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. હોલમાં ખુરશીઓ રાખીને વિદ્યાર્થીઓને પેપર લખવા બેસાડ્યા હતા. ફેકલ્ટી રૂમમાં ટેબલ પર વિદ્યાર્થીઓને પેપર લખવા બેસાડ્યા હતા. નવી બની રહેલી કોમ્યુટર લેબમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.

પરિક્ષાર્થીઓના જીવને જોખમ, જવાબદાર કોણ ?

યુનિવર્સિટીની પરીક્ષામાં નિયમોનું પાલન ના થતા વિદ્યાર્થીઓ ઉપર કોરોના સંક્રમણનું જોખમ વધ્યું છે. વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પણ યુનિવર્સિટીએ પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ સ્થિતિમાં હવે વિદ્યાર્થીઓના જીવ પર જોખમ તોળાઇ રહ્યું છે. અને, આ પરીક્ષાને કારણે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બનશે તો કોણ જવાબદાર રહેશે ? તે સવાલ ઉઠી રહ્યો છે.

રાજયમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિર્વસિટી દ્વારા પરીક્ષા યોજવી કેટલી યોગ્ય તે પણ સવાલે જન્મ લીધો છે. અને, જો પરીક્ષા લેવી હતી તો કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી હતું.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">