Ahmedabad : નર્સિંગ સ્ટાફની ભરતી સત્વરે કરવાનું આયોજન, રુપાણી સરકારને 5 વર્ષ પુર્ણ થયાના ભાગરુપે ભરતી તાબડતોબ
રુપાણી સરકારને 5 વર્ષ પુર્ણ થયાના ભાગરુપે નર્સિંગ સ્ટાફની ભરતી તાબડતોબ થઇ રહી છે. સરકારી ઉજવણીના ભાગરુપે નર્સિંગ સ્ટાફની ભરતી સત્વરે કરવાનું આયોજન છે.
Ahmedabad : રુપાણી સરકારને 5 વર્ષ પુર્ણ થયાના ભાગરુપે નર્સિંગ સ્ટાફની ભરતી તાબડતોબ થઇ રહી છે. સરકારી ઉજવણીના ભાગરુપે નર્સિંગ સ્ટાફની ભરતી સત્વરે કરવાનું આયોજન છે. જે અન્વયે આવતીકાલથી પસંદગી પામેલ 3000 નર્સિંગ સ્ટાફની તાત્કાલિક ભરતી કરવા કવાયત હાથ ધરાઇ છે.
કોવિડ-૧૯ની ત્રીજી લહેર પહેલા આરોગ્ય વિભાગની 3000 સ્ટાફ નર્સની ભરતીની તૈયારીઓ આખરી તબક્કામાં હોવાનું કહેવાય છે. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાનું રીઝલ્ટ વેબસાઇટ પર જાહેર થશે. પસંદગી પામેલા ઉમેદવારોની આવતીકાલથી પ્રમાણ પત્ર ચકાસણી થશે.
તા.02/08/2021 થી તા.03/08/2021 સુધી તમામ જીલ્લા સ્તરે અસલ પ્રમાણપત્રની ચકાસણી થશે. પસંદગી પામેલ દરેક ઉમેદવારે પોતાના જીલ્લામાં આવેલ પ્રમાણપત્ર ચકાસણી સ્થળે તેવાઓના અસલ પ્રમાણપત્રો સહિત પાસપોસ્ટ સાઇઝનો ફોટો અને ભરેલ ફોર્મની પ્રિન્ટ સાથે હાજર રહેવું પડશે.
વધુ વિગતો ઓજસ વેબ સાઇટ પર ઉપલબ્ધ છે. નોંધનીય છેકે તાજેતરમાં સરકારી હોસ્પિટલોમાં સ્ટાફ નર્સ ભરતી મામલો ગરમાયો હતો. કારણ કે કોવિડ-૧૯ના બીજા વેવમાં હોસ્પિટલોમાં સ્ટાફનર્સની ઘટ પડી હતી.
આ પણ વાંચો : valsad : ધાડપાડું ગેંગનો પર્દાફાશ, 4 આરોપીઓની ધરપકડ