Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી કેસ, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહના મામલે આવતીકાલે થઈ શકે છે સુનાવણી
ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી કેસનો વિવાદના મામલે અપડેટ સામે આવ્યુ છે. દિલ્લીનીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ તરફથી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
![Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી કેસ, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહના મામલે આવતીકાલે થઈ શકે છે સુનાવણી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/03/breaking-news-1-1.jpg?w=1280)
ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી કેસનો વિવાદના મામલે અપડેટ સામે આવ્યુ છે. દિલ્લીનીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ તરફથી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રિવિઝન અરજી દાખલ કરીને તત્કાળ સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટમાં દાખલ કરાયેલ કેસની સુનાવણી 29 ઓગષ્ટે થનાર છે. અરજી કરી હવે સુનાવણી આ પહેલા કરા માટે માંગ કરવામાં આવી છે. આ મામલામાં આવતીકાલે મંગળવારે કોર્ટ ચુકાદો જાહેર કરી શકે છે.
તત્કાળ સુનાવણી કરવા માટે કરવા માટે સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈ ગુજરાત યુનિવર્સિટી તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેને લઈ બંને પક્ષ તરફથી દલીલો કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષેથી દલીલોને સાંભળ્યા બાદ ચુકાદો આવતીકાલ પર અનામત રાખ્યો હતો. આમ હવે આવતીકાલે મંગળવારે ચુકાદો જાહેર થઈ શકે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..