AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : નારોલમાં બરફની ફેકટરીમાં ગેસ લિકેજ થતાં નાસભાગ મચી, ફાયર બ્રિગેડે લીકેજ પર કાબૂ મેળવ્યો

નારોલમાં કાશીરામ ટેકસટાઇલ પાસે નેશનલ આઇસ બરફ(Ice Factory) ની ફેકટરીમાં ગેસ લીકેજ થયો છે. જે કોલ મળતા ફાયર બ્રિગેડે ગાડી સ્થળ પર રવાના કરી. તેમજ અધિકારી પણ સ્થળ પર રવાના થયા. જોકે ટીમ પહોંચે તે પહેલા ગેસ લીકેજ વધી ગયો અને વાતાવરણમાં ગેસ ફેલાઈ ગયો.

Ahmedabad : નારોલમાં બરફની ફેકટરીમાં ગેસ લિકેજ થતાં નાસભાગ મચી, ફાયર બ્રિગેડે લીકેજ પર કાબૂ મેળવ્યો
Ahmedabad Narol Ice Factory Gas Leak
Darshal Raval
| Edited By: | Updated on: Apr 28, 2022 | 10:07 PM
Share

અમદાવાદના (Ahmedabad) નારોલમા બરફ બનાવતી ફેકટરીમાં(Ice Factory) ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે. જેની પર ફાયર બ્રિગેડને(Fire Brigade)  કોલ મળતા ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી ગેસ લીકેજ કંટ્રોલમાં લીધો હતો. ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે નારોલમાં કાશીરામ ટેકસટાઇલ પાસે નેશનલ આઇસ બરફ ની ફેકટરીમાં ગેસ લીકેજ થયો છે. જે કોલ મળતા ફાયર બ્રિગેડે ગાડી સ્થળ પર રવાના કરી. તેમજ અધિકારી પણ સ્થળ પર રવાના થયા. જોકે ટીમ પહોંચે તે પહેલા ગેસ લીકેજ વધી ગયો અને વાતાવરણમાં ગેસ ફેલાઈ ગયો. જેથી વધુ ટીમની મદદ લેવાઈ અને 11 ફાયર બ્રિગેડની ગાડી અને અધિકારીઓએ સ્થળ પર પહોંચી ઘટનાને કંટ્રોલમાં લીધી.

ઘટનામાં જાણવા મળ્યું કે ફેકટરીમાં એમોનિયા કોમ્પ્રેસરની મેઈન લાઇન લિકેજ થઈ હતી. જે વધુ લિકેજના કારણે વાતાવરણમાં ગેસ ફેલાઈ ગયો અને આસપાસ તેની અસર થઈ. તો ગેસ લીકેજ કંટ્રોલ કરવા જતાં એક ફાયર બ્રિગેડ કર્મચારીને ગેસની અસર થતા હોસ્પિટલ ખસેડાયો. જે ગેસ લીકેજ પર ફાયર બ્રિગેડની સતર્કતા અને સતત પાણીનો મારો ફેકટરી અને રોડ અને હવામાં ચલાવી ગેસ લીકેજ કંટ્રોલમાં લીધો. તેમજ પાઇપ લાઇનનો વાલ્વ બંધ કરતા વધુ મોટી ઘટના થતા ટળી હતી. જોકે ગેસ લીકેજની અસર આસપાસના વાતાવરણમાં થઈ હતી. જે ગેસ લીકેજ કઈ રીતે થયો તે હજુ જાણી શકાયું નથી. પણ ફાયર બ્રિગેડે ગેસ લીકેજ કાબુમાં લઈ મોટી ઘટના થતા ટાળી હતી.

આ ઘટના પરથી અન્ય બરફની ફેકટરી ધરાવતા લોકોએ વધુ ધ્યાન રાખવું પડશે. કેમ કે હાલમાં ગરમી વચ્ચે બરફનો વધુ ઉપયોગ થવાથી પ્રોડક્શન વધ્યું છે. પણ આવા સમયે સાધનોનું મેઇન્ટેનન્સ નહિ થતું હોવાથી આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ કિસ્સો આવા લોકો માટે લાલ બતી સમાન ગણી શકાય છે.

આ પણ વાંચો

આ પણ વાંચો :  Gandhinagar: મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર કલેકટર ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી, થયો આ પર્દાફાશ

આ પણ વાંચો : બનાસકાંઠા : પાણીના તળ ઊંચા આવે તે માટે 111 તળાવોનું નવનિર્માણ થશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">