AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠા : પાણીના તળ ઊંચા આવે તે માટે 111 તળાવોનું નવનિર્માણ થશે

બનાસ ડેરીમાં યોજાયેલા જળ સંચય બેઠકમાં આજે મોટી સંખ્યામાં સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. સહકારની ભાવના સાથે સરપંચ તેમજ સહકારી આગેવાનો સાથે મળી ગામના વહી જતા પાણીને અટકાવી જળ સંચય થાય તે માટેની કામગીરી કરશે.

બનાસકાંઠા : પાણીના તળ ઊંચા આવે તે માટે 111 તળાવોનું નવનિર્માણ થશે
Banaskantha: 111 lakes will be renovated to raise the water level
Kuldeep Parmar
| Edited By: | Updated on: Apr 28, 2022 | 6:49 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM MODI) આહ્વાન બાદ હવે બનાસકાંઠાના (Banaskantha)બનાસ ડેરી ભૂગર્ભ જળ (Ground water)ઊંચા આવે અને પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે 111 તળાવોને (Lakes)નવનિર્માણ કરશે. બનાસકાંઠામાં પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આજે જીલ્લાના સરપંચ અને સહકારી આગેવાની બેઠક મળી. જેમાં વરસાદી પાણીના સંગ્રહ માટે નવા તળાવો નિર્માણ તેમજ જુના તળાવોને ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

દિયોદર ખાતે બનાસ ડેરીના નવા સંકુલ લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાને બનાસવાસીઓને વહી જતા વરસાદી પાણીના સંગ્રહ કરવા માટેની સલાહ આપી હતી. જે સલાહને અનુસરી હવે બનાસ ડેરી તળાવ નવા નિર્માણ કરવાનું તેમજ જૂના તળાવોને ઊંડા કરવાનું કામ કરશે. જે માટે આજે બનાસ ડેરીના સાનિધ્યમાં જિલ્લાના સરપંચો સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વરસાદી પાણીના વહી જતા અટકાવવા તેમજ જૂના ફેલ થઈ ગયેલા બોરવેલને રિચાર્જ માટે કામ થશે. વરસાદના વહી જતા પાણીને રોકવા માટે તળાવોને વધુ ઊંડા કરવા બાબતે આગામી સમયમાં સ્થાનિક લોકોને સાથે રાખી બનાસ ડેરી જળ સંચય માટે કામ કરશે. જે પૈકી 111 તળાવનું નિર્માણ થશે અને પાણીની સમસ્યાથી છૂટકારો મળશે.

બનાસ ડેરીમાં યોજાયેલા જળ સંચય બેઠકમાં આજે મોટી સંખ્યામાં સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. સહકારની ભાવના સાથે સરપંચ તેમજ સહકારી આગેવાનો સાથે મળી ગામના વહી જતા પાણીને અટકાવી જળ સંચય થાય તે માટેની કામગીરી કરશે. સરપંચો પણ માની રહ્યા છે કે દિન પ્રતિદિન પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. જળ સંચય કરી ગામડાના ખેતી અને પશુપાલનને બચાવવા માટે તેઓ પ્રયત્ન કરશે.

આ પણ વાંચો

બનાસ ડેરીએ જળ સંચયનું કામ કરી પાણીના તળ ઊંચા લાવવા માટે કામે કરી રહ્યા છે. વડાપ્રધાનના આહ્વાનના સ્વપ્નને સાકાર કરવા અને પાણીના તળ ઊંચા લાવવા માટે બનાસ ડેરીનું આ જળ સંચય અભિયાન આગામી સમયમાં જીલ્લા માટે સંજીવની સમાન બનશે.

આ પણ વાંચો : દિલ્હીના શાહીન બાગમાં ડ્રગ્સ અને હેરોઈનનો જથ્થો ઝડપાયો, NCBએ 400 કરોડનો સામાન કર્યો જપ્ત, ઈન્ડો-અફઘાન સિન્ડિકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો :Ahmedabad : નરોડામાં હનીટ્રેપની ઘટના સામે આવી, પોલીસે બે યુવક અને યુવતીની ધરપકડ કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">