Ahmedabad ના બોપલમાં તસ્કરો બેફામ, છ બુકાનીધારી કિંમતી દાગીના અને લેપટોપ ચોરી ફરાર

સ્કાય સિટીમાં આવેલ Arcus સોસાયટીના બંગલા નંબર 98 માં સોમવારે વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસ છ લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા.અને પરિવારને ધમકાવીને સોનાના દાગીના તેમજ લેપટોપની લૂંટ કરી પલાયન થઈ ગયા છે.

Ahmedabad ના બોપલમાં તસ્કરો બેફામ, છ બુકાનીધારી કિંમતી દાગીના અને લેપટોપ ચોરી ફરાર
Ahmedabad robber ​flea Bopal steal six jewelry and laptop (CCTV Image)
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 31, 2021 | 9:55 PM

અમદાવાદ શહેરના બોપલ વિસ્તાર માં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં છ બુકાનીધારી બંગલામાં પ્રવેશ કરી પરિવારને ધમકાવીને સોનાના દાગીના અને લેપટોપની લૂંટ કરી પલાયન થઈ ગયા છે. આ લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોપલ વિસ્તાર જાણે કે લુંટારૂઓ માટે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ લાગી રહ્યું છે. જેમાં છેલ્લા બે મહિનાની અંદર લૂંટનો વધુ એક બનાવ બન્યો છે.સ્કાય સિટીમાં આવેલ Arcus સોસાયટીના બંગલા નંબર 98 માં સોમવારે વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસ છ લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા.અને પરિવારને ધમકાવીને સોનાના દાગીના તેમજ લેપટોપની લૂંટ કરી પલાયન થઈ ગયા છે.

આ લૂંટનો ભોગ બનનાર મનોજ અગ્રવાલ ખાનગી કંપનીમાં સી.એ તરીકે નોકરી કરે છે અને પત્ની હાઉસ વાઇફ છે જેમના બે દિકરા છે. આ ચારે લોકો ઘરે હતાં જો કે લૂંટારાઓ દંપતિ રુમમાં જઇ પહેરેલા દાગીના કાઢી દેવા ધમકી આપી કઢાવી લીધા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ખુલ્લી ખેતર જેવી જગ્યાઓ છે. જ્યાંથી આ લૂંટારુઓ દીવાલ ઉપર રહેલ ફ્રેંસિગ તોડીને સોસાયટી માં પ્રવેશ કર્યો હતો.અને બંગલા નંબર 98 માં ઘુસી પાછળ સાઈડનો એક લોખંડની જાળીનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા. મકાનના બેડરૂમમાં સુઈ રહેલા દંપતી ને જગાડીને જે પણ વસ્તુ ઓ પહેરી હોય એ આપી દેવા માટે કહ્યું હતું.જેથી દંપતી એ ગભરાઈ ને પહેરેલા સોનાના દાગીના અને લેપટોપ લૂંટી જતા રહ્યાં હતાં.જો કે મહત્વ ની વાત તો એ છે કે લૂંટ માટે આવેલા લૂંટારુઓ માંથી એક લુંટારૂ એ સ્માર્ટ વોચ પહેરી હતી જ્યારે બીજા લુંટારુ પાસે ગાડીની ચાવી હોવાનું ફરિયાદ નું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે લૂંટારું ટોળકી લૂંટ અંજામ આપતાં પહેલા સોસાયટીમાં રેકી કરી હોઈ શકે છે કારણ કે લૂંટારુઓ દ્વારા સોસાયટી માં રહેલા સીસીટીવી કેમેરા એંગલ બદલી દેવામાં આવ્યા હતા.જેથી સોસાયટી કેમેરામાં ફૂટેજ જોવા નથી મળી રહ્યાં. પરંતુ લૂંટ કરવા આવેલા મકાનમાં રહેલા સીસીટીવીમાં આરોપીઓ કેદ થઈ ગયા છે.

સીસીટીવી ફૂટેજ જોતા પોલીસને આશંકા છે લૂંટારુઓ વીસ થી પચ્ચીસ વર્ષ ની ઉમર ના હોય શકે છે. જે ભાષામાં તેઓ વાતચીત કરતા હતા. તેના પર થી તેઓ લોકલ અને સારા પરિવાર માંથી આવતા હોય તેમ લાગી રહ્યું છે. જો કે આ અગાઉ પણ કેટલાક દિવસ અગાઉ બોપલ માં આ પ્રકારે એક દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી.

જેમાં આરોપી ઓની પોલીસ એ ધરપકડ કરી છે.પરતું બંગલાની પાછળ અવવારૂ જગ્યા પરથી લૂંટારુઓ પ્રવેશી લૂંટ ગુના અંજામ આપે છે.જેથી પોલીસ આવી જગ્યાએ પેટ્રોલિંગ વધારી દે આ ગુનાઓ અટકી શકે છે.

આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ

આ પણ વાંચો : ગુજરાતના મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન પ્રવાસીઓને આકર્ષવામાં સફળ, ત્રણ દિવસમાં દોઢ લાખ પ્રવાસીઓ ઉમટ્યા

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">