અમદાવાદમાં વર્ષે વાનર કરડવાના 300 જેટલા બનાવ બને છે, કપિરાજને ખાવાનું આપવું ગુનો છે, 3 વર્ષની જેલ-25000 દંડ થઈ શકે
જો કે, વાનર એટલે કે કપિરાજ (હનુમાન લંગુર) વન્ય જીવ અધિનિયમ 2 માં આવતું પ્રાણી છે. આથી આવા પ્રાણીને ખાવનું આપનાર જો પકડાય તો તેમને 3 વર્ષ સુધીની કેદ અને રૂપિયા 25 હજાર સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ બેથી ત્રણ વાર પકડાઈ જાય તો વન વિભાગની જોગવાઈ હેઠળ તેમને જેલ પણ થઈ શકે છે.

અમદાવાદ શહેરમાં વર્ષે દહાડે વાનર કરડવાના 200થી 300 જેટલા બનાવો બની રહ્યાં છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદના નરોડા, અસારવા, મણીનગર, શાહીબાગ અને પશ્ચિમમાં પાલડી વિસ્તારનો સમાવેશ થાય છે. વન વિભાગનું કહેવું છે કે, શહેરી વિસ્તારમાં વાનરને રોજબરોજ ખવડાવવાથી એક આદત પડી ગઈ હોય છે. પછી તેમને તે પ્રકારનો ખોરાક ના મળે તો તેઓ ગુસ્સે થાય છે. જો કે, વાનર એટલે કે કપિરાજ (હનુમાન લંગુર) વન્ય જીવ અધિનિયમ 2 માં આવતું પ્રાણી છે. આથી આવા પ્રાણીને ખાવનું આપનાર જો પકડાય તો તેમને 3 વર્ષ સુધીની કેદ અને રૂપિયા 25 હજાર સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ બેથી ત્રણ વાર પકડાઈ જાય તો વન વિભાગની જોગવાઈ હેઠળ તેમને જેલ પણ થઈ શકે છે.
વન વિભાગનું કહેવું છે કે, કપિરાજને ખવડાવવું એ માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ગુનો બને છે. અમદાવાદમાં કપિરાજના હુમલાઓની ઘટના વધી છે. દર વર્ષે કપિરાજ કરડી જવાના 200 થી 300 જેટલા બનાવ બને છે. વન જીવન અધિનિયમ હેઠળ ગુનો થતા જ કાર્યવાહી થાય છે. આ કાયદો કે વન વિભાગની જોગવાઈ માત્ર અમદાવાદ શહેર પુરતી જ નથી, પરંતુ ગુજરાતભરમાં લાગુ પડે છે. એટલે કોઈ પણ જગ્યાએ કપિરાજને ખાવાનું ખવડાવું એ વન વિભાગની જોગવાઈ અનુસાર ગુનો બને છે.
વર્ષ 2025 માં 1 હજાર થી વધુ કપિરાજને વન વિભાગે રેસ્ક્યુ કર્યા હતા. વન વિભાગ દ્વારા તપાસ કરતા કપિરાજ, જે ખોરાક ખાવાની ટેવ વાળા બની ગયા હતા તેમને ત્યારબાદ તે પ્રકારનો ખોરાક ના મળે ત્યારે કપિરાજ કરડવા કે બચકા ભરવા દોડતા હોવાના કિસ્સા બને છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ નરોડા, પાલડી, મણિનગર અને અસારવા, શાહીબાગમાંથી કપિરાજને વન વિભાગે રેસ્ક્યૂ કર્યાં છે. અમદાવાદ વન વિભાગનો હેલ્પ લાઇન નંબર 76000 09845 છે. હેલ્પ લાઇન નંબર દ્વારા કપિરાજને લઈને માહિતી આપી શકો છો. વન વિભાગે અપીલ કરતા કહ્યું કે, કપિરાજને હેરાન ના કરવા અને કોઈએ કપિરાજને નહીં ખવડાવવા જણાવ્યું છે.