AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાત્રે 8 વાગે છોડાશે 4,45,000 ક્યુસેક પાણી, 3 જિલ્લા કલેકટરને કરાયા સાવચેત

કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવકને પગલે, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. આજે રાત્રે 8 કલાકથી સરદાર સરોવરના ગેટ મારફતે 4,00,000 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામં આવશે. જ્યારે પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી પણ નદી-કેનાલમાં છોડવામાં આવશે.

Breaking News : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાત્રે 8 વાગે છોડાશે 4,45,000 ક્યુસેક પાણી, 3 જિલ્લા કલેકટરને કરાયા સાવચેત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2025 | 6:13 PM
Share

ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના વધુ દરવાજા ખોલીને કૂલ 4,45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાની ફરજ પડી છે. આજે રાત્રે 8 વાગ્યા બાદ, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાશે. જેના પગલે, નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ કરાયા છે.

કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવકને પગલે, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. આજે રાત્રે 8 કલાકથી સરદાર સરોવરના ગેટ મારફતે 4,00,000 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામં આવશે. જ્યારે પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી પણ નદી-કેનાલમાં છોડવામાં આવશે. આમ સરદાર સરોવરમાંથી કુલ 4,45,000 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનો નિર્ણય લેવાયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે હાલ પાણીની આવક 4.59 લાખ ક્યુસેકની છે. સરદાર સરોવર ખાતે હાલની જળ સપાટી 135.64 મીટરે પહોચી ગઈ છે. ઉપરવાસમાંથી થઈ રહલ પાણીની આવકને પગલે, નર્મદા ડેમ 89.95 % ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવનારા 4,45,000 ક્યુસેક પાણીને કારણે, નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે. નર્મદા, વડોદરા અને ભરૂચના જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સાવચેત રહેવા જાણ કરાઈ છે.

આ પણ વાંચોઃ વર્તમાન ચોમાસામાં ગુજરાતમાં નોંધાયો 92 ટકા વરસાદ, આ સપ્તાહે 100 ટકા વરસાદ પૂર્ણ થવાની ધારણા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">