AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાત્રે 8 વાગે છોડાશે 4,45,000 ક્યુસેક પાણી, 3 જિલ્લા કલેકટરને કરાયા સાવચેત

કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવકને પગલે, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. આજે રાત્રે 8 કલાકથી સરદાર સરોવરના ગેટ મારફતે 4,00,000 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામં આવશે. જ્યારે પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી પણ નદી-કેનાલમાં છોડવામાં આવશે.

Breaking News : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાત્રે 8 વાગે છોડાશે 4,45,000 ક્યુસેક પાણી, 3 જિલ્લા કલેકટરને કરાયા સાવચેત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2025 | 6:13 PM
Share

ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના વધુ દરવાજા ખોલીને કૂલ 4,45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાની ફરજ પડી છે. આજે રાત્રે 8 વાગ્યા બાદ, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાશે. જેના પગલે, નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ કરાયા છે.

કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવકને પગલે, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. આજે રાત્રે 8 કલાકથી સરદાર સરોવરના ગેટ મારફતે 4,00,000 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામં આવશે. જ્યારે પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી પણ નદી-કેનાલમાં છોડવામાં આવશે. આમ સરદાર સરોવરમાંથી કુલ 4,45,000 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનો નિર્ણય લેવાયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે હાલ પાણીની આવક 4.59 લાખ ક્યુસેકની છે. સરદાર સરોવર ખાતે હાલની જળ સપાટી 135.64 મીટરે પહોચી ગઈ છે. ઉપરવાસમાંથી થઈ રહલ પાણીની આવકને પગલે, નર્મદા ડેમ 89.95 % ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવનારા 4,45,000 ક્યુસેક પાણીને કારણે, નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે. નર્મદા, વડોદરા અને ભરૂચના જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સાવચેત રહેવા જાણ કરાઈ છે.

આ પણ વાંચોઃ વર્તમાન ચોમાસામાં ગુજરાતમાં નોંધાયો 92 ટકા વરસાદ, આ સપ્તાહે 100 ટકા વરસાદ પૂર્ણ થવાની ધારણા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">