AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: આ કારણે કરણ જોહરથી નારાજ છે સારા અલી ખાન, પર્સનલ લાઈફની શેર કરી વાતો

એક ઈન્ટરવ્યુમાં કરણ જોહરે (Karan Johar) પોતાના શો કોફી વિથ કરણના ઈતિહાસ વિશે ખુલીને વાત કરી હતી. કરણ જોહરે જણાવ્યું કે મારા આ શો દ્વારા ઘણા ફિલ્મ સ્ટાર્સની જોડી બની હતી.

Sara Ali Khan: આ કારણે કરણ જોહરથી નારાજ છે સારા અલી ખાન, પર્સનલ લાઈફની શેર કરી વાતો
sara ali khan and karan joharImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 3:27 PM
Share

બોલિવૂડ નિર્માતા કરણ જોહર (Karan Johar) તેના ચેટ શો કોફી વિથ કરણની (Koffee With Karan 7) સાતમી સીઝન સાથે પરત ફર્યો છે. શો કોફી વિથ કરણ સીઝન 7નો પહેલો એપિસોડ ધમાકેદાર રહ્યો છે. આ શોનો પહેલો એપિસોડ લોકોએ એન્જોય કર્યો છે. પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ તેમના પર્સનલ લાઈફ વિશે ઘણી વાતો કરી હતી. એક તરફ કરણ જોહર પોતાના શોની ચર્ચા સાંભળીને ખુશી મનાવી રહ્યો છે. તો ત્યાં જ સારા અલી ખાન તેનાથી નારાજ જોવા મળી રહી છે. હાલના દિવસોમાં કરણ જોહરે સારા અલી ખાન અને કાર્તિક આર્યનની રિલેશનશિપ વિશે વાત કરી હતી.

કરણ જોહરથી નારાજ છે સારા અલી ખાન

મીડિયામાં આવી રહેલા સમાચારો મુજબ સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે કરણ જોહર સારાની પર્સનલ લાઈફ વિશે પબ્લિકલી વાત કરવાથી ખુશ નથી. સારા ઇચ્છે છે કે લોકો ફક્ત તેના કરિયર ગ્રાફ પર ધ્યાન કેન્દ્રિત કરે કારણ કે તે તેના કામ દ્વારા જ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહી છે. તેનું માનવું છે કે પર્સનલ જાણકારી તેના ફેન્સનું ધ્યાન ભટકાવી શકે છે, જે તે બિલકુલ ઇચ્છતી નથી.

શું કરણ જોહર સાથે વાત નહીં કરે સારા?

મીડિયા રિપોર્ટ્સનું માનીયે તો એવું નથી કે સારા અલી ખાન ક્યારેય કરણ જોહર સાથે વાત નહીં કરે અથવા તે ખૂબ જ હેરાન છે. પરંતુ જે રીતે લોકો હવે તેની પર્સનલ લાઈફની મજાક ઉડાવી રહ્યા છે, તે તેને પસંદ નથી. સૂત્રોએ જણાવ્યું કે સારા અલી ખાન ઈચ્છે છે કે લોકો તેની ફિલ્મો અને એક્ટિંગ વિશે જ વાત કરે.

આ પણ વાંચો

કરણ જોહરે સારા-કાર્તિક વિશે કરી વાત

હાલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન કરણ જોહરે સારા અને કાર્તિક વિશે ખુલાસો કર્યો હતો. કરણ જોહરે તેના શો કોફી વિથ કરણના ઇતિહાસ વિશે ખૂબ જ ખુલીને વાતચીત કરી હતી. આ દરમિયાન કરણ જોહરે જણાવ્યું કે મારા આ શો દ્વારા ઘણા ફિલ્મ સ્ટાર્સની જોડી બની હતી. કરણે જણાવ્યું કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પ્રેમમાં પડ્યા અને બંનેએ લગ્ન કરી લીધા. કેટરીના કૈફે પણ વિકી કૌશલ વિશે પોતાના દિલની વાત કરી હતી. તે બંનેએ લગ્ન પણ કરી લીધા. આ સિવાય સારા અલી ખાને પણ કાર્તિક આર્યન માટે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી, ત્યારબાદ બંને રિલેશનશિપમાં પણ આવ્યા હતા. બોલિવૂડના આ બે સ્ટાર્સના રિલેશનશિપ લઈને પણ સમાચાર સામે આવ્યા છે. પરંતુ બંનેમાંથી કોઈએ તેની પુષ્ટિ કરી નથી.

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">