John Abraham એ NGO ને આપ્યું પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ, જાણો કારણ

કોરોનાના કહેરને ઘટાડવા માટે બોલીવુડના સેલેબ્સ પણ મેદાનમાં ઉતર્યા છે. સેલેબ્સ વિવિધ રીતે લોકોને તેમની રીતે મદદ કરી રહ્યાં છે.

John Abraham એ NGO ને આપ્યું પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ, જાણો કારણ
John Abraham
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 01, 2021 | 7:17 PM

કોરોનાનો કહેર આખા દેશમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કોરોનાના કહેરને ઘટાડવા માટે બોલીવુડના સેલેબ્સ પણ મેદાનમાં ઉતર્યા છે. સેલેબ્સ વિવિધ રીતે લોકોને તેમની રીતે મદદ કરી રહ્યાં છે. આ દરમિયાન, જોન અબ્રાહમને મદદ કરવાનો એક અનોખો રસ્તો મળ્યો છે.

NGO ઉપયોગ કરશે જોનનું એકાઉન્ટ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હકીકતમાં, જોન અબ્રાહમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ હવે NGO દ્વારા કરવામાં આવશે. NGO જોનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો, કોવિડમાં લોકોને મદદ કરવા માટે ઉપયોગ કરશે. જોને તેના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું- ‘એક દેશ તરીકે, આપણે ઘણી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. દરેક પસાર થતી મિનિટની સાથે, ઘણા લોકો એવા છે જે ઓક્સિજન, આઈસીયુ બેડ, એક વેક્સીન અને ક્યારેક-ક્યારેક ખોરાક પણ ખરીદી શકતા નથી. ‘

એકબીજાને ટેકો આપવા માટે સાથે આવી રહ્યા છે લોકો

જોને તેમના સોશિયલ મીડિયા પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘ આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોને મદદની જરૂર છે. જો કે, આ મુશ્કેલ સમયમાં લોકો એકબીજાને ટેકો આપવા માટે પણ એકઠા થઈ રહ્યા છે. આજથી હું મારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અમારી ભાગીદાર એનજીઓને સોંપી રહ્યો છું અને મારા એકાઉન્ટ્સ પર ફક્ત એવું કંટેન્ટ જ પોસ્ટ કરવામાં આવશે, જે પીડિતો અને સંસાધનોને જોડશે. આ સંકટને દૂર કરવા માટે આપણી માનવતાને ફેલાવવાનો આ સમય છે. ચાલો કંઈપણ કરીને સાથે આ લડાઈને જીતીએ. ‘

જોનના આગામી પ્રોજેક્ટ્સ

તમને જણાવી દઈએ કે જોન અબ્રાહમ તાજેતરમાં જ મુંબઈ સાગા ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત જોનની આગામી ફિલ્મોમાં સત્યમેવ જયતે 2, એટેક અને એક વિલન રિટર્ન્સનો સમાવેશ થાય છે. જોન સત્યમેવ જયતે 2 માં દિવ્યા ખોસલા કુમાર, એટેકમાં જેકલીન ફર્નાન્ડિઝ – રકુલ પ્રીત સિંહ અને એક વિલન રિટર્ન્સમાં દિશા પાટણીની સાથે જોવા મળશે. આ ત્રણ ફિલ્મો સિવાય જોન શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સાથે પઠાણ ફિલ્મમાં જોવા મળશે.

આ પણ વાંચો :- Arjun Kapoor એ બહેન અંશુલા સાથે મળીને ભેગા કર્યાં 1 કરોડ રૂપિયા, 30,000 લોકોની કરી મદદ

આ પણ વાંચો :- આ કાર્યને કારણે R. Madhavan એ તેમની પત્નીની કરી પ્રશંસા, કહ્યું – ‘જ્યારે પત્ની તમને નાનો મહેસૂસ કરાવે’

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">