AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધર્મેન્દ્રની તબિયત ફરી બગડી, એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી

દિગ્ગજ અભિનેતાની તબિયત અચાનક ફરી બગડી છે. સોમવાર બપોરે તેના ઘરે એમ્બ્યુલન્સ પહોંચી છે. ત્યારબાદથી ઘરની બહાર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે તેમજ બૈરિકેડિંગ કરવામાં આવી છે.

Breaking News : ધર્મેન્દ્રની તબિયત ફરી બગડી, એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી
| Updated on: Nov 24, 2025 | 1:27 PM
Share

ધર્મેન્દ્રની તબિયત ફરી બગડી છે. તેમના ઘરે એમ્બ્યુલન્સ આવી ગઈ છે. તેમના ઘરની બહાર બેરિકેડ લગાવવામાં આવ્યા છે.દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ફરી બગડી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રની થોડા દિવસો સુધી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. ધર્મેન્દ્ર ઘરે જ સારવાર લઈ રહ્યા હતા. પરંતુ હવે, ધર્મેન્દ્રની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે. ધર્મેન્દ્રના ઘરની બહાર એમ્બ્યુલન્સ આવી ગઈ છે. તેમના ઘરની બહાર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ધર્મેન્દ્રની ત્રણ પુત્રીઓ, એશા, અજિતા અને વિજેતા પણ તેમની મુલાકાત લેવા આવી છે. ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની પણ પહોંચી છે.

સેલિબ્રિટીઓ પણ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા

ધર્મેન્દ્ર ઘણા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. કેટલાક સેલિબ્રિટીઓ તેમને મળવા હોસ્પિટલમાં ગયા હતા. સલમાન ખાન, શાહરૂખ ખાન, ગોવિંદા અને અમીષા પટેલ જેવા કલાકારોએ તેમની મુલાકાત લીધી હતી. ધર્મેન્દ્રને 31 ઓક્ટોબર, 2025ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 નવેમ્બરના રોજ તેમની તબિયત અચાનક બગડી ગઈ. તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અને પછી તેમને ઘરે લઈ જવામાં આવ્યા. એવા રિપોર્ટ હતા કે ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ ઇચ્છતી હતી કે તેમની સારવાર ઘરે જ કરવામાં આવે, તેથી જ તેમની સારવાર ઘરેથી જ કરવામાં આવી રહી હતી.

’21’નું પોસ્ટર રિલીઝ

89 વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર હજુ પણ કામ કરી રહ્યા છે. તેમણે છેલ્લે ફિલ્મ ‘તેરી બાતેં મેં ઉલઝા જિયા’માં કામ કર્યું હતું, જેમાં તેમણે જયસિંહ અગ્નિહોત્રીની ભૂમિકા ભજવી હતી. હવે તેઓ ’21’માં જોવા મળશે. ’21’ 25 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મનું પોસ્ટર સોમવારે રિલીઝ થયું હતું. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક યુદ્ધ-નાટક છે જેમાં અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં છે.

ધર્મેન્દ્રના 2 લગ્ન, 6 બાળકો 13 પૌત્ર-પૌત્રીઓ , બોલિવુડનો સૌથી મોટો ફિલ્મી પરિવાર જુઓ અહી ક્લિક કરો

 

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
g clip-path="url(#clip0_868_265)">