Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કરણ-અર્જૂન’ને પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતું આમંત્રણ, બંનેએ પોસ્ટ-ટ્વીટ કરી તો ફેન્સે કહ્યું કે- ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ મળ્યું નહોતું. પરંતુ 26મી જાન્યુઆરીના અવસર પર શાહરૂખ ખાન અને સલમાન ખાનને ટ્વીટ અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુકી છે. સોશિયલ મીડિયા પોસ્ટ જોયા બાદ યુઝર્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

'કરણ-અર્જૂન'ને પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતું આમંત્રણ, બંનેએ પોસ્ટ-ટ્વીટ કરી તો ફેન્સે કહ્યું કે- ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની
Shah Rukh Khan and Salman Khan
Follow Us:
| Updated on: Jan 27, 2024 | 9:52 AM

26 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં 75માં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. 26 જાન્યુઆરીએ ભારતીયો સોશિયલ મીડિયા દ્વારા દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. ઘણી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.

કરીના કપૂર, અર્જુન કપૂર, સોનાલી બેન્દ્રે, કેટરિના કૈફ-વિકી કૌશલ, આયુષ્માન ખુરાનાએ પણ ગણતંત્ર દિવસની આગવા અંદાજમાં ઉજવણી કરી હતી. એટલું જ નહીં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાને પણ સોશિયલ મીડિયા દ્વારા દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

હોલિકા દહનની રાતે કરો આ ઉપાય, કિસ્મત ચમકી ઉઠશે, ધનની થશે પ્રાપ્તિ
આજનું રાશિફળ તારીખ : 11-03-2025
ચહલ-મહવિશ સાથે જોવા મળ્યા બાદ ધનશ્રીએ બધાને ચોંકાવી દીધા, ભર્યું આ પગલું
કયા કયા મુસ્લિમ દેશોમાં પણ ઉજવાય છે હોળીનો તહેવાર ? જાણો નામ
ટીમ ઈન્ડિયાને મળેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાણું છે?
દુબઈમાં રોહિત શર્માએ ઉઠાવી 2 ટ્રોફી, બુર્જ ખલીફા સામે બતાવી ભારતની તાકાત

દેશભક્તિ કરી વ્યક્ત

તમને જણાવી દઈએ કે અયોધ્યામાં પ્રભુ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શાહરૂખ ખાન, સલમાન ખાન સહિત ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. વાત કરીએ ગણતંત્ર દિવસની તો આ અવસર પર સલમાન ખાન અને શાહરૂખ ખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે.

(Credit source : @BeingSalmanKhan)

સલમાન ખાન અને શાહરૂખ ખાનની સોશિયલ મીડિયા પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે. સલમાન ખાને X પર કહ્યું, ‘બધાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ…’ બીજી તરફ શાહરૂખ ખાને ત્રિરંગો ફરકાવતો ફોટો શેર કર્યો.

કિંગ ખાને ઈન્સ્ટાગ્રામ પર કરી છે પોસ્ટ

ફોટો પોસ્ટ કરતાં કિંગ ખાને કહ્યું છે કે, ‘તમને બધાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ… આપણા દેશની એકતા… શક્તિ અને ગૌરવનું પ્રતીક… ત્રિરંગો હંમેશા ઊંચો ફરકતો રહે.’ ભારતીયો તરીકે, ચાલો આપણે આપણા દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપીએ. જય હિંદ!’ શાહરૂખ ખાનની પોસ્ટ પર ફેન્સે કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

(Credit Source : Shah rukh khan)

કિંગ ખાનની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક નેટીઝને કહ્યું, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, બીજાએ કહ્યું, ‘પઠાણ સિનેમાનું એક વર્ષ…’ એટલું જ નહીં, ઘણા ચાહકોએ અભિનેતાને તેની આગામી ફિલ્મ માટે શુભેચ્છાઓ પણ આપી છે. હાલમાં શાહરૂખની આગામી ફિલ્મ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની રહી છે.

આ રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજે કેવો રહેશે દિવસ
આ રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજે કેવો રહેશે દિવસ
ગરમીથી શેકાવા રહેજો તૈયાર ! ગુજરાતના 9 જિલ્લામાં હીટવેવની આગાહી
ગરમીથી શેકાવા રહેજો તૈયાર ! ગુજરાતના 9 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો
ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો
મહીસાગર: કડાણા ડેમનું નવીનીકરણ અને બેફામ ST બસ ચાલકનો વીડિયો વાયરલ
મહીસાગર: કડાણા ડેમનું નવીનીકરણ અને બેફામ ST બસ ચાલકનો વીડિયો વાયરલ
ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના તાર પૂર્વ MLA સુધી પહોંચ્યા- વાંચો
ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના તાર પૂર્વ MLA સુધી પહોંચ્યા- વાંચો
ગુજ. યુનિ. એ ગરીબ વિદ્યાર્થીઓ પર ફી વધારો ઝીંકતા NSUI એ કર્યા દેખાવો
ગુજ. યુનિ. એ ગરીબ વિદ્યાર્થીઓ પર ફી વધારો ઝીંકતા NSUI એ કર્યા દેખાવો
પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મળ્યો મૃતદેહ
પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મળ્યો મૃતદેહ
ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ
ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પછી દહેગામમાં તંગદિલી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પછી દહેગામમાં તંગદિલી
પોલીસ ઘર્ષણ બાદ વીંછીયામાં કોળી-ઠાકોર સમાજનું વિરોધ પ્રદર્શન
પોલીસ ઘર્ષણ બાદ વીંછીયામાં કોળી-ઠાકોર સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">