AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : યુપીમાં કૃષ્ણાવતારમને Tax-Free જાહેર કરાઈ, બોક્સ ઓફિસ કલેક્શન 8 કરોડ રૂપિયાને પાર

કૃષ્ણાવતારમને ચાહકો ખુબ પ્રેમ આપી રહ્યા છે. જેના કારણે આ ફિલ્મે સારી એવી કમાણી કરી છે. 7 મેના રોજ સિનેમાઘરોમાં કૃષ્ણાવતારમ પાર્ટ 1 રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ખુબ પસંદ આવી હતી.

Breaking News : યુપીમાં કૃષ્ણાવતારમને Tax-Free  જાહેર કરાઈ, બોક્સ ઓફિસ કલેક્શન 8 કરોડ રૂપિયાને પાર
| Updated on: May 11, 2026 | 3:14 PM
Share

ભગવાન શ્રીકૃષ્ણની સ્ટોરી પર બનેલી ફિલ્મ કૃષ્ણાવતારમે લિમિટેડ શોએ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે મંત્રીમંડળ વિસ્તાર પછી મોટો નિર્ણય લીધો હતો.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળની સાથે લોકભવનમાં ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જીવન પર આધારિત ફિલ્મ કૃષ્ણાવતારમની સ્પેશિયલ સ્ક્રીનિંગ જોઈ હતી. ત્યારબાદ તેમણે યુપીમાં આ ફિલ્મને ટેક્સી ફી જાહેરાત કરી છે. ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ બંન્ને ડિપ્ટી સીએમ તેમજ તમામ મંત્રી સામેલ થયા હતા.

તમને જણાવી દઈએ કે, કૃષ્ણાવતારમ ફિલ્મમાં સત્યભામાનું મુખ્યપાત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલની દીકરીની દીકરી સંસ્કૃતિએ નિભાવ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ ફિલ્મના તમામ કલાકારોને સન્માનિત કર્યા હતા. યોગી આદિત્યનાથે ફિલ્મને ભારતીય પરંપરા અને આધુનિકતાને સુંદર સુંગમ બનાવતા જ કહ્યું 5 હજાર વર્ષ જૂની ઘટનાઓના નવા દ્રષ્ટિકોણ અને પ્રભાવશાળી પ્રસ્તુતિની સાથે જોવા મળી છે. પહેલા વીકએન્ડમાં 7 કરોડનું કલેક્શન થયું છે.

આ ફિલ્મ અઢી કલાક લાંબી છે

કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ અઢી કલાક લાંબી છે. આ ફિલ્મમાં ભગવાન કૃષ્ણના રાધા,રુક્મણી,જામવંતી અને સત્યભામાના સંબંધોને અલગ દર્ષ્ટિકોણથી પ્રસ્તુત કરવામાં આવી છે. ફિલ્મમાં સત્યભામાના માધ્યમથી કૃષ્ણના પ્રેમની વિવિધતાને ભવ્યતાની સાથે પડદાં પર ઉતારવામાં આવી છે. રાધાના પ્રેમને સમર્પણ, રુકમણીના પ્રેમને નિયતિ, 16 હજાર રાનીઓને રાની સન્માન અને ઈશ્વર ભક્તિના પ્રતિક રુપે દેખાડવામાં આવી છે. આ સાથે એ પણ જોવા મળ્યું છે કે, નવી પેઢીના સવાલો અને સંદેહો વચ્ચે કઈ પ્રકારની ઈશ્વરની સત્તાને સ્વીકાર કરે છે.કૃષ્ણાવતારમે પોતાના પહેલા વીકએન્ડમાં ઈન્ડિયન બોક્સ ઓફિસ પર હોલિવુડની ફિલ્મ માઈકલને ટકકર આપી હતી.

ભગવાન કૃષ્ણની સ્ટોરી લઈને આવેલી કૃષ્ણાવતારમ આ વર્ષે બોલિવુડની પહેલી સરપ્રાઈઝ હિટ બનનારી ફિલ્મ છે.ચાહકો કૃષ્ણાવતારમ ફિલ્મના ખુબ વખાણ કરી રહ્યા છે.ફિલ્મની સ્ટોરી, પાત્રો અને સંવાદો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.ફિલ્મની સ્ટોરી કાન્હા પર એક આધુનિક દ્રષ્ટિકોણ દર્શાવે છે. આ ફિલ્મને એક નવા દ્રષ્ટિકોણ સાથે બનાવવામાં આવી છે,  હવે જોવાનું રહેશે કે, આ ફિલ્મ કેટલા રેકોર્ડ તોડે છે.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">