AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: યુપીમાં ભાજપની જીત બાદ યોગી આદિત્યનાથે કહ્યું- રાજ્યમાં પરિવારવાદની રાજનીતિનો અંત આવ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર શહેરની સીટ પર 1 લાખ 2 હજાર મતોના જંગી અંતરથી જીત મેળવી છે. યુપીમાં 1 લાખથી વધુ મતોના માર્જિનથી આ બીજી મોટી જીત છે.

UP Election 2022: યુપીમાં ભાજપની જીત બાદ યોગી આદિત્યનાથે કહ્યું- રાજ્યમાં પરિવારવાદની રાજનીતિનો અંત આવ્યો
Yogi Adityanath
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:13 PM
Share

યુપી વિધાનસભાની 403 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળતી જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) લખનૌમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ (BJP) કાર્યાલયમાં હોળી જેવો માહોલ જોવા મળ્યો. કાર્યાલયમાં મુખ્યમંત્રી યોગીનું અબીલ-ગુલાલથી સ્વાગત કરવામાં આવ્યું. લખનૌના ભાજપ કાર્યાલયમાં કાર્યકરોએ જોરશોરથી ઉજવણી કરી હતી. આ દરમિયાન યુપી ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ કાર્યાલયમાં મંચ પર આવીને યોગી આદિત્યનાથે વિજયી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદ અને સુશાસનના મુદ્દે જનતાએ ભાજપને જંગી બહુમતી આપી છે. ફરી એકવાર ઉત્તર પ્રદેશની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.

સુશાસન મોડલને ઉત્તર પ્રદેશના લોકોના આશીર્વાદ મળ્યા

યોગી આદિત્યનાથે કહ્યું, શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે હું ચૂંટણી પંચ અને તેની સાથે જોડાયેલા તમામ અધિકારીઓનો આભાર માનું છું. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અમને પ્રચંડ બહુમતી મળી છે. આ માટે હું તેમનો આભારી છું. આ જીત માટે હું ભાજપ અધ્યક્ષ, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓનો આભાર વ્યક્ત કરું છું. ઉત્તર પ્રદેશની જનતાએ ભાજપના સુશાસન મોડલને આશીર્વાદ આપ્યા છે. આ સાથે પરિવારવાદનો ત્યાગ કરવામાં આવ્યો છે.

વિજય ભાષણ ‘જય શ્રી રામ’ ના નારા સાથે સમાપ્ત થયું

વિપક્ષ પર નિશાન સાધતા લખનૌ બીજેપી ઓફિસથી સીએમ યોગીએ કહ્યું, જ્યારે અમે કોરોનાના સમયગાળા દરમિયાન જનતા માટે કામ કરી રહ્યા હતા, ત્યારે આ લોકો ભાજપ વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હતા, ભાજપ ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. આપણે આપણી સંવેદનાને ઉત્સાહથી જાળવી રાખવાની છે. આપણે સામાન્ય લોકોમાં પોતાને સાબિત કરવાના છે. પીએમ મોદીના માર્ગદર્શનમાં યુપી દેશનું નંબર વન રાજ્ય બનશે. યોગી આદિત્યનાથે પોતાનું વિજય ભાષણ ‘જય શ્રી રામ’ના નારા સાથે સમાપ્ત કર્યું.

યોગીએ સપાના સુભાવતી ઉપેન્દ્ર દત્ત શુક્લાને હરાવ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર શહેરની સીટ પર 1 લાખ 2 હજાર મતોના જંગી અંતરથી જીત મેળવી છે. યુપીમાં 1 લાખથી વધુ મતોના માર્જિનથી આ બીજી મોટી જીત છે. આ પહેલા ભાજપના ધારાસભ્ય પંકજ સિંહ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની નોઈડા વિધાનસભા બેઠક પરથી એક લાખ 79 હજાર મતોથી જીત્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારની આ સૌથી મોટી જીત છે.

આ પણ વાંચો : UPમાં ફરી ખીલ્યું કમળ: નોઈડા વિધાનસભા બેઠક પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના પુત્ર પંકજ સિંહે મેળવી શાનદાર જીત

આ પણ વાંચો : Punjab Election Results 2022: કોંગ્રેસે હાર માટે કેપ્ટન અમરિંદરને જવાબદાર ઠેરવ્યા, ચિદમ્બરમે ગોવામાં હાર સ્વીકારી, સોનિયા ગાંધીએ બોલાવી બેઠક

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">