UP Election 2022: યુપીમાં ભાજપની જીત બાદ યોગી આદિત્યનાથે કહ્યું- રાજ્યમાં પરિવારવાદની રાજનીતિનો અંત આવ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર શહેરની સીટ પર 1 લાખ 2 હજાર મતોના જંગી અંતરથી જીત મેળવી છે. યુપીમાં 1 લાખથી વધુ મતોના માર્જિનથી આ બીજી મોટી જીત છે.

UP Election 2022: યુપીમાં ભાજપની જીત બાદ યોગી આદિત્યનાથે કહ્યું- રાજ્યમાં પરિવારવાદની રાજનીતિનો અંત આવ્યો
Yogi Adityanath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:13 PM

યુપી વિધાનસભાની 403 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળતી જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) લખનૌમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ (BJP) કાર્યાલયમાં હોળી જેવો માહોલ જોવા મળ્યો. કાર્યાલયમાં મુખ્યમંત્રી યોગીનું અબીલ-ગુલાલથી સ્વાગત કરવામાં આવ્યું. લખનૌના ભાજપ કાર્યાલયમાં કાર્યકરોએ જોરશોરથી ઉજવણી કરી હતી. આ દરમિયાન યુપી ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ કાર્યાલયમાં મંચ પર આવીને યોગી આદિત્યનાથે વિજયી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદ અને સુશાસનના મુદ્દે જનતાએ ભાજપને જંગી બહુમતી આપી છે. ફરી એકવાર ઉત્તર પ્રદેશની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.

સુશાસન મોડલને ઉત્તર પ્રદેશના લોકોના આશીર્વાદ મળ્યા

યોગી આદિત્યનાથે કહ્યું, શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે હું ચૂંટણી પંચ અને તેની સાથે જોડાયેલા તમામ અધિકારીઓનો આભાર માનું છું. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અમને પ્રચંડ બહુમતી મળી છે. આ માટે હું તેમનો આભારી છું. આ જીત માટે હું ભાજપ અધ્યક્ષ, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓનો આભાર વ્યક્ત કરું છું. ઉત્તર પ્રદેશની જનતાએ ભાજપના સુશાસન મોડલને આશીર્વાદ આપ્યા છે. આ સાથે પરિવારવાદનો ત્યાગ કરવામાં આવ્યો છે.

વિજય ભાષણ ‘જય શ્રી રામ’ ના નારા સાથે સમાપ્ત થયું

વિપક્ષ પર નિશાન સાધતા લખનૌ બીજેપી ઓફિસથી સીએમ યોગીએ કહ્યું, જ્યારે અમે કોરોનાના સમયગાળા દરમિયાન જનતા માટે કામ કરી રહ્યા હતા, ત્યારે આ લોકો ભાજપ વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હતા, ભાજપ ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. આપણે આપણી સંવેદનાને ઉત્સાહથી જાળવી રાખવાની છે. આપણે સામાન્ય લોકોમાં પોતાને સાબિત કરવાના છે. પીએમ મોદીના માર્ગદર્શનમાં યુપી દેશનું નંબર વન રાજ્ય બનશે. યોગી આદિત્યનાથે પોતાનું વિજય ભાષણ ‘જય શ્રી રામ’ના નારા સાથે સમાપ્ત કર્યું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

યોગીએ સપાના સુભાવતી ઉપેન્દ્ર દત્ત શુક્લાને હરાવ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર શહેરની સીટ પર 1 લાખ 2 હજાર મતોના જંગી અંતરથી જીત મેળવી છે. યુપીમાં 1 લાખથી વધુ મતોના માર્જિનથી આ બીજી મોટી જીત છે. આ પહેલા ભાજપના ધારાસભ્ય પંકજ સિંહ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની નોઈડા વિધાનસભા બેઠક પરથી એક લાખ 79 હજાર મતોથી જીત્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારની આ સૌથી મોટી જીત છે.

આ પણ વાંચો : UPમાં ફરી ખીલ્યું કમળ: નોઈડા વિધાનસભા બેઠક પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના પુત્ર પંકજ સિંહે મેળવી શાનદાર જીત

આ પણ વાંચો : Punjab Election Results 2022: કોંગ્રેસે હાર માટે કેપ્ટન અમરિંદરને જવાબદાર ઠેરવ્યા, ચિદમ્બરમે ગોવામાં હાર સ્વીકારી, સોનિયા ગાંધીએ બોલાવી બેઠક

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">