Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election Result 2022: પાકિસ્તાનમાં પણ ચર્ચામાં છે UP વિધાનસભા ચૂંટણીની મતગણતરી, યોગી આદિત્યનાથને ગણાવી રહ્યા છે ભવિષ્યના પીએમ

પાકિસ્તાનના મીડિયાનો દાવો છે કે યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીઓ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીનો માર્ગ નક્કી કરશે. આ સાથે પાકિસ્તાનનું મીડિયા યોગી આદિત્યનાથને ભાવિ પીએમ કહી રહ્યું છે.

UP Election Result 2022: પાકિસ્તાનમાં પણ ચર્ચામાં છે UP વિધાનસભા ચૂંટણીની મતગણતરી, યોગી આદિત્યનાથને ગણાવી રહ્યા છે ભવિષ્યના પીએમ
CM Yogi AdityanathImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 5:50 PM

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022)ની મત ગણતરી પર નજર ભારત ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયો રાખી રહ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાન(Pakistan)માં પણ યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી(Election)ની મતગણતરી પર નજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાની મીડિયા ખાસ કરીને યુપી ચૂંટણી પર ફોકસ કરી રહ્યું છે અને ભાજપની જીતના મોટા દાવા કરી રહ્યું છે. પાકિસ્તાનના મીડિયાનો દાવો છે કે યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીઓ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીનો માર્ગ નક્કી કરશે. આ સાથે પાકિસ્તાનનું મીડિયા યોગી આદિત્યનાથને ભાવિ પીએમ કહી રહ્યું છે.

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો દેશની રાજનીતિ પર અસર કરે છે અને આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ભારતમાં જ્યાં દેશવાસીઓ ચૂંટણી પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, પાકિસ્તાનમાં પણ મીડિયા અને રાજકારણીઓની નજર યુપી ચૂંટણી સહિત દેશના ચાર રાજ્યોના પરિણામો પર છે. જો કે અત્યાર સુધી માત્ર ચૂંટણીના વલણો જ સામે આવ્યા છે. પરંતુ પાકિસ્તાનનું મીડિયા દાવો કરી રહ્યું છે કે યુપીમાં ભાજપની સરકાર બની રહી છે અને આ ચૂંટણીઓ 2024ની સામાન્ય ચૂંટણીનું ટ્રેલર છે.

પાકિસ્તાનની સૌથી મોટી મીડિયા સંસ્થામાંની એક ‘ટ્રિબ્યુન’ લખી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપ ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં જંગી બહુમતી સાથે ફરી સત્તામાં આવી રહી છે. આ ચૂંટણીઓ 2024ની સામાન્ય ચૂંટણીઓ આગળના સંકેત આપી રહી છે. પાકિસ્તાનના મીડિયાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધન ઉત્તર પ્રદેશની 403 બેઠકોમાંથી લગભગ 250 બેઠકો પર આગળ છે અને આ આંકડો રાજ્યમાં સરકાર બનાવવા માટે પૂરતો છે.

Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

પાકિસ્તાનનું મીડિયા સીએમ યોગીને ભાવિ પીએમ પદના ઉમેદવાર કહી રહ્યું છે

જોકે, પાકિસ્તાનનું મીડિયા ભાજપની તરફેણમાં આવતા વલણો માટે રામમંદિરને પણ મોટું કારણ ગણાવી રહ્યું છે. તેઓ લખી રહ્યા છે કે મસ્જિદની જગ્યા પર મંદિર બનાવવાના કારણે હિંદુ બહુમતીએ ભાજપને મત આપ્યો છે. ધ ટ્રિબ્યુને લખ્યું છે કે મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં લોકોએ ભાજપની તરફેણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે ટ્રિબ્યુને લખ્યું છે કે યોગી આદિત્યનાથ ભાજપમાં ભાવિ વડાપ્રધાન પદના ઉમેદવાર બની શકે છે.

ભાજપની જીત માટે કલ્યાણકારી યોજનાઓ- ડોન

તે જ સમયે, પાકિસ્તાનના પ્રખ્યાત અખબારે કલ્યાણકારી યોજનાઓને યુપીના વલણનું મોટું કારણ જણાવ્યું છે. સાથે જ ડોને લખ્યું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સહયોગી દળો સાથે ચૂંટણી જીતી હતી. તે જ સમયે મોદીની લોકપ્રિયતા અને હિન્દુ મતદારોએ 2019ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપને જીત અપાવી હતી. અખબાર કહે છે કે કોવિડ -19 રોગચાળા પહેલા પણ નબળી પડી રહેલી અર્થવ્યવસ્થાને ચલાવવા માટે ભાજપ પર ભારે દબાણ છે.

જ્યારે બેરોજગારી એક મોટો મુદ્દો હતો. પરંતુ કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન અને કલ્યાણકારી યોજનાઓ દ્વારા વિકાસને પ્રોત્સાહન આપવાનું વચન આપીને ભાજપે મતદારોને આકર્ષ્યા અને હવે તે યુપીમાં સરકાર બનાવવા જઈ રહી છે. જો કે ડોન લખે છે કે હિન્દુ મતદારો પણ ભાજપની જીત પાછળ છે. આ સાથે અખબાર લખે છે કે યુપીમાં મુસ્લિમોનો ઝુકાવ સમાજવાદી પાર્ટી તરફ હતો. પરંતુ તે ચૂંટણી જીતવાની નજીક પહોંચી નથી. પરંતુ સમગ્ર સ્થિતિ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ જાણવા મળશે.

આ પણ વાંચો: પીએમ મોદીના અમદાવાદના કાર્યક્રમમાં સુરતથી ભાજપના 10 હજારથી વધુ કાર્યકરો હાજર રહેશે

આ પણ વાંચો: UP Election Result 2022 : યુપી ચૂંટણીમાં સીએમ યોગીનું ‘બુલડોઝર’ ફર્યુ, પાર્ટી સમર્થકોએ ઉજવણી શરૂ કરી

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
g clip-path="url(#clip0_868_265)">