AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Election Results 2022: કોંગ્રેસે હાર માટે કેપ્ટન અમરિંદરને જવાબદાર ઠેરવ્યા, ચિદમ્બરમે ગોવામાં હાર સ્વીકારી, સોનિયા ગાંધીએ બોલાવી બેઠક

આ સાથે કોંગ્રેસે ગોવામાં પણ પોતાની હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) નિર્ણય લીધો છે કે કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં હારની સમીક્ષા કરવામાં આવશે.

Punjab Election Results 2022: કોંગ્રેસે હાર માટે કેપ્ટન અમરિંદરને જવાબદાર ઠેરવ્યા, ચિદમ્બરમે ગોવામાં હાર સ્વીકારી, સોનિયા ગાંધીએ બોલાવી બેઠક
Sonia Gandhi - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 7:16 PM
Share

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાના પરિણામો આવી રહ્યા છે. આ પરિણામોથી કોંગ્રેસને (Congress) મોટો ફટકો પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં કોંગ્રેસનો દેખાવ પહેલા કરતા પણ ખરાબ જોવા મળી રહ્યો છે. પંજાબમાં કારમી હાર બાદ પણ કોંગ્રેસ આરોપ-પ્રત્યારોપની રાજનીતિમાં વ્યસ્ત છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ 93 સીટો જીત્યા બાદ રણદીપ સુરજેવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ હાર માટે કોંગ્રેસની નેતાગીરી કે અન્ય કોઈ નેતાને દોષી ઠેરવ્યા ન હતા, પરંતુ હાર માટે કેપ્ટન અમરિન્દર સિંહને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ સાડા ચાર વર્ષ પંજાબના સીએમ હતા અને જનતા તેમનાથી નારાજ હતી.

આ સાથે કોંગ્રેસે ગોવામાં પણ પોતાની હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) નિર્ણય લીધો છે કે કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં હારની સમીક્ષા કરવામાં આવશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો કોંગ્રેસની અપેક્ષાઓ વિરુદ્ધ છે.

અમે ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં સારા પરિણામોની અપેક્ષા રાખી હતી, પરંતુ અમે સ્વીકારીએ છીએ કે અમે લોકોના આશીર્વાદ મેળવવામાં નિષ્ફળ ગયા. અમે AAP અને ભગવંત માનને પંજાબ માટે અભિનંદન પાઠવીએ છીએ.

સોનિયા ગાંધીએ કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક બોલાવી

ANI ન્યૂઝ અનુસાર, રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમે ગોવા અને ઉત્તરાખંડમાં પૂરી તાકાતથી લડ્યા, પરંતુ જનતાને મનાવી શક્યા નહીં. અમે ધાર્મિક મુદ્દાઓ સિવાય પ્રજાના મુદ્દા પર ચૂંટણી લાવવાના સતત પ્રયાસ કર્યા છે. શિક્ષણ, આરોગ્યથી લઈને દરેક બાબતમાં અમે સંપૂર્ણ ધ્યાન આપ્યું છે, પરંતુ ભાવનાત્મક મુદ્દાઓ લોકો પર પ્રભુત્વ ધરાવે છે.

અમે ચૂંટણી જીતીએ કે હારીએ, પરંતુ અમે લોકોના મુદ્દાઓ પર કામ કરવાનું ચાલુ રાખીશું. અમે આત્મનિરીક્ષણ કરીશું અને હારના કારણો પર વિચાર કરીશું. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય કર્યો છે કે કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં હારની સમીક્ષા કરવામાં આવશે.

કોંગ્રેસે ગોવામાં પણ હાર સ્વીકારી

ANI ન્યૂઝ અનુસાર, કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું, ગોવાના લોકોના આદેશને સ્વીકારે છે. અમારા ઉમેદવારો સારી રીતે લડ્યા અને અમારા 11 ઉમેદવારો અને સાથી પક્ષના એક સભ્ય જીત્યા. ગોવાના લોકોએ ભાજપને જીતાડ્યો છે જેને અમે સ્વીકારીએ છીએ.

આ પણ વાંચો : Punjab Election Results: કોંગ્રેસ માટે આંતરકલેહ બન્યુ હારનું કારણ! સિદ્ધુએ કહ્યું- ‘લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે’, AAPને અભિનંદન

આ પણ વાંચો : Punjab Election Results 2022: 5 રાજ્યોમાં પ્રથમ સીટ પર પરિણામ આવ્યું, ભાજપના ઉમેદવાર અશ્વિની શર્મા પંજાબના પઠાણકોટથી જીત્યા

Follow Us
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">