AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab election: મતદાન પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પાર્ટીના કાઉન્સેલર્સ સહિત ઘણા નેતાઓ AAPમાં જોડાયા

ગઈકાલે અમૃતસરના મેયર કરમજીત સિંહ AAP પાર્ટીમાં સામેલ થયા હતા. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં સભ્યપદ લીધું.

Punjab election: મતદાન પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પાર્ટીના કાઉન્સેલર્સ સહિત ઘણા નેતાઓ AAPમાં જોડાયા
Congress counsellors join AAP (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 12:45 PM
Share

Punjab election: પંજાબ વિધાનસભાની ચૂંટણીને (Punjab Assembly Election) માત્ર ત્રણ દિવસ બાકી છે. તેની વચ્ચે કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદને કારણે નેતાઓની ફેરબદલ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે પંજાબમાં અમૃતસર કોંગ્રેસના કાઉન્સિલર પ્રિયંકા શર્મા, (Priyanka Sharma) મનદીપ આહુજા, ગુરજીત કૌર પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમૃતસરના મેયર કરમજીત સિંહ (Karamjit Singh) પાર્ટીમાં સામેલ થયા હતા. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) હાજરીમાં સભ્યપદ લીધું હતુ.

મેયર કરમજીત સિંહ અમૃતસર નોર્થનો મોટો ચહેરો

અમૃતસરના મેયર કરમજીત સિંહ રિન્ટુએ AAPમાં જોડાયા બાદ કહ્યુ હતુ કે, હું ખૂબ જ ખુશ છું. તેણે કહ્યું કે મારું આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવું પંજાબીઓ માટે સારું રહેશે. ઉલ્લેખનીય છે કે, રિન્ટુ અમૃતસર નોર્થનો મોટો ચહેરો છે. 2012ની ચૂંટણીમાં રિન્ટુને અમૃતસર ઉત્તરથી અનિલ જોશી સામે ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ કરમજીત સિંહ રિન્ટુનો પરાજય થયો હતો.

કરમજીત સિંહ રિન્ટુ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સુનીલ દત્તીની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે, કારણ કે રિન્ટુનો ઘણો મજબૂત આધાર છે, તેથી AAPના ઉમેદવાર કુંવર વિજય પ્રતાપ સિંહને તેનો સીધો ફાયદો મળવાનો છે. જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો આ વખતે ઉત્તરીય સેગમેન્ટમાં SADના અનિલ જોશી અને AAPના ઉમેદવાર કુંવર વિજય પ્રતાપ વચ્ચે મુકાબલો છે. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ અશ્વિની પપ્પુ અને વરિષ્ઠ નેતા રંજન અગ્રવાલ પણ દાતીના ચૂંટણી પ્રચારથી દૂર છે. જો કે, મંગળવારે બટાલા રોડ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન આ બંને નેતાઓ ચોક્કસપણે દેખાયા હતા.

AAPનો દાવો: ચન્ની ભદોર અને શ્રી ચમકૌર સાહિબથી હાર્યા

આ પહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને AAPના નેતા ભગવંત માને દાવો કર્યો હતો કે તેઓએ શ્રી ચમકૌર સાહિબ અને ભદૌરમાં સર્વે કરાવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે CM ચરણજીત સિંહ ચન્ની બંને સીટો પર હારી રહ્યા છે. તેમના દાવા બાદ કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે.

આ પણ વાંચો : કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ : BJPમાં જોડાવાના મામલે ભડક્યા કોંગ્રેસ નેતા મનીષ તિવારી, આપ્યુ આ મોટુ નિવેદન

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">