AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીના પંજાબ પ્રવાસ પહેલા રાજકારણ ગરમાયું, કેજરીવાલે કોંગ્રેસ પર કર્યો પલટવાર, કહ્યું- વડાપ્રધાનની સુરક્ષા પર રાજકારણ ન થવું જોઈએ

Punjab Election 2022: જાન્યુઆરી 2022 માં ફિરોઝપુર મુલાકાત દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ગંભીર ક્ષતિ જોવા મળી હોવાથી કોંગ્રેસ સાંસદની ટિપ્પણીઓ એક મોટો વિવાદ ઊભો કરવા માટે તૈયાર છે.

PM મોદીના પંજાબ પ્રવાસ પહેલા રાજકારણ ગરમાયું, કેજરીવાલે કોંગ્રેસ પર કર્યો પલટવાર, કહ્યું- વડાપ્રધાનની સુરક્ષા પર રાજકારણ ન થવું જોઈએ
Arvind Kejriwal - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 11:00 PM
Share

Punjab Election 2022: કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ (Ravneet Singh Bittu) એ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ હેલિકોપ્ટર અથવા પ્લેન દ્વારા પંજાબની મુલાકાત લેવી જોઈએ કારણ કે જો તેઓ રાજ્યમાં રોડ દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરશે તો તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) તેમના નિવેદન પર પલટવાર કર્યો. સીએમ કેજરીવાલે શનિવારે અમૃતસરમાં કહ્યું કે પંજાબ સરહદી રાજ્ય છે. રાજ્યની સુરક્ષાની દૃષ્ટિએ સરહદ નાજુક છે, તેથી વડાપ્રધાનની સુરક્ષા કે આંતરિક સુરક્ષા પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. જો તે કરે તો તે યોગ્ય નથી.

પંજાબમાં પીએમ મોદીની આગામી રેલીઓ પર ટિપ્પણી કરતા, બિટ્ટુએ કહ્યું હતું કે વડાપ્રધાને હવાઈ માર્ગે આવવું જોઈએ કારણ કે રાજ્યના લોકો એ ભૂલ્યા નથી કે તેમણે એક વર્ષથી વધુ સમય રસ્તાઓ પર વિતાવ્યો છે. કોંગ્રેસ નેતા દિલ્હીની સરહદો પર ખેડૂતો દ્વારા વર્ષભરના વિરોધનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યાં પંજાબના સેંકડો ખેડૂતોએ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી આંદોલન કર્યું હતું.

જાન્યુઆરી 2022 માં ફિરોઝપુરની મુલાકાત દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ગંભીર ક્ષતિ જોવા મળી હોવાથી કોંગ્રેસ સાંસદની ટિપ્પણી એક મોટો વિવાદ ઉભો કરશે તે નિશ્ચિત છે. વડાપ્રધાનનો કાફલો ફિરોઝપુરના ફ્લાયઓવર પર લગભગ 15-20 મિનિટ સુધી અટવાયો હતો. પીએમ મોદીની પંજાબ મુલાકાત દરમિયાન કથિત સુરક્ષા ઉલ્લંઘનની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રાના નેતૃત્વમાં પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરી છે.

સિદ્ધુને સુપર સીએમનું પદ આપવામાં આવશેઃ બિટ્ટુ

કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ચરણજીત સિંહ ચન્ની (CM Charanjit Singh Channi) ને લઈને શબ્દયુદ્ધ ચાલુ છે. બિટ્ટુએ કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Siddhu) જો તેમની પાર્ટી ફરી સત્તામાં આવશે તો તેમને “સુપર સીએમ” (Super CM) પદ આપવામાં આવશે. ગયા અઠવાડિયે, રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે ચન્ની 2022 માં આવનારી પંજાબ ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. ચન્ની અને સિદ્ધુ બંનેએ ટોચના નેતૃત્વને પંજાબની ચૂંટણી પહેલા સીએમ ચહેરાની જાહેરાત કરવા કહ્યું હતું.

કોંગ્રેસે તાજેતરમાં પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રબંધન સમિતિના વડા તરીકે લોકસભાના સભ્ય રવનીત સિંહ બિટ્ટુની નિમણૂક કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બિટ્ટુની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પંજાબ વિધાનસભાની તમામ 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. મતગણતરી 10 માર્ચે થશે.

આ પણ વાંચો: ચન્નીજી ગરીબ કેવી રીતે બન્યા? બેંક ખાતામાં જ 133 કરોડ મળી જશે, સિદ્ધુની પુત્રીએ પંજાબના મુખ્યમંત્રી પર કર્યો પ્રહાર

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">