Punjab Assembly Election 2022 : જાણો ક્યાંથી લડશે પૂર્વ સીએમ કેપ્ટન Amarinder Singh, પંજાબ લોક કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની આગેવાની હેઠળ પંજાબ લોક કોંગ્રેસ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. 22 ઉમેદવારોમાંથી બે માઝાના, ત્રણ દોઆબાના અને 17 માલવા પ્રદેશના છે.
Former Punjab CM Captain Amarinder Singh (File Image)
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની (Captain Amarinder Singh) આગેવાની હેઠળની પંજાબ લોક કોંગ્રેસે (Punjab Lok Congress) પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માટે 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. 22 ઉમેદવારોમાંથી બે માઝાના, ત્રણ દોઆબાના અને 17 માલવા પ્રદેશના છે. પાર્ટીની આગામી યાદી બે દિવસમાં જાહેર થાય તેવી શક્યતા છે. આ પ્રથમ યાદીમાં આઠ જાટ શીખ છે. આ સિવાય ચાર ઉમેદવારો એસસી સમુદાયના છે, ત્રણ ઓબીસી સમુદાયના છે જ્યારે પાંચ હિંદુ ચહેરાઓ છે. પંજાબમાં (Punjab) આ વખતે કેપ્ટન અમરિંદર સિંહ ભાજપ અને શિરોમણી અકાલી દળ(સંયુક્ત) સાથે મેદાનમાં છે. ભાજપે(BJP) તેના 35 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
Punjab Polls | Out of 22 candidates- 2 candidates from Majha, 3 from Doaba and 17 from Malwa region. The second list is likely to be released in two days: Punjab Lok Congress’ Captain Amarinder Singh pic.twitter.com/AH6t54CeI8
પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, જિલ્લા કોંગ્રેસ સમિતિ લુધિયાણાના પૂર્વ અધ્યક્ષ અને પીએલસીના વર્તમાન જિલ્લા અધ્યક્ષ જગમોહન શર્મા લુધિયાણા પૂર્વથી ચૂંટણી લડશે. અકાલી દળની સરકારમાં સહકાર મંત્રીના પુત્ર સતીન્દરપાલ સિંહ તાજપુરીને લુધિયાણા દક્ષિણ બેઠક પરથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લુધિયાણાના ભૂતપૂર્વ વરિષ્ઠ ડેપ્યુટી મેયર અને માનસાના ભૂતપૂર્વ અકાલી દળના ધારાસભ્ય પ્રેમ મિત્તલ આત્માનગરથી ચૂંટણી લડશે જ્યારે દમનજીત સિંહ મોહીને ડાખા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય અમરિંદર સિંહ પટિયાલાથી મેદાનમાં ઉતરશે.
કેપ્ટને ગયા વર્ષે નવા રાજકીય પક્ષની જાહેરાત કરી હતી
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગયા વર્ષે નવેમ્બરમાં પંજાબ લોક કોંગ્રેસ નામની તેમની નવી રાજકીય પાર્ટીના નામની જાહેરાત કરી હતી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે રાજકીય ઘર્ષણ બાદ અમરિંદર સિંહે સપ્ટેમ્બરમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. પ્રથમ યાદીના ઉમેદવારોની જાહેરાત બાદ અમરિંદર સિંહે જાહેરાત કરી છે કે તેઓ નવજોત સિંહ સિદ્ધુને જીતવા દેશે નહીં.