AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Assembly Election 2022 : જાણો ક્યાંથી લડશે પૂર્વ સીએમ કેપ્ટન Amarinder Singh, પંજાબ લોક કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની આગેવાની હેઠળ પંજાબ લોક કોંગ્રેસ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. 22 ઉમેદવારોમાંથી બે માઝાના, ત્રણ દોઆબાના અને 17 માલવા પ્રદેશના છે.

Punjab Assembly Election 2022 : જાણો ક્યાંથી લડશે પૂર્વ સીએમ કેપ્ટન Amarinder Singh, પંજાબ લોક કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 4:42 PM
Share

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની (Captain Amarinder Singh) આગેવાની હેઠળની પંજાબ લોક કોંગ્રેસે (Punjab Lok Congress) પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માટે 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. 22 ઉમેદવારોમાંથી બે માઝાના, ત્રણ દોઆબાના અને 17 માલવા પ્રદેશના છે. પાર્ટીની આગામી યાદી બે દિવસમાં જાહેર થાય તેવી શક્યતા છે. આ પ્રથમ યાદીમાં આઠ જાટ શીખ છે. આ સિવાય ચાર ઉમેદવારો એસસી સમુદાયના છે, ત્રણ ઓબીસી સમુદાયના છે જ્યારે પાંચ હિંદુ ચહેરાઓ છે. પંજાબમાં (Punjab) આ વખતે કેપ્ટન અમરિંદર સિંહ ભાજપ અને શિરોમણી અકાલી દળ(સંયુક્ત) સાથે મેદાનમાં છે. ભાજપે(BJP) તેના 35 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

પટિયાલાથી લડશે કેપ્ટન અમરિંદર સિંહ

પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, જિલ્લા કોંગ્રેસ સમિતિ લુધિયાણાના પૂર્વ અધ્યક્ષ અને પીએલસીના વર્તમાન જિલ્લા અધ્યક્ષ જગમોહન શર્મા લુધિયાણા પૂર્વથી ચૂંટણી લડશે. અકાલી દળની સરકારમાં સહકાર મંત્રીના પુત્ર સતીન્દરપાલ સિંહ તાજપુરીને લુધિયાણા દક્ષિણ બેઠક પરથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લુધિયાણાના ભૂતપૂર્વ વરિષ્ઠ ડેપ્યુટી મેયર અને માનસાના ભૂતપૂર્વ અકાલી દળના ધારાસભ્ય પ્રેમ મિત્તલ આત્માનગરથી ચૂંટણી લડશે જ્યારે દમનજીત સિંહ મોહીને ડાખા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય અમરિંદર સિંહ પટિયાલાથી મેદાનમાં ઉતરશે.

કેપ્ટને ગયા વર્ષે નવા રાજકીય પક્ષની જાહેરાત કરી હતી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગયા વર્ષે નવેમ્બરમાં પંજાબ લોક કોંગ્રેસ નામની તેમની નવી રાજકીય પાર્ટીના નામની જાહેરાત કરી હતી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે રાજકીય ઘર્ષણ બાદ અમરિંદર સિંહે સપ્ટેમ્બરમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. પ્રથમ યાદીના ઉમેદવારોની જાહેરાત બાદ અમરિંદર સિંહે જાહેરાત કરી છે કે તેઓ નવજોત સિંહ સિદ્ધુને જીતવા દેશે નહીં.

આ પણ વાંચો:

Parakram Diwas 2022: PM Modiએ સુભાષચંદ્ર બોઝને આપી શ્રદ્ધાંજલિ, સંસદના સેન્ટ્રલ હોલમાં નેતાજીને યાદ કરાયા

આ પણ વાંચો:

UP Assembly Election: સમાજવાદી પાર્ટીએ 30 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર , જાણો ભાજપ-આપએ કોને સ્થાન આપ્યું?

Follow Us
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
g clip-path="url(#clip0_868_265)">