AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હતી પ્રશાંત કિશોરની એ ભવિષ્યવાણી? જેમા PK એ કહ્યુ હતુ લખીને રાખો… નહીં તો છોડી દઈશ રાજનીતિ

પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજનું પ્રદર્શન બિહારમાં અત્યંત નિરાશાજનક રહ્યુ છે. તેમની પાર્ટી તમામ બેઠકો પર પાછળ ચાલી રહી છે. આ તમામ વચ્ચે હવે તેમના રાજનીતિક ભવિષ્યને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

શું હતી પ્રશાંત કિશોરની એ ભવિષ્યવાણી? જેમા PK એ કહ્યુ હતુ લખીને રાખો... નહીં તો છોડી દઈશ રાજનીતિ
| Updated on: Nov 14, 2025 | 3:50 PM
Share

પ્રશાંત કિશોર માટે બિહારની વિધાનસભા ચૂંટણી એક રાજકીય દુર્ઘટના સાબિત થઈ છે. તેમની પાર્ટી જનસુરાજને ગેમ ચેન્જરની સાથે-સાથે ત્રિપાંખીયા જંગનો દાવેદાર ગણવામાં આવતી હતી. પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીની જાણે પાળ પીટાઈ ગઈ છે. બિહારની 243 સીટોમાંથી એક પણ સીટ પર પીકેની પાર્ટી આગળ નથી ચાલી રહી. તેમના તમામ ઉમેદવારોની સ્થિતિ ખરાબ છે. બિહારની રાજધાની પટનાની કુમ્હરાર સીટ પર તો તેમની જીતની પ્રબળ દાવેદારી કરાઈ રહી હતી પરંતુ આ સીટ પર પણ પીકેની પાર્ટી ત્રીજા નંબર ચાલી રહી છે.

PKનો મોટો દાવો, જેડીયુ 25 બેઠકો પર સમેટાઈ જશે?

જ્યારે એનડીએ ગઠબંધન બિહાર ચૂંટણીમાં જંગી જીત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે પ્રશાંત કિશોરના બોલ્ડ નિવેદનોની હવે ચર્ચા થઈ રહી છે. હકીકતમાં, પ્રશાંત કિશોરે ચૂંટણી પહેલા દાવો કર્યો હતો કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી, જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) 25 થી વધુ બેઠકો જીતી શકશે નહીં. પીકેએ દાવો કર્યો હતો કે જો નીતિશ કુમારની પાર્ટી 25 થી વધુ બેઠકો જીતશે, તો તેઓ રાજનીતિ છોડી દેશે. આવી સ્થિતિમાં, હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું પ્રશાંત કિશોર પોતાના શબ્દ પર અડગ રહેશે અને રાજકારણમાંથી નિવૃત્તિ લેશે. પીકેએ તેમની પાર્ટી, જનસુરાજ માટે સંભવિત બેઠકોની સંખ્યા પણ જાહેર કરી. તેમણે કહ્યું કે તેમની પાર્ટી કાં તો 150 થી વધુ બેઠકો જીતશે અથવા 10 થી પણ ઓછી બેઠકો જીતશે.

પ્રશાંત કિશોરે ભવિષ્ય વિશે શું કહ્યું?

એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં સહિત અનેક જાહેર સભાઓમાં, પ્રશાંત કિશોરે કહ્યું હતું કે જેડીયુ 25 થી ઓછી બેઠકો જીતશે. જો આ સાચું નહીં પડે, તો તેઓ (પ્રશાંત કિશોર) રાજકારણ છોડી દેશે. તેમણે કહ્યું હતું કે, “લેખિતમાં લો, કોઈપણ સંજોગોમાં એનડીએ સરકાર નહીં બને. નવેમ્બર પછી નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી નહીં રહે. બિહારમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે.” દરમિયાન, એક ટીવી ચેનલના એન્કરે તેમને પૂછ્યું કે જો જેડીયુ 25 થી વધુ બેઠકો જીતે તો પ્રશાંત કિશોર રાજકારણ છોડી દેશે. પીકેએ બે વાર કહ્યું કે જો તેમની ભવિષ્ટવાણી ખોટી સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે. તેમણે એમ પણ કહ્યું કે જો જનસુરાજ જીતે અને જેડીયુ વિશેની તેમની આગાહી સાચી ન પડે, તો પણ તેઓ રાજકારણ છોડી દેશે.

1985 પછી ક્યારેય વિધાનસભાની ચૂંટણી ન લડનારા નીતિશ કુમાર કેવી રીતે બન્યા બિહારના મુખ્યમંત્રી?

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">