AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh Elections Exit Poll Results 2024: યુપીની 80 બેઠકોનો સૌથી સચોટ એક્ઝિટ પોલ, જાણો ભાજપ અને વિપક્ષી પાર્ટીને કેટલી મળશે બેઠક ?

લોકસભા ચૂંટણી 2024માં મતદાનનો અંતિમ તબક્કો આજે પૂરો થયા બાદ, TV9 દ્વારા એક્ઝિટ પોલના અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલ યુપીની તમામ 80 લોકસભા બેઠકો માટે સીટની જાણકારી તમને આપશે, જો કે, અંતિમ પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.

Uttar Pradesh Elections Exit Poll Results 2024: યુપીની 80 બેઠકોનો સૌથી સચોટ એક્ઝિટ પોલ, જાણો ભાજપ અને વિપક્ષી પાર્ટીને કેટલી મળશે બેઠક ?
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Jun 01, 2024 | 8:39 PM
Share

4 મેના પરિણામો પહેલાં, TV9 તમને પીપલ્સ ઈનસાઈટ, પોલ્સસ્ટ્રેટ અને ટીવી9ના સહયોગથી બનાવેલ સૌથી વિશ્વસનીય એક્ઝિટ પોલ જણાવવા જઈ રહ્યું છે, જેમાં દરેક ડેટાની ખાતરી આપવામાં આવે છે. TV9-પીપલ્સ ઈનસાઈટ, પોલ્સ્ટ્રેટના સર્વેમાં આશરે 1 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.

જેમાં IVR દ્વારા લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને રેન્ડમ નંબર જનરેટર દ્વારા કોલ કરવામાં આવ્યા હતા. અમે 543 લોકસભા સીટો પર સર્વે કર્યો અને લોકસભા સીટ હેઠળ આવતી દરેક વિધાનસભા સીટ પરથી સેમ્પલ લેવામાં આવ્યા.

ભાજપ કરતા NDAને વધારે બેઠકો મળી

ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર TV9 દ્વારા કરવામાં આવેવા સર્વે પ્રમાણે 80માંથી ભાજપને 58 બેઠકો મળી શકે છે, જ્યારે NDAને 62 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 3 બેઠકો અને INDIA ગઠબંધનને 18 બેઠક મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં મોટા ચહેરાની વાત કરીએ તો પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત સ્મૃતિ ઈરાની પણ મેદાને છે.

2019માં ભાજપને 49.6 ટકા વોટ મળ્યા હતા

જો આપણે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2019ના વોટ શેર પર નજર કરીએ તો ભાજપને 49.6 ટકા વોટ મળ્યા હતા. બીએસપી બીજા સ્થાને હતી, જેને 19.3 ટકા વોટ મળ્યા હતા અને ત્રીજા સ્થાને એસપી હતી, જેને 18 ટકા વોટ મળ્યા હતા.

સાંજે 5 વાગ્યા સુધી 54 ટકા મતદાન થયું

ઉત્તર પ્રદેશમાં સાતમા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 54 ટકા મતદાન થયું છે. બલિયામાં 50.56 ટકા, બાંસગાંવમાં 50.06 ટકા, દેવરિયામાં 54.13 ટકા, ગાઝીપુરમાં 53.19 ટકા, ગોરખપુરમાં 52.53 ટકા, મહારાજગંજમાં 58.66 ટકા, મિર્ઝાપુરમાં 54.25 ટકા, સલેમપુરમાં 54.58 ટકા મતદાન થયું છે.

યુપીમાં સાત તબક્કામાં મતદાનની ટકાવારી કેટલી રહી?

ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી દરમિયાન તમામની નજર મતદાનની ટકાવારી પર ટકેલી હતી. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં 61.11 ટકા, બીજા તબક્કામાં 55.19 ટકા, ત્રીજા તબક્કામાં 57.55 ટકા, ચોથા તબક્કામાં 58.22 ટકા, પાંચમાં તબક્કામાં 58.02 ટકા અને છઠ્ઠા તબક્કામાં 63.37 ટકા મતદાન થયું હતું. સાતમા તબક્કાના મતદાનની સ્પષ્ટ ટકાવારી હજુ જાણી શકાઈ નથી.

આ પણ વાંચો: Gujarat Elections Exit Poll Results 2024 : ભાજપનો ગુજરાત ‘ગઢ’, એક્ઝિટ પોલમાં કોંગ્રેસનો ફરી સફાયો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">