AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“PM મોદી અને અમિત શાહે શેરબજારને લઈને નિવેદનો કેમ કર્યા?” રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ, બંને સામે તપાસની કરી માગ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે શેરબજારને લઈને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યુ કે પહેલીવાર અમે નોંધ્યુ છે કે ચૂંટણી સમયે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અને નાણાંમંત્રીએ શેર બઝારને લઈને ટિપ્પણી કરી. પ્રધાનમંત્રીએ બે-ચાર વાર કહ્યુ હતુ કે શેર બજાર ઝડપથી ઉંચે આવવાનું છે.

PM મોદી અને અમિત શાહે શેરબજારને લઈને નિવેદનો કેમ કર્યા? રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ, બંને સામે તપાસની કરી માગ
Follow Us:
| Updated on: Jun 06, 2024 | 7:14 PM

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર શેરબજારને લઈને પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભાજપને ખબર હતી કે 4 જૂને શું થશે. આ જ કારણ હતું કે ભાજપના સૌથી મોટા નેતાઓએ લોકોને શેરબજારમાં રોકાણ કરવા કહ્યું. આની તપાસ થવી જોઈએ.

રાયબરેલી અને વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પહેલીવાર નોંધ્યું કે ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી. વડાપ્રધાને એક-બે વખત કહ્યું કે શેરબજાર ઝડપથી આગળ વધશે. તેમના સંદેશને નાણામંત્રી અને ગૃહમંત્રીએ પણ આગળ ધપાવ્યો હતો. ગૃહમંત્રીએ તો 4 જૂન પહેલા શેર ખરીદવાનું કહ્યું હતું. વડાપ્રધાને પણ તે જ કહ્યું અને 28 મેના રોજ તેનું ફરી એ જ કહ્યુ.

‘તેઓ જાણતા હતા કે પૂર્ણ બહુમત નહીં મળે’

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના સૌથી મોટા નેતાઓએ રિટેલ રોકાણકારોને સંદેશ આપ્યો. તેમની પાસે જાણકારી હતી કે ભાજપને પૂર્ણ બહુમતી નહીં મળે. તેને ખબર હતી કે 3-4 જૂને શું થવાનું છે. 30 લાખ કરોડનું નુકસાન થયું છે. હજાર લાખો કરોડ રૂપિયાનો અમુક પસંદગીના લોકોને ફાયદો થયો છે. અમે વડાપ્રધાન, ગૃહમંત્રી અને એક્ઝિટ પોલ કરાવનારાઓ સામે તપાસની માંગ કરીએ છીએ.

ઘરના મુખ્ય દરવાજા પાસે કચરાની ડોલ મુકવી યોગ્ય છે કે નહીં? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
છાશમાં સંચળ નાખીને પીવું જોઈએ કે સાદું મીઠું? નિષ્ણાતો પાસેથી જાણો
ક્રિકેટર રોહિત શર્માની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
આજનું રાશિફળ તારીખ : 30-04-2025
IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી

‘આ સ્ટોક બઝાર સૌથી મોટું કૌભાંડ છે’

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના આંતરિક સર્વેમાં 220 બેઠકો મળી રહી છે. પરંતુ, એક્ઝિટ પોલમાં વધુ બેઠકો જોવા મળી હતી. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ શા માટે પાંચ કરોડ રોકાણકારોને શેર ખરીદવાની સલાહ આપી? આનો ફાયદો ઉઠાવી રહેલા વિદેશી રોકાણકારો કોણ છે? આ સ્ટોક બજાર સૌથી મોટું કૌભાંડ છે. આની તપાસ માટે જેપીસીની રચના થવી જોઈએ.

હવે પહેલા જેવી સ્થિતિ નથી : કોંગ્રેસ સાંસદ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ મામલે સરકાર પર દબાણ બનાવીશું. જેપીસી તપાસની માંગ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જે રીતે કામ કરતા હતા તે રીતે કામ કરી શકશે નહીં કારણ કે હવે પહેલા જેવી સ્થિતિ રહી નથી. કોંગ્રેસ માત્ર સરકારની વાત નથી કરતી. સ્ટોક માર્કેટમાં દેશના કરોડો લોકોને નુકસાન થયું છે.

આ પણ વાંચો: Elon Musk એ X પર પોર્ન વીડિયોઝ અપલોડ કરવાની આપી મંજૂરી- શું આ નિર્ણય બાદ X ને ભારતમાં કરાશે બેન?- વાંચો

g clip-path="url(#clip0_868_265)">