Gujarat Election 2022: સૌરાષ્ટ્રમાં નથી જામતો ચૂંટણી માહોલ, ઉમેદવારોની વધી રહી છે ચિંતા, જાણો શું હોઇ શકે છે કારણ

સૌરાષ્ટ્રમાં હવે ગણતરીના કલાકો જ પ્રચારના બાકી છે. આમ તો ચૂંટણીની જાહેરાતને 23 કરતા વધુ દિવસો થઇ ગયા છે. પરંતુ સૌરાષ્ટ્રની વિધાનસભાની 48 જેટલી બેઠકોમાં ગ્રામ્ય વિસ્તારોને બાદ કરતા ચૂંટણીનો માહોલ જામતો નથી.

Gujarat Election 2022: સૌરાષ્ટ્રમાં નથી જામતો ચૂંટણી માહોલ, ઉમેદવારોની વધી રહી છે ચિંતા, જાણો શું હોઇ શકે છે કારણ
Gujarat Election 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 1:31 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :  સૌરાષ્ટ્રમાં હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીના મેદાને રાજકીય પક્ષો જોરશોરથી કુદી પડ્યા છે. છતાં આ વખતની ચૂંટણીમાં રાજકીય માહોલ બરાબર જામ્યો નથી. ચૂંટણી નિરસ જોવા મળી રહી છે. નેતાઓની સભાઓમાં ખુરશીઓ ખાલી રહે છે તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી મોટી સભાઓ કરવાનું જ ટાળી રહ્યા છે. જેના કારણે ઉમેદવારની ચિંતા વધી ગઇ છે. જો કે સવાલ એ છે કે આખરે અહીં ચૂંટણીનો માહોલ કેમ નથી જામી રહ્યો. અથવા હવે બદલાઇ અહીં લોકોનો મિજાજ ગયો છે.

સૌરાષ્ટ્રમાં હવે ગણતરીના કલાકો જ પ્રચારના બાકી છે. આમ તો ચૂંટણીની જાહેરાતને 23 કરતા વધુ દિવસો થઇ ગયા છે. પરંતુ સૌરાષ્ટ્રની વિધાનસભાની 48 જેટલી બેઠકોમાં ગ્રામ્ય વિસ્તારોને બાદ કરતા ચૂંટણીનો માહોલ જામતો નથી. છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવ્યું છે કે દિગ્ગજ નેતાઓની સભાઓમાં પણ ખુરશીઓ ખાલી રહે છે. લોકો સભામાં આવવાનું ટાળી રહ્યા છે જેના કારણે રાજકીય પક્ષોની ચિંતામાં ખુબ જ વધારો થયો છે.

ગુજરાત ચૂંટણી 2022: ચૂંટણીમાં લોકોની નિરસતાના કારણો

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો ચૂંટણી નિરસ થવાના કેટલાક કારણો છે. લોકોએ પોતાનું મન બનાવી લીધું છે. આ ચૂંટણીમાં કોને મત આપવો છે તેનો નિર્ણય લોકોએ લઇ લીધો છે. જેથી હવે તેઓ સભા રેલી,રોડ શો થી દૂર થઇ રહ્યા છે. એક સાથે અનેક સભાઓ-પહેલા કોઇ રાષ્ટ્રીય નેતાઓ બે ત્રણ જિલ્લા વચ્ચે એક સભા કરતા હતા જેના કારણે સભાઓમાં માણસો જોવા મળતા હતા, પરંતુ આ વખતે ભાજપે કાર્પેટ કોમ્બીંગ પ્રચાર કરતા દરેક વિધાનસભામાં મોટા નેતાઓની સભા થઇ રહી છે. જેથી લોકો મર્યાદિત એકઠા થઇ રહ્યા છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

ગુજરાત ચૂંટણી 2022: એન્ટિ ઇન્કમબન્સી પણ હોઇ શકે એક કારણ

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો જ્યારે સરકાર સામે એન્ટિ ઇન્કમબન્સી હોય ત્યારે પણ લોકો મૌન થઇ જતા હોય છે અને પોતાનો મત આપીને પોતાની નારાજગી વ્યક્ત કરતા હોય છે. ભાજપ દ્વારા પ્રચારનો અતિરેક કરવામાં આવ્યો છે. જેની સામે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચારથી દુર છે. રાહુલ ગાંધી એક દિવસ આવીને બે ચૂંટણી પ્રચાર કર્યા. પરંતુ હવે ક્યારે આવશે તે નક્કી નથી,બીજી તરફ ચૂંટણી જાહેર થયા પહેલા આમ આદમી પાર્ટી જે રીતે સક્રિય જોવા મળી હતી તે ચૂંટણી પછી ગુમ થઇ ગઇ છે અને તેની સભાઓ મર્યાદિત થઇ ગઇ છે.

સામાન્ય રીતે ચૂંટણી જાહેર થયા બાદ ચોકે ચોકે ચૂંટણીની જ ચર્ચા હોય છે પરંતુ આ વખતની સ્થિતિ અલગ છે. પહેલી વખત ભાજપ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ સક્રિય રીતે પ્રચાર કરી રહી છે. છતાં લોકોમાં કોઇ ખાસ ઉત્સાહ નથી. ત્યારે હવે સવાલ એ છે કે શું આ શાંતિ ચૂંટણીના પરિણામમાં કોઇ તોફાન લાવશે.

(વિથ ઇનપુટ-મોહિત ભટ્ટ, રાજકોટ)

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">