ધનતેરસથી લઈ ભાઈ બીજ સુધીના દિવાળીના તહેવારોની તારીખ અને શુભ મુહૂર્ત

દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. જેમાં ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને ભાઈ બીજનો સમાવેશ થાય છે. આ દિવસોમાં સૌથી ખાસ દિવાળીને માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે શુભ મુહૂર્ત કયા કયા છે. વાઘ બારસ વાઘ બારસના દિવસે મંદિરોમાં વિશેષે પૂજા વિધિ અને દર્શન થાય છે. આ વર્ષે આસો વદ બારસ […]

ધનતેરસથી લઈ ભાઈ બીજ સુધીના દિવાળીના તહેવારોની તારીખ અને શુભ મુહૂર્ત
Follow Us:
| Updated on: Nov 11, 2020 | 8:46 PM

દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. જેમાં ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને ભાઈ બીજનો સમાવેશ થાય છે. આ દિવસોમાં સૌથી ખાસ દિવાળીને માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે શુભ મુહૂર્ત કયા કયા છે.

વાઘ બારસ વાઘ બારસના દિવસે મંદિરોમાં વિશેષે પૂજા વિધિ અને દર્શન થાય છે. આ વર્ષે આસો વદ બારસ એટલે કે વાઘ બારસ 12-11-2020ના ગુરુવારને દિવસે આવે છે.

ધનતેરસ આ દિવસે સુખની વૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસે ધનવંતરીનો જન્મ થયો હતો તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. ધનતેરસ શુક્રવાર, 13-11-2020ના દિવસે આવે છે. આ દિવસે ધન પૂજન, ધન્વંતરી પૂજન અને યમ દીપદાન કરવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પૂજન માટે શુભ મુહૂર્ત પ્રાતઃ 7 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી બપોરના 12.30 વાગ્યાથી બપોરના 1.40 વાગ્યા સુધી સાંજના 4.45 વાગ્યાથી સાંજના 5.55 મિનિટ સુધી

કાળી ચૌદશ આ દિવસે શક્તિ ઉપાસકો ખાસ પૂજા પાઠ કરતા હોય છે. આ વર્ષે શુક્રવારે ધનતેરસના દિવસે જ કાળી ચૌદશની તિથિ સંધ્યા સમયે શરું થઈ જતી હોવાથી આ દિવસે પૂજા કરવી. 13 નવેમ્બરે સાંજના 6 વાગ્યા બાદ હનુમાન પૂજા, મહાકાલી પૂજા, ભૈરવ પૂજા, શિવ પૂજા અને રાત્રિ સાધના માટે સમય ઉત્તમ છે.

આ પણ વાંચો: શાળા ખુલશે.. રાખજો ધ્યાન, જામનગરના શાળા સંચાલકોએ સરકારના નિર્ણયને આવકાર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિવાળી દિવાળી હિંદૂ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે ઘરમાં લક્ષ્મીજી અને ગણેશજીની પૂજાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. આજ દિવસે વેપારીઓ લક્ષ્મી પૂજન સાથે સાથે ચોપડા પૂજન અને શારદા પૂજન પણ કરે છે. આ વર્ષે દિવાળી 14 નવેમ્બરના દિવસે આવે છે.

શુભ યોગ * સવારના 8.10થી સવારના 9.30 * બપોરના 12.25થી બપોરના 2.18 * બપોરના 2.19થી સાંજના 4.30 વાગ્યાસુધી * સાંજના 5.55થી રાત્રે 8.09 વાગ્યા સુધી * રાત્રે 9.10થી રાત્રે 1.40

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મંદિરોમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટના દર્શન 15 નવેમ્બરે જ આયોજીત કરવામાં આવશે. આ દિવસે સવારે 10.37 વાગ્યા સુધી અમાવસ્યા તિથિ છે. ત્યાર બાદ એકમ શરું થાય છે તેથી ગોવર્ધન પૂજા, અન્નકૂટ વગેરે 15 નવેમ્બરના દિવસે સવાર બાદ થશે.

બેસતું વર્ષ અને ભાઇબીજ વિક્રમ સંવત 2077ના નવા વર્ષનો પ્રારંભ તારીખ 16 નવેમ્બરે ગણાશે પરંતુ આ દિવસે જ બીજ એટલે કે ભાઈબીજીની તિથિ પણ છે. આ દિવસે બીજની તિથિ સૂર્યોદય બાદ સવારે 7.07 વાગ્યે શરું થશે. ભાઈ બીજની પૂજા સવારે 11:00 થી બપોરના 3:00 વાગ્યા સુધી કરી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">