ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા, જાણો ફળ પાકોમાં શું કાળજી લેવી જોઈએ

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા, જાણો ફળ પાકોમાં શું કાળજી લેવી જોઈએ
Fruit Crops
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 6:35 PM

હાલમાં ખરીફ સિઝન (Kharif Season) ચાલી રહી છે. ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

બાગાયતી પાકોમાં ખેતી કાર્ય

1. દરેક ફળ ઝાડને સમયસર સેન્દ્રીય અને રાસાયણિક ખાતરો આપવા જોઈએ.

2. ખાતરો કેટલા પ્રમાણમાં આપવા તે ફળ પાકની જાત, ઝાડની ઉંમર અને જમીનના પ્રકાર મૂજબ આપવા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

3. છાણિયું ખાતર ચોમાસા પહેલા એક જ હપ્તામાં આપીને જમીનમાં માટી સાથે ભેળવવું જોઈએ.

4. પુખ્ત વયના ફળ પાકોને ૧.૫ મીટરના ઘેરાવામાં ૩૦ સે.મી. પહોળી અને ૧૫ સે.મી. ઊંડી ચર બનાવી તેમાં ભલામણ મુજબ ખાતરો આપવા.

5. સામાન્ય રીતે લોહ, જસત, મેંગેનીઝ તથા બોરોનની ઉણપવાળા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને લીંબુ અને જામફળમાં આ ઉણપ વધુ જોવા મળે છે.

6. જે ઝાડ પર વર્ષમાં એકથી બે વાર નવા પાન નીકળતા હોય ત્યારે લોહ એકથી બે ટકા, જસત ૦.૫ ટકા, મેંગેનીઝ ૦.૫ ટકાનો છંટકાવ કરવો હિતાવહ છે.

ફળપાકની રોપણી બાદની કાળજીઓ

1. ભલામણ મુજબની જ જાતની વાવણી કરવી. વરસાદ થયા બાદ ભલામણ મુજબના ખાતરો આપવા.

2. મૂળકાંડ ઉપરથી ફૂટેલ નવી કુંપળો દુર કરવી. વૃદ્ધિ પામતા કલમ રોપને યોગ્ય આકાર આપવા માટે જરૂરી કાપણી કરવી.

3. દેશી ખાતરની અવેજીમાં લીલા પડવાશનો ઉપયોગ કરી શકાય.

4. ફળ પાકના વાવેતર માટે ચોમાસાની ઋતુ ઉત્તમ છે અને સારો વરસાદ થયા બાદ રોપણી કરવી.

5. કલમને મજબુત ટેકો આપવો તથા પવન અને ગરમ તાપના રક્ષણ માટે વાડોલીયું બનાવવું.

આ પણ વાંચો : ખેડૂતોએ ઓગસ્ટ માસમાં કઠોળ વર્ગના પાકોમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

6. વરસાદ ખેંચાય ત્યારે ૮ થી ૧૦ દિવસે પિયત આપવું. વરસાદ દરમિયાન ખામણામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવી.

7. છોડ ફરતે સમયાંતરે નિંદામણ કરવું. પવન અવરોધક વાડની જાળવણી કરવી તેમજ રોગ-જીવાત સામે સમયસર પગલા લેવા.

8. ઉપરોક્ત તમામ બાબતોની ચોપડામાં નોંધ કરી રેકર્ડ રાખવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">