AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પ્રાકૃતિક ખેતીનું મોડેલ નિહાળવા કુરુક્ષેત્રના ગુરુકુળની મુલાકાતે, પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને હાકલ કરી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે આજે ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વધુ ઉપયોગ થાય છે. જેના કારણે જમીનની ફળદ્રુપ શક્તિ ઘટી રહી છે. આજે આપણે પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવવાની જરૂર છે.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પ્રાકૃતિક ખેતીનું મોડેલ નિહાળવા કુરુક્ષેત્રના ગુરુકુળની મુલાકાતે, પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને હાકલ કરી
Acharya Devvrat - Bhupendra Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 2:58 PM
Share

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલે શુક્રવારે કુરુક્ષેત્રમાં ગુરુકુળ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સાથે પ્રાકૃતિક ખેતીના (Natural Farming) મોડલની વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીના મોડલને લોકો સુધી લઈ જવા માટે વધુને વધુ સંશોધન કરવા અને તેનો વિસ્તાર કરવાની વાત કરી. આ દરમિયાન હરિયાણાના ઉર્જા મંત્રી રણજીત સિંહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જયપ્રકાશ દલાલ અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવ પટેલ હાજર રહ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ કરીને કુરુક્ષેત્રના ગુરુકુળમાં પ્રાકૃતિક ખેતીનું મોડલ જાણવા પહોંચ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ, બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ, હરિયાણાના ઉર્જા મંત્રી, કૃષિ મંત્રી, હરિયાણા સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિકારીઓ અને ગુજરાતના અધિકારીઓએ પ્રાકૃતિક ખેતી પર ઊંડું મંથન કર્યું હતું. આ પછી, ગુરુકુળના પ્રાકૃતિક ખેતી મોડેલની મુલાકાત લીધી અને ત્યાં ઉગાડવામાં આવતા કુદરતી પાકોનું નિરીક્ષણ કર્યું.

ગાય ખરીદવા મળશે 25 હજાર રૂપિયાની સબસિડી

મનોહર લાલે કહ્યું કે પ્રાકૃતિક ખેતી એ સમયની જરૂરિયાત છે. દેશ-વિદેશમાં આ ખેતી તરફ ખેડૂતો અને ગ્રાહકોનો ઝોક વધી રહ્યો છે. આ ખેતી માત્ર ખેડૂતો માટે જ ફાયદાકારક નથી પરંતુ તેમાંથી ઉત્પાદિત થતી કૃષિ પેદાશો ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. હરિયાણા સરકાર કુદરતી ખેતી વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ગાયની ખરીદી પર 25 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.

કુદરતી ખેતીથી ખેડૂત સમૃદ્ધ થશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે આજે ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વધુ ઉપયોગ થાય છે. જેના કારણે જમીનની ફળદ્રુપ શક્તિ ઘટી રહી છે. આજે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂર છે. આ સાથે ખેડૂતનો ખર્ચ પણ શૂન્ય થઈ જશે અને પાણીનો બચાવ થશે. પર્યાવરણની સુરક્ષા પણ થશે. ખેડૂતોની આવકમાં વધારો થશે. એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

ફાયદાકારક છે પ્રાકૃતિક ઉત્પાદનો

હરિયાણાના કૃષિ મંત્રી જે.પી. દલાલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવા ગુજરાતે હરિયાણા સાથે જે આદાનપ્રદાન કર્યું છે, તેને એક અભિયાન તરીકે અપનાવવામાં આવશે અને તેને રાજ્યભરમાં જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવશે. તેમણે કહ્યું કે કુદરતી ખેતી દેશના ખેડૂત માટે જીવાદોરી બની રહી છે. તેમાંથી ઉત્પાદિત તમામ ઉત્પાદનો જેમ કે અનાજ, ફળો, શાકભાજી વગેરે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">