સરસવના પાક માટે કૃષિ વૈજ્ઞાનિકોએ જાહેર કરી એડવાઈઝરી, ખેડૂતો આ બાબતોનું રાખે ધ્યાન

Mustard Farming: પુસાના કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ખેડૂતોએ સરસવના પાકમાં ચેપા જીવાત(Chepa Insect)નું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. અસરગ્રસ્ત ભાગને કાપીને નાશ કરવાની સલાહ આપવામાં આવે છે.

સરસવના પાક માટે કૃષિ વૈજ્ઞાનિકોએ જાહેર કરી એડવાઈઝરી, ખેડૂતો આ બાબતોનું રાખે ધ્યાન
Mustard Crops (File Photo)
| Edited By: | Updated on: Jan 12, 2022 | 12:42 PM

કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સરસવ (Mustard Farming)ની ખેતીમાં સાવચેત રહેવાની સલાહ આપી છે, જેથી કોઈ નુકસાન ન થાય. ખેડૂતો (Farmers)એ પાકમાં ચેપા જીવાત(Chepa Insect)ની સતત દેખરેખ રાખવી જોઈએ. રોગના પ્રારંભિક તબક્કામાં અસરગ્રસ્ત ભાગને કાપીને નાશ કરો. ચેપા કે મહુની જીવાત આ સમયે ખેડૂતોની ચિંતામાં વધારો કરે છે.

તેનો પ્રકોપ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલુ રહે છે. આ જંતુઓ છોડના દાંડી, ફૂલો, પાંદડા અને નવી શીંગોમાંથી રસ ચૂસીને તેમને નબળા પાડે છે. છોડના કેટલાક ભાગો ચીકણા થઈ જાય છે, કાળી ફૂગ થાય છે. છોડની ખોરાક બનાવવાની ક્ષમતા ઘટે છે અને આનાથી ઉપજમાં મોટો ઘટાડો થાય છે. ત્યારે સામાન્ય ભાષામાં આ રોગને ગુંદરીઓ પણ કહેવાય છે.

ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને ચણાના પાકમાં પોડ બોરર જીવાત પર દેખરેખ રાખવા જણાવ્યું છે. જો જીવાત જોવા મળે, તો ખેતરોમાં પ્રતિ એકર 3-4 ફેરોમોન ટ્રેપ લગાવો. કોબીના પાકમાં ડાયમંડ બેક કેટરપિલર, વટાણામાં પોડ બોરર અને ટામેટામાં ફ્રુટ બોરરનું ધ્યાન રાખો.

શાકભાજીના વહેલા પાકના રોપાઓ તૈયાર કરવા માટે નાની પોલીથીન બેગમાં બીજ ભરીને પોલી હાઉસમાં રાખો. આ ઋતુમાં તૈયાર ફુલ કોબી, ફ્લાવર કોબી, વગેરેની રોપણી પાળા પર કરી શકાય છે. ખેડૂતો પાલક, ધાણા, મેથીની પણ વાવણી કરી શકે છે.

ગાજરના બીજ બનાવવાનો શ્રેષ્ઠ સમય

કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ સિઝન ગાજરના બીજ બનાવવા માટે યોગ્ય છે. તેથી, જે ખેડૂતોએ પાક માટે સુધારેલી જાતોના ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણનો ઉપયોગ કર્યો છે અને પાક લગભગ 90 થી 105 દિવસનો થવાનો છે, જાન્યુઆરી મહિનામાં ખેડ કરતી વખતે, તેઓએ સારા, લાંબા ગાજર પસંદ કરવા જોઈએ, જેમાં ઓછા પાંદડા હોય છે.

આ ગાજરના પાનમાંથી 4 ઈંચ છોડી અને ઉપરથી કાપી લો. ગાજરનો પણ ઉપરનો 4 ઇંચનો ભાગ રાખીને બાકીનો ભાગ કાપી લો. હવે આ બીજવાળા ગાજરને 45 સે.મી.ના અંતરે હરોળમાં 6 ઈંચના ગાળે વાવીને પાણી આપો.

ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો

ખેડૂતો આ સિઝનમાં તૈયાર ખેતરોમાં ડુંગળીનું રોપણી કરી શકે છે. ટ્રાન્સપ્લાન્ટ કરેલ રોપાઓ છ અઠવાડિયાથી વધુ જૂના ન હોવા જોઈએ. છોડને નાના ક્યારામાં ટ્રાન્સપ્લાન્ટ કરો. ફેરરોપણી કરતા 10-15 દિવસ પહેલા ખેતરમાં 20-25 ટન સડેલું છાણ નાખો.

છેલ્લી ખેડાણમાં 20 કિલો નાઇટ્રોજન, 60-70 કિલો ફોસ્ફરસ અને 80-100 કિલો પોટાશ નાખો. છોડને ખૂબ ઊંડે સુધી રોપશો નહીં અને પંક્તિથી હરોળનું અંતર 15 સેમી અને છોડથી છોડનું અંતર 10 સેમી રાખો.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Viral Video: પિતા પુત્રીના આ સુંદર વીડિયો પર લોકોએ ખુબ વરસાવ્યો પ્રેમ, જુઓ આ ક્યુટ વીડિયો

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર, ભારતીય કેરીનો રાજા હાફુસ આ વર્ષ અમેરિકામાં થઈ શકશે એક્સપોર્ટ