Coronavirus In india : દેશમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં 16,135 નવા કેસ સામે આવ્યા
Corona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Coronavirus)ના 16135 કેસ નોંધાયા છે , જ્યારે 13958 લોકોએ આ વાયરસને માત આપી છે
Corona Update: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ ઓછા થવાનું નામ લઈ રહ્યા નથી, છેલ્લા 24 કલાકમાં કોરોના (Covid-19) 16135 કેસ નોંધાયા છે, આ દરમિયાન 13958 લોકોએ આ બિમારીને માત આપી છે, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 16,135 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વઘી 4,35,18,564 થઈ ગઈ છે, 24 લોકોના મોત બાદ સંક્રમણથી મૃત્યુઆંક વધી 5,25,223 થઈ ગઈ છે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1,11,711થી વધીને 1,13,864 થઈ ગઈ છે,
છેલ્લા 24 કલાકમાં સારવાર કરી રહેલા દર્દીઓની સંખ્યા 2,153 વધારો થયો છે,દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.54 ટકા છે. ડેટા અનુસાર, દેશમાં કોવિડ-19 માટે અત્યાર સુધીમાં 86,39,99,907 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 3,32,978 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ડેટા અનુસાર, દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 197.95 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે
દેશમાં 7 ઓગસ્ટ 2020ના સંક્રમિતોની સંથ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના 30 લાખ અને 5મી સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ છે, સંક્રમણથી કુલ નવા કેસ 19 ડિસેમ્બર 2020ના રોજ એક કરોડથી વધુ હતા.સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, અત્યારસુધી કોરોના વાયરસથી સંક્રમણથી જે લોકોના મોત થયા છે. તેમાં 70 ટકાથી વધુ દર્દીઓ અન્ય બિમારીઓથી પીડિત હતા, મંત્રાલયે પોતાની વેબસાઈટ પર જણાવ્યું કે, તેનો ડેટા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં પણ કોરોના કેસમાં રાફડો ફાટી રહ્યો છે
ગુજરાતના (Gujarat) છેલ્લા સપ્તાહથી કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 03 જૂલાઇના રોજ કોરોનાના નવા 456 કેસ નોંધાયા છે. જેના પગલે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3548 થઈ છે. તેમજ અમદાવાદ (Ahmedabad) શહેરમાં આજે કોરોનાના સૌથી વધુ 203 કેસ નોંધાયા છે. સુરતમાં 86, વડોદરામાં 38, ભાવનગરમાં 13, કચ્છમાં 13, મહેસાણામાં 13, નવસારી 13, વલસાડ 12, સુરત 11, ગાાંધીનગર કોપોરેશન 10, પાટણ 05, અમદાવાદ જિલ્લામાં 04, આણંદમાં 04, ભરૂચમાં 04, ગાંધીનગર 4, દેવભૂમી દ્વારકા 03, પોરબંદર 03, વડોદરા 03, અરવલ્લીમાં 02, ભાવનગરમાં 02, મોરબીમાં 02, રાજકોટમાં 02, સુરેન્દ્રનગરમાં 02, અમરેલીમાં 01, ગીર સોમનાથમાં 01, જામનગર કોપોરેશનમાં 01, તેમજ પંચમહાલમાં 01 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ.