Health: ઓમિક્રોનના લક્ષણો દેખાય ત્યારે આ આહારનું સેવન કરો, મળશે ઘણા ફાયદા

ઓમિક્રોનથી સંક્રમિત લોકોને શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં શરીર હલકો ખોરાક ખાવા માગે છે, જેથી ગળામાં કોઈ સમસ્યા ન થાય. આવી સ્થિતિમાં ડૉક્ટર્સ કેટલોક પૌષ્ટિક આહાર ખાવાની સલાહ આપે છે.

Health: ઓમિક્રોનના લક્ષણો દેખાય ત્યારે આ આહારનું સેવન કરો, મળશે ઘણા ફાયદા
Omicron variant (symbolic image)
| Edited By: | Updated on: Jan 08, 2022 | 3:08 PM

દેશભરમાં ઓમિક્રોનના કેસ (Omicron’s case) વધવા લાગ્યા છે. સાથે જ કોરોનાના કેસોમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે જો કોઈ વ્યક્તિને ઓમિક્રોન કે પછી કોરોનાનો ચેપ લાગે છે, તો તેઓ કદાચ સમજી શકતા નથી કે કયો ખોરાક લેવો, ખાસ કરીને ત્યારે કઇ સમજાતુ નથી જ્યારે તેમને ભૂખ (Hunger)લાગતી નથી. કારણ કે ભૂખ ન લાગવી એ પણ ઓમિક્રોનનું લક્ષણ (Characteristic of Omicron) છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે, ઓમિક્રોનના લક્ષણોને ઘટાડવા માટે રસીકરણ એ શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ ઓમિક્રોન રસી અપાયેલા લોકોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. જે લોકોમાં રસી આપવામાં આવી હોય તેવા લોકોમાં લક્ષણો ઓછા હોઈ શકે છે.

ઇન્સ્ટિટ્યૂટ ફોર ઑટોઇમ્યુન એન્ડ રુમેટિક ડિસીઝના ડિરેક્ટર અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ પુસ્તકના લેખક અનુસાર, “જે લોકો ઓમિક્રોન, ડેલ્ટા અથવા ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત થયા છે. તેમને ભૂખ ઓછી લાગે છે. ઓમિક્રોનથી ગળામાં તીવ્ર દુ:ખાવો થાય છે, કોઈપણ પ્રવાહી પીધા પછી પણ ગળું દુખે છે”

આવી સ્થિતિમાં ગળું ખરાબ થવાથી કંઈપણ ખાવાનું મન થતું નથી. પરંતુ શરીરને પોષણ આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી શરીર શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ શકે. ઓમિક્રોનના લક્ષણો જોવા મળે ત્યારે નીચે મુજબનો ખોરાક લઇ શકાયય

દહીં

જ્યારે ઓમિક્રોનનો ચેપ લાગે ત્યારે દહીંનું સેવન કરવું શ્રેષ્ઠ છે. દહીં ખાવામાં ખૂબ જ નરમ અને ઠંડુ હોય છે, દહીં ખાતા ગળામાં રાહત લાગશે. દહીં પ્રોટીનથી ભરપૂર હોય છે, તેથી તેના કારણે ભૂખ પણ ઓછી લાગશે.

સૂપ

ગળાને રાહત આપવા અને પોષવા માટેનું બીજું સરળ ભોજન સૂપ છે. સૂપ અથવા સૂપમાં પુષ્કળ પ્રમાણમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જેનું સેવન કરવું સારું રહેશે. જો તમને વધુ ભૂખ લાગે છે તો તમે સૂપમાં શાકભાજી ઉમેરી શકો છો, જે શરીરને વધુ પોષક તત્વો આપશે અને ચેપ સામે લડવામાં મદદ કરશે.

લીલા શાકભાજી

લીલા શાકભાજીનું સેવન કરવાથી ઓમિક્રોનના ચેપગ્રસ્ત લોકોને ઘણો ફાયદો થાય છે. તમે પાલક, કોબીજ (છીણેલી), મેથીના પાન વગેરેનું સેવન કરી શકો છો. તેનાથી શરીરને ઘણું પોષણ મળશે,

પ્રોટીન શેક

ઓમિક્રોનના દર્દીઓ હંમેશા હળવો ખોરાક ખાવા માગે છે. તેથી તે પ્રોટીન શેકનું સેવન કરી શકે છે. તમારા મનપસંદ પ્રોટીન પાવડરને દૂધ અથવા પાણીમાં ભેળવીને પી શકો છો.

ખાટાં ફળો ખાવા ન ખાવા

વિટામિન સી સાઇટ્રસ ફળોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, ઓમિક્રોનના કિસ્સામાં, સાઇટ્રસ ફળો ન ખાવા જોઈએ. સાઇટ્રસ ફળોના સેવનથી સમસ્યા વધી શકે છે.

આ પણ વાંચોઃ

ઓમિક્રોનનો આંતક : 27 રાજ્યોમાં કોરોનાના નવા વેરિઅન્ટનો પગપેસારો, માત્ર એક દિવસમાં નોંધાયા આટલા કેસ