જો High Voltage નાં કારણે બલ્બ, મોબાઈલ, ટીવી, ફ્રીઝ અને પંખો ફૂંકાઈ જાય તો શું કરવું? અહીં કરો ફરિયાદ વળતર જરૂર મળશે

|

Oct 06, 2021 | 7:39 AM

કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે વીજ મંત્રાલય પણ સ્પષ્ટપણે કહે છે કે જો ગ્રાહકો અથવા ગ્રાહકોના હિતનું ઉલ્લંઘન થાય તો વીજ કંપનીઓ હાથ ઊંચા કરી શકતી નથી.

જો High Voltage નાં કારણે બલ્બ, મોબાઈલ, ટીવી, ફ્રીઝ અને પંખો ફૂંકાઈ જાય તો શું કરવું? અહીં કરો ફરિયાદ વળતર જરૂર મળશે
Symbolic Image

Follow us on

ઘણીવાર અચાનક હાઈ વોલ્ટેજના કારણે આખા વિસ્તારમાં વીઆઇએન ઉપકરણોને નુકશાની ઘટનાઓ સામે આવે છે. દેશમાં આવા કરોડો ઉપભોક્તા છે જેઓ ફરિયાદ કરે છે કે વીજળીના હાઈ વોલ્ટેજને (High Voltage of Electricityકારણે તેમની કિંમતી વસ્તુઓ ફૂંકાઈ જાય છે. ગ્રાહકોનું કહેવું છે કે વીજ વિભાગ પણ ગ્રાહકોની સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ નથી. આ પ્રકારની ઘટનાઓમાં મોબાઈલ ચાર્જર, ટીવી, કૂલર, ફ્રિજ અને પંખા સહિતના ઘણાં ઘરનાં વિદ્યુત ઉપકરણો હાઈ વોલ્ટેજને કારણે ખરાબ થઇ જાય છે. તમને જણાવી દઈએ કે ગ્રાહકોની ફરિયાદો પછી પણ વીજ વિભાગ ન તો કોઈ પગલાં લે છે અને ન તો વળતર આપે છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે, વીજળી વિભાગના દોષને કારણે હજારો મોંઘો ઇલેક્ટ્રોનિક સામાન બળી જાય તો ગ્રાહકે શું કરવું જોઈએ? શું ગ્રાહક વીજ વિભાગ પર વળતરનો દાવો કરી શકે છે?

દેશના લગભગ દરેક રાજ્યમાં આવી સમસ્યાઓ ઘણી વખત લોકોની સામે ઉભી રહે છે. મોદી સરકારના નવા ગ્રાહક કાયદાથી વાકેફ ન હોવાને કારણે લોકોને તકલીફ સહન કરવી પડે છે જ્યારે દેશમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 એ ગ્રાહકો આવા અધિકારો આપ્યા છે કે જો તેઓ તેનો ઉપયોગ કરશે તો તેમને વળતર મેળવવા હકદાર છે.

જો  હાઈ વોલ્ટેજથી ઉપકરણો ફૂંકાય તો શું કરવું?
કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે વીજ મંત્રાલય પણ સ્પષ્ટપણે કહે છે કે જો ગ્રાહકો અથવા ગ્રાહકોના હિતનું ઉલ્લંઘન થાય તો વીજ કંપનીઓ હાથ ઊંચા કરી શકતી નથી. આને ધ્યાનમાં રાખીને મોદી સરકારે 20 જુલાઈ, 2020 થી દેશભરમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 લાગુ કર્યો છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ -2019 ના અમલ પછી ગ્રાહકોને ઘણા અધિકારો મળ્યા છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 ગ્રાહકને તે કંપનીઓ સામે પણ લડવાની સત્તા આપે છે, જે અગાઉના ગ્રાહક કાયદામાં નહોતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ કાયદો કેવી રીતે ગ્રાહકોના હિતોનું ધ્યાન રાખે છે?
નવા કાયદા અંતર્ગત ગ્રાહક અદાલતો સાથે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) બનાવવામાં આવી છે. આ ઓથોરિટીની રચના ગ્રાહકોના હિતોને કડક રીતે કરવા માટે કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 લાગુ થયા બાદ ગ્રાહક કોઈપણ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરી શકશે. અગાઉના ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 માં આવી કોઈ જોગવાઈ નહોતી.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 શું છે?

1- સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ની સ્થાપના- તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવાનો રહેશે. આ સાથે ગેરવાજબી વેપાર પદ્ધતિઓ, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને ગ્રાહક અધિકારોના ઉલ્લંઘનને લગતા કેસોને પણ ઝડપી ગતિએ જોવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે.

2- ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગની રચના- આ કમિશનનું કામ છે કે જો કોઈ તમારી પાસેથી વધુ કિંમત વસૂલ કરે, તમારી સાથે અયોગ્ય વર્તન કરે, જીવલેણ અને ખામીયુક્ત વસ્તુઓ અને સેવાઓ વેચે તો CDRC તેની ફરિયાદ સાંભળશે અને તેનો ચુકાદો આપશે.

 

આ પણ વાંચો :  ABSLAMC Allotment Status : આજે થઇ રહી છે શેરની ફાળવણી, આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ ?

 

આ પણ વાંચો : EPFO: શું તમને તમારું UAN યાદ નથી? ચિંતા ન કરશો, આ સરળ રીતથી તુરંત એક્ટિવ થઈ જશે એકાઉન્ટ

Next Article