PM SVANidhi Yojana: 23 લાખ લોકોને ઉપયોગી થઈ છે આ યોજના, જાણો શું છે ફાયદા અને કઈ રીતે લઈ શકાય છે લાભ

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2,278.29 કરોડ રૂપિયાની 23 લાખ લોન આપવામાં આવી છે. પ્રોજેક્ટ ઓફિસર સૌરભ ત્રિપાઠી જણાવે છે કે જેમનો નાનો વેપાર છે અને તેમને મૂડીની જરૂર છે, તો આ યોજના દ્વારા તેમને મૂડી મળે છે.

PM SVANidhi Yojana: 23 લાખ લોકોને ઉપયોગી થઈ છે આ યોજના, જાણો શું છે ફાયદા અને કઈ રીતે લઈ શકાય છે લાભ
ખૂબ જ ઉપયોગી છે આ યોજના (સાંકેતીક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 8:05 PM

કોરોના સમયગાળા દરમિયાન, રેકડી – ઠેલાં લગાવનારા નાના વેપારીઓ સામે જ્યારે રોજગારીનું સંકટ ઉભું થયું, ત્યારે કેન્દ્ર સરકારે મદદનો હાથ લંબાવ્યો. આવા વ્યાપારીઓને પ્રધાનમંત્રી સ્વ-નિધિ યોજનાથી ઘણી રાહત મળી છે. આ યોજના હેઠળ, રસ્તાની બાજુએ રેકડી – ઠેલાં લગાવનારા વેપારીઓને તેમની આજીવિકા ફરી શરૂ કરવા માટે સરળતાથી લોન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

એક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના તેના ઉદ્દેશ્યમાં સફળ થઈ રહી છે અને નાના દુકાનદારોને તેનાથી ઘણો લાભ મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશના ઘણા નાના વેપારીઓને આ યોજનાનો લાભ મળ્યો છે, જેથી તેઓ ફરી ઉભા થઈ શક્યા.

નાના વેપારીઓએ શરૂ કર્યો વેપાર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બારાબંકી જિલ્લાના રાજેશ જયસ્વાલને પણ આ યોજના દ્વારા ફરી ઉભા થવાની હિંમત મળી છે. રાજેશ જયસ્વાલ જણાવે છે કે અચાનક આવેલી કોરોના મહામારીએ રોજગાર છીનવી લીધો. ધીરે ધીરે તેની બચત  પણ ખતમ થઈ ગઈ. હવે તેની પાસે ફરી વેપાર શરૂ કરવા માટે પુરતા નાણા ન હતા.

ચારે બાજુથી નિરાશ થયેલા રાજેશને જ્યારે પીએમ સ્વ-નિધિ યોજના વિશે ખબર પડી ત્યારે તેમણે આ યોજના હેઠળ લોન માટે અરજી કરી. રાજેશને કોરોના સંકટ દરમિયાન પીએમ સ્વ-નિધિ યોજના દ્વારા મદદ મળી અને તેમનો વેપાર ફરી શરૂ થયો.

જ્યારે દુકાન બંધ થઈ ગઈ

રાજેશ કહે છે કે કોરોના પહેલા, તે પાનની દુકાન ચલાવતા હતા, પરંતુ કોરોના આવતાં જ દુકાન ચાલતી બંધ થઈ ગઈ. આર્થિક સ્થિતિ પણ નોંધપાત્ર રીતે કથળી ગઈ હતી. આ દરમિયાન, દુકાનના એક ગ્રાહકે તેમને સ્વ-નિધી યોજના વિશે માહિતી આપી. આ પછી, તેમણે બેંકમાં ફોર્મ ભરીને સબમિટ કર્યું અને 10 હજારની લોન મેળવી.

હવે તે નવેસરથી પોતાનો વેપાર ચલાવી રહ્યા છે. માત્ર રાજેશ જ નહીં પણ રામદીપ સિંહનું કહેવું છે કે એક દિવસ તેમને સ્વ-નિધી યોજના વિશે પાલિકા તરફથી માહિતી મળી હતી. તેમણે 10 હજારની લોન માટે અરજી કરી અને તેમને તરત જ લોન મળી ગઈ.

આ યોજના સાથે જોડાયેલા અધિકારીઓનુ શું કહેવુ છે?

આ યોજના વિશે બારાબંકી પ્રોજેક્ટ ઓફિસર સૌરભ ત્રિપાઠી કહે છે કે આ એક ખૂબ મહત્વની યોજના છે, જેમનો વેપાર નાનો  છે અને નાની મૂડીની જરૂર છે. આ યોજના દ્વારા તેઓ  મૂડી મેળવી શકે છે.  આ લોનની મૂડી સીધી તેમના ખાતામાં પહોંચે છે. તેમણે કહ્યું કે 2022 સુધીમાં બારાબંકીમાં 5800 સ્ટ્રીટ વેન્ડરોને આ યોજના દ્વારા મદદ પૂરી પાડવાનો ઉદેશ્ય છે.

પીએમ સ્વ નિધી યોજના જૂન, 2020 માં શરૂ થઈ

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે 1 જૂન, 2020 ના રોજ પીએમ સ્વ-નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશભરના લગભગ 50 લાખ શેરી વિક્રેતાઓને એક વર્ષના સમયગાળા માટે 10,000 રૂપિયા સુધીની ગેરંટી (બિન-સુરક્ષિત) વગરની લોન આપવાનો છે.

લોનની નિયમિત ચુકવણી પર વાર્ષિક 7 ટકા વ્યાજ સહાય અને નિયત ડિજિટલ વ્યવહારો કરવા માટે પ્રતિમાસ 100 રૂપિયા સુધીનું કેશબેક પ્રોત્સાહન તરીકે આપવામાં આવે છે.

આ ઉપરાંત, લોન સમયસર અથવા વહેલી ચૂકવનાર વેપારી  આવનારા સમયમાં વધુ લોન મેળવવાને પાત્ર બનશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2,278.29 કરોડ રૂપિયાની 23 લાખ લોન આપવામાં આવી છે.

આ પણ વાંચો : Maharashtra: થાણેમાં કોરોના વાઈરસના 226 નવા કેસ, છ દર્દીઓના મોત

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">