AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: થાણેમાં કોરોના વાઈરસના 226 નવા કેસ, છ દર્દીઓના મોત

થાણેમાં છેલ્લા 24 કલાકમાં 3,301 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે 226 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાથી 6 લોકોના મોત થયા છે. એટલે કે મુંબઈમાં પણ સાજા થયેલા લોકોની સંખ્યા કરતા વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.

Maharashtra: થાણેમાં કોરોના વાઈરસના 226 નવા કેસ, છ દર્દીઓના મોત
થાણેમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 6:13 PM
Share

મહારાષ્ટ્રના (Maharashtra) થાણે (Thane) જિલ્લામાં ફરી એકવાર લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનાના નવા કેસોની સંખ્યા કોરોનામાંથી સાજા થતાં લોકોની સંખ્યા કરતા વધુ આવવા લાગી છે. એટલે કે વધારે લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અનુસાર (Corona in Maharashtra) એક દિવસમાં 226 લોકોમાં કોરોના વાઈરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ પછી હવે કોવિડ -19ના કેસ વધીને 5,50,577 થઈ ગયા છે. જ્યારે થાણેમાં કોવિડ -19થી થતાં મૃત્યુમાં ઘટાડો જોવા મળ્યો છે અને મૃત્યુ દર (Death Rate) ઘટીને 2.04 ટકા થયો છે.

આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું  કે શુક્રવારે કોરોના સંક્રમણના તમામ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોના વાઈરસને કારણે વધુ 6 દર્દીઓના મોત બાદ જિલ્લામાં મૃત્યુઆંક વધીને 11,276 થયો છે. તે જ સમયે પડોશના પાલઘર જિલ્લામાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ વધીને 1,34,408 થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક 3,292 પર પહોંચી ગયો છે.

કોરોનાની સ્થિતિ ચિંતા વધારી રહી છે

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી એક વસ્તુ મોટી રાહત આપનારી બની છે કે નવા કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારથી ઓછી થઈ ગઈ છે. સામાન્ય રીતે આ સંખ્યા 4 હજારથી 6 હજારની વચ્ચે રહે છે. મુંબઈમાં પણ છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાની સ્થિતિ સતત સુધરી રહી છે.

પરંતુ મુંબઈની વાત કરીએ તો અહીં પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા કોરોનાના નવા કેસો કરતા ઓછી થઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સક્રિય કેસમાં 1,183નો વધારો થયો છે. આ સાથે સક્રિય કેસ વધીને 55,091 થયા છે. આ દરમિયાન રાજ્યમાં 3,301 દર્દીઓ સાજા થયા બાદ કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 62,55,451 થઈ ગઈ છે. જ્યારે 170 દર્દીઓના મૃત્યુને કારણે આ રીતે કુલ મૃત્યુઆંક વધીને 1,36,900 થયો છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં બીજી લહેર ધીમે – ધીમે હળવી પડી રહી છે, ત્યારે રાજ્ય સરકારે મુંબઈમાં કોરોનાના કારણે લગાવાયેલા પ્રતિબંધોમાં મહદ્દ અંશે છૂટ -છાટ આપી છે. મુંબઈની જીવાદોરી ગણાતી મુંબઈ લોકલ ફરીથી સામાન્ય લોકો માટે કેટલાક નિયમો સાથે ચાલુ કરવામાં આવી છે. દેશમાં હજુ કોરોનાની ત્રીજી લહેરની આગાહીઓ સંભળાય રહી છે, ત્યારે રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવવાના કારણે સરકાર તેમજ લોકો પણ ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો : Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

આ પણ વાંચો : Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">