AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN-Aadhaar linking : જો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હશે તો તમે આ 12 વ્યવહાર નહીં કરી શકો

સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક(PAN-Aadhaar linking) કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ માટે  30 જૂન 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ બે દસ્તાવેજ લિંક કરવામાં નિષ્ફળ જનારનું PAN કાર્ડ 1 જુલાઈ 2023થી નિષ્ક્રિય થઈ ગયું છે. આ લોકો હવે આ 12 પ્રકારના વ્યવહારો કરી શકશે નહીં.

PAN-Aadhaar linking : જો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હશે તો તમે આ 12 વ્યવહાર નહીં કરી શકો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 10:40 AM
Share

સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક(PAN-Aadhaar linking) કરવાનું અગત્યનું જાહેર કર્યું  છે. આ માટે  30 જૂન 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ બે દસ્તાવેજ લિંક કરવામાં નિષ્ફળ જનારનું PAN કાર્ડ 1 જુલાઈ 2023થી નિષ્ક્રિય થઈ ગયું છે. આ લોકો હવે આ 12 પ્રકારના વ્યવહારો કરી શકશે નહીં.આવકવેરા અધિનિયમ 1961ની કલમ 139AA હેઠળ આધાર અને પાન કાર્ડને લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કરદાતાઓના રોકાણો, લોન અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ વિશેની માહિતી એકત્રિત કરવા અને મેચ કરવા માટે પાન કાર્ડ જરૂરી છે.

આવકવેરા અધિનિયમની કલમ 114B સ્પષ્ટપણે જણાવે છે કે દેશમાં કયા વ્યવહારો માટે નાણાકીય વ્યવહારો માટે પાન નંબર આપવો જરૂરી છે. આવી સ્થિતિમાં, જો પાન કાર્ડ નિષ્ક્રિય છે, તો તમારે આ 12 વ્યવહારો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે…

આ 12 વ્યવહાર નિપટાવવામાં મુશ્કેલી થશે

  1. બેંક ખાતું ખોલવા માટે પાન કાર્ડની વિગતો આપવી પડશે, ફક્ત ‘બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ’ ખોલવા માટે પાન કાર્ડની આવશ્યકતામાંથી મુક્તિ મળી શકે છે.
  2. બેંક ખાતામાં 50,000 રૂપિયા કે તેથી વધુ રોકડ જમા કરાવવા માટે પાન કાર્ડ આપવું પડશે. વૈકલ્પિક રીતે તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પસંદ કરી શકો છો.
  3. શેરબજારમાં કોઈપણ પ્રકારના વ્યવહાર ડીમેટ એકાઉન્ટ વગર અશક્ય છે. ડીમેટ ખાતું ખોલવા ઇચ્છનાર વ્યક્તિએ પાન કાર્ડની વિગતો આપવી પડે છે.
  4. ડેબિટ કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતી વખતે પણ તમારે પાન કાર્ડ નંબર આપવો પડશે.
  5. જો વીમાનું પ્રીમિયમ 50,000 રૂપિયાથી વધુ હોય તો પાન કાર્ડ નંબર આપવો પડશે.
  6. હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં એક સમયે રૂ. 50,000 કે તેથી વધુની રોકડ ચુકવણી કરવા માટે PAN વિગતો જરૂરી છે.
  7. એક સમયે 50,000 રૂપિયાથી વધુની વિદેશી ચલણના વિનિમય માટે અથવા વિદેશ પ્રવાસ માટે રોકડ ચુકવણી માટે પાન કાર્ડ નંબર આપવો પડશે.
  8. રૂ. 50,000 થી વધુની મ્યુચ્યુઅલ ફંડ પેમેન્ટ  માટે તમારે PAN વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે.
  9. કંપનીના ડિબેન્ચર અથવા બોન્ડ ખરીદવા માટે 50,000 રૂપિયા ચૂકવવા માટે પાન કાર્ડની વિગતો આપવી પડશે.
  10. ભારતીય રિઝર્વ બેંકમાંથી રૂ. 50,000 કે તેથી વધુના બોન્ડની ખરીદી માટે ચૂકવણી કરવા માટે પાન કાર્ડ આપવું પડશે.
  11. ડિમાન્ડ ડ્રાફ્ટ, પે-ઓર્ડર અથવા બેંકરના ચેક ફોર્મ ખરીદવા માટે બેંકમાંથી એક દિવસમાં રૂ. 50,000 કે તેથી વધુની ચુકવણી કરવા માટે પાન કાર્ડની વિગતો આપવી પડશે.
  12. નાણાકીય વર્ષ દરમિયાન બેંકમાં 50,000 રૂપિયાથી વધુ અને કુલ 5 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ માટે પાન કાર્ડની વિગતો આપવી પડશે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">