AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવાઈ શકે છે? જાણો કારણ

ગયા વર્ષે પણ સરકારે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ત્રણ વખત લંબાવી હતી - પ્રથમ 31 જુલાઈથી 30 નવેમ્બર, પછી 31 ડિસેમ્બર સુધી અને છેલ્લે ફરીથી નાણાકીય વર્ષ 2019-20 માટે 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવી હતી.

શું ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવાઈ શકે છે? જાણો કારણ
last date of filing income tax return (ITR) may be extended
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 7:28 AM
Share

નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. આ સમયમર્યાદા અગાઉ બે વાર લંબાવવામાં આવી છે . પ્રથમ જુલાઈ 31 થી 30 સપ્ટેમ્બર 2021 ની સામાન્ય સમયમર્યાદાથી અને પછી વર્તમાન સમયે 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવાઈ છે. જો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ નિષ્ણાતો માને છે કે વ્યક્તિગત ITR ફાઇલ કરવાની સમયમર્યાદા હજુ લંબાવવામાં આવી શકે છે.

માત્ર 3.5 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું ગયા વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2019-20 ની તુલનામાં આ વર્ષે નાણાકીય વર્ષ 2020-21માં ઓછી સંખ્યામાં કરદાતાઓએ તેમનું ITR ફાઈલ કર્યો છે. 11 જાન્યુઆરી 2021 ના ​​રોજ આવકવેરા વિભાગના અધિકૃત ટ્વિટર હેન્ડલના એક ટ્વિટ અનુસાર નાણાકીય વર્ષ 2019-20 માટે 5.95 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા. જો કે, 15 ડિસેમ્બર, 2021 સુધીમાં 3.59 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે. આમ 2.36 કરોડ ITR ફાઈલ કરવાના બાકી છે અને 31 ડિસેમ્બર, 2021ની સમયમર્યાદા સમાપ્ત થવામાં 15 દિવસ કરતાં ઓછા દિવસો બાકી છે.

નવા પોર્ટલ ના કારણે સમસ્યા ઉભી થઇ? 15 દિવસથી ઓછા સમયમાં બાકીના વ્યક્તિઓ માટે તેમના ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું મુશ્કેલ છે કારણ કે નવા લોંચ થયેલા ઈન્કમ ટેક્સ પોર્ટલ પર હજુ પણ ઘણી વિસંગતતાઓ નોંધાઈ રહી છે. તે જોવાનું બાકી છે કે શું નવું લોન્ચ થયેલું ઈ-ફાઈલિંગ ઈન્કમ ટેક્સ પોર્ટલ આટલા ટૂંકા ગાળામાં એકસાથે ITR ફાઈલ કરતી વ્યક્તિઓના ભારને હેન્ડલ કરી શકે છે કે નહિ.

છેલ્લી તારીખ લંબાઈ શકે છે ગયા વર્ષે પણ સરકારે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ત્રણ વખત લંબાવી હતી – પ્રથમ 31 જુલાઈથી 30 નવેમ્બર, પછી 31 ડિસેમ્બર સુધી અને છેલ્લે ફરીથી નાણાકીય વર્ષ 2019-20 માટે 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવી હતી. એક્સ્ટેંશન ત્યારે થયું જ્યારે જૂના ટેક્સ ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને ન તો તે સમયે નવા કોવિડ-19 પ્રકારોનો ડર હતો. ઉપરોક્ત કારણોસર સરકાર ITR ફાઇલ કરવાની સમયમર્યાદાને 31 ડિસેમ્બર 2021ની વર્તમાન સમયમર્યાદા સુધી લંબાવવાનું વિચારી શકે છે.

આ પણ વાંચો : Amazon ને મોટો ઝટકો, ફ્યુચર ગ્રૂપ સાથેના સોદાની CCI ની મંજૂરી પર રોક લાગી, એમેઝોનને 200 કરોડ રૂપિયાનો દંડ

આ પણ વાંચો :  જાણો છેલ્લા 5 વર્ષમાં કઈ કંપનીઓએ રોકાણકારોને બનાવ્યા માલામાલ? રિલાયન્સ અને અદાણી ટ્રાન્સમિશનના રોકાણકારોને સૌથી વધુ લાભ

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">