AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવાઈ શકે છે? જાણો કારણ

ગયા વર્ષે પણ સરકારે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ત્રણ વખત લંબાવી હતી - પ્રથમ 31 જુલાઈથી 30 નવેમ્બર, પછી 31 ડિસેમ્બર સુધી અને છેલ્લે ફરીથી નાણાકીય વર્ષ 2019-20 માટે 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવી હતી.

શું ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવાઈ શકે છે? જાણો કારણ
last date of filing income tax return (ITR) may be extended
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 7:28 AM
Share

નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. આ સમયમર્યાદા અગાઉ બે વાર લંબાવવામાં આવી છે . પ્રથમ જુલાઈ 31 થી 30 સપ્ટેમ્બર 2021 ની સામાન્ય સમયમર્યાદાથી અને પછી વર્તમાન સમયે 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવાઈ છે. જો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ નિષ્ણાતો માને છે કે વ્યક્તિગત ITR ફાઇલ કરવાની સમયમર્યાદા હજુ લંબાવવામાં આવી શકે છે.

માત્ર 3.5 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું ગયા વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2019-20 ની તુલનામાં આ વર્ષે નાણાકીય વર્ષ 2020-21માં ઓછી સંખ્યામાં કરદાતાઓએ તેમનું ITR ફાઈલ કર્યો છે. 11 જાન્યુઆરી 2021 ના ​​રોજ આવકવેરા વિભાગના અધિકૃત ટ્વિટર હેન્ડલના એક ટ્વિટ અનુસાર નાણાકીય વર્ષ 2019-20 માટે 5.95 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા. જો કે, 15 ડિસેમ્બર, 2021 સુધીમાં 3.59 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે. આમ 2.36 કરોડ ITR ફાઈલ કરવાના બાકી છે અને 31 ડિસેમ્બર, 2021ની સમયમર્યાદા સમાપ્ત થવામાં 15 દિવસ કરતાં ઓછા દિવસો બાકી છે.

નવા પોર્ટલ ના કારણે સમસ્યા ઉભી થઇ? 15 દિવસથી ઓછા સમયમાં બાકીના વ્યક્તિઓ માટે તેમના ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું મુશ્કેલ છે કારણ કે નવા લોંચ થયેલા ઈન્કમ ટેક્સ પોર્ટલ પર હજુ પણ ઘણી વિસંગતતાઓ નોંધાઈ રહી છે. તે જોવાનું બાકી છે કે શું નવું લોન્ચ થયેલું ઈ-ફાઈલિંગ ઈન્કમ ટેક્સ પોર્ટલ આટલા ટૂંકા ગાળામાં એકસાથે ITR ફાઈલ કરતી વ્યક્તિઓના ભારને હેન્ડલ કરી શકે છે કે નહિ.

છેલ્લી તારીખ લંબાઈ શકે છે ગયા વર્ષે પણ સરકારે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ત્રણ વખત લંબાવી હતી – પ્રથમ 31 જુલાઈથી 30 નવેમ્બર, પછી 31 ડિસેમ્બર સુધી અને છેલ્લે ફરીથી નાણાકીય વર્ષ 2019-20 માટે 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવી હતી. એક્સ્ટેંશન ત્યારે થયું જ્યારે જૂના ટેક્સ ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને ન તો તે સમયે નવા કોવિડ-19 પ્રકારોનો ડર હતો. ઉપરોક્ત કારણોસર સરકાર ITR ફાઇલ કરવાની સમયમર્યાદાને 31 ડિસેમ્બર 2021ની વર્તમાન સમયમર્યાદા સુધી લંબાવવાનું વિચારી શકે છે.

આ પણ વાંચો : Amazon ને મોટો ઝટકો, ફ્યુચર ગ્રૂપ સાથેના સોદાની CCI ની મંજૂરી પર રોક લાગી, એમેઝોનને 200 કરોડ રૂપિયાનો દંડ

આ પણ વાંચો :  જાણો છેલ્લા 5 વર્ષમાં કઈ કંપનીઓએ રોકાણકારોને બનાવ્યા માલામાલ? રિલાયન્સ અને અદાણી ટ્રાન્સમિશનના રોકાણકારોને સૌથી વધુ લાભ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">