વર્ષ 2030 સુધીમાં ભારતની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી 90 ટ્રિલિયન સુધી પહોંચી જશે, જાણો કોણે વ્યક્ત કર્યું અનુમાન

|

Feb 12, 2022 | 6:30 AM

દેશમાં રોકાણનો ટ્રેન્ડ ઝડપથી બદલાઈ રહ્યો છે. બેંકોના ઓછા વ્યાજદરના કારણે લોકો રોકાણના અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે. આ પૈકી મ્યુચ્યુઅલ ફંડ્સ પસંદગીના ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે.

વર્ષ 2030 સુધીમાં ભારતની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી 90 ટ્રિલિયન સુધી પહોંચી જશે, જાણો કોણે વ્યક્ત કર્યું અનુમાન
SEBI એ યુનિટ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શિકા જાહેર કરી

Follow us on

દેશમાં રોકાણનો ટ્રેન્ડ ઝડપથી બદલાઈ રહ્યો છે. બેંકોના ઓછા વ્યાજદરના કારણે લોકો રોકાણના અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે. આ પૈકી મ્યુચ્યુઅલ ફંડ્સ પસંદગીના ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. જેફરીઝ માં ઇક્વિટી સ્ટ્રેટેજીના ગ્લોબલ હેડ ક્રિસ્ટોફર વુડે એક સંશોધન નોંધમાં જણાવ્યું હતું કે ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) આ દાયકાના અંત સુધીમાં 90 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી જશે જે હાલમાં 38 ટ્રિલિયનથી વધુ છે. નિષ્ણાતોના મતે તેનું સંચાલન SIP દ્વારા કરવામાં આવશે.

LIC ભારતીય બજારમાં સૌથી મોટો સ્ટોક બને તેવી સંભાવના

ક્રિસ્ટોફર એવું પણ માને છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) જે તેના IPOની રાહ જોઈ રહ્યું છે તે બજારમાં સૌથી મોટો સ્ટોક બનવાની ક્ષમતા ધરાવે છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના તાજેતરના અહેવાલ મુજબ SIP યોગદાન ડિસેમ્બરમાં રૂ 11,305.34 કરોડની સરખામણીએ જાન્યુઆરીના અંતે રૂ 11,516.62 કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ઉપરાંત પ્રથમ વખત SIP એકાઉન્ટ્સની કુલ સંખ્યા 5 કરોડથી વધુ થઇ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

AUM વાર્ષિક ધોરણે 25 ટકાથી વધુ વધ્યો છે

જાન્યુઆરીના અંતે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એકંદર AUM વાર્ષિક ધોરણે 25 ટકાથી વધુ વધીને 38.01 ટ્રિલિયન રૂપિયા થઈ હતી. ગયા અઠવાડિયે તેની નોટમાં ક્રિસ્ટોફરે જણાવ્યું હતું કે S&P BSE સેન્સેક્સ 100,000 પર શેર દીઠ 15% કમાણી (EPS) વૃદ્ધિના વલણને ધ્યાનમાં રાખીને 5 વર્ષમાં પ્રાપ્ત કરી શકે છે.

તાજેતરની નોંધમાં વૂડ એ કહ્યું હતું કે ભારતીય શેરબજાર અત્યાર સુધીમાં વિદેશી વેચાણમાં 5.7 અબજ ડોલરનું ચોખ્ખું એબઝોર્બ કરવામાં સફળ રહ્યું છે. આંશિક સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડમાં વારંવાર આવતા પ્રવાહને આનો આભાર માનવો જોઈએ.

રિટેઇલ રોકાણકારોની હિસ્સેદારીમાં વધારો

વર્ષ 2021માં ભારતીય શેરબજારમાં આવેલી જંગી તેજી પાછળ નાના રોકાણકારોની ભૂમિકા મહત્વની છે. તેનાથી વિપરીત વિદેશી રોકાણકારો જેને મોટા રોકાણકારો કહેવાય છે એ ભારતીય શેરબજારમાંથી નાણાં પરત ખેંચ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે મોટા રોકાણકારો પૈસા ઉપાડી રહ્યા હતા પરંતુ શેરબજાર ખાસ ઘટ્યું નથી.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આખરી વધારાને આજે 100 દિવસ પૂર્ણ થયા, જાણો શું છે તમારા શહેરમાં ઇંધણના ભાવ

 

આ પણ વાંચો : Share Market : આ શેર ટૂંક સમયમાં ડિવિડન્ડ ચૂકવવા જઈ રહ્યા છે, જાણો કેટલું મળશે ડિવિડન્ડ અને શું છે રેકોર્ડ ડેટ?

Next Article