મહામારીની મુશ્કેલીઓમાંથી ઘણી હદ સુધી બહાર આવી છે ભારતીય અર્થવ્યવસ્થા, 7-8% વૃદ્ધિનો તબક્કો પાછો આવશે- જાણો કોણે આપ્યું આ નિવેદન

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગઢિયાએ જણાવ્યું હતું કે, રસીકરણને કારણે મહામારી કાબૂમાં આવવાથી પુનરુદ્ધાર ચાલુ રહેશે અને 7-8 ટકા વૃદ્ધિનો તબક્કો પાછો આવશે.

મહામારીની મુશ્કેલીઓમાંથી ઘણી હદ સુધી બહાર આવી છે ભારતીય અર્થવ્યવસ્થા, 7-8% વૃદ્ધિનો તબક્કો પાછો આવશે- જાણો કોણે આપ્યું આ નિવેદન
The Indian economy had declined by 7.3 percent during the last financial year
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 10:39 PM

નીતિ આયોગના (Niti Aayog) પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ (Arvind Panagariya) મંગળવારે જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા મહામારીની કારણે ઊભી થયેલી મુશ્કેલીઓમાંથી ઘણી હદ સુધી બહાર આવી ગઈ છે અને આશા વ્યક્ત કરી છે કે આ સુધારો ચાલુ રહેશે અને 7-8 ટકાનો વિકાસ દરનો તબક્કો ફરી આવશે. પનગઢિયાએ સૂચન કર્યું કે સરકારે હવે નાણાકીય વર્ષ 2022-23માં રાજકોષીય ખાધ અડધાથી 1 ટકા સુધી ઘટાડવાનો સંકેત આપવો જોઈએ. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાએ કોવિડ પહેલાના જીડીપી સ્તરે પાછા ફરવા માટે ઘણી હદ સુધી સુધારો કર્યો છે. માત્ર ખાનગી વપરાશ હજુ પણ તેના કોવિડ-19 પહેલાના સ્તરથી નીચે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અનુમાન મુજબ, 2021-22માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 9.2 ટકા રહેશે.

પનગઢિયાએ જણાવ્યું હતું કે આ આંકડો અન્ય દેશની તુલનામાં વધુ છે અને પુનરુદ્ધાર સમગ્ર દેશમાં થયો છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

7-8 ટકા વૃદ્ધિનો તબક્કો પાછો આવશે

પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીએ પીટીઆઈ-ભાષાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રસીકરણને કારણે રોગચાળો કાબૂમાં આવ્યા પછી પુનરુત્થાન ચાલુ રહેશે અને 7-8 ટકા વૃદ્ધિનો તબક્કો પાછો આવશે. પનગઢિયા, જેઓ હાલમાં કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે, તેમણે જણાવ્યું હતું કે સરકારે હવે રાજકોષીય ખાધ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આમ કરવામાં નિષ્ફળ રહેવાથી આવનારી પેઢી માટે દેવાનો મોટો બોજ ઊભો થશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મોંઘવારીના વધતા વલણો પર, તેમણે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં મોંઘવારી એક ચિંતાનો વિષય છે, જ્યાં મોંઘવારીનો દર 7 ટકા પર પહોંચી ગયો છે, જે છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ છે, પરંતુ ભારતમાં નથી. ભારતમાં આ 2 થી 6 ટકાની ટાર્ગેટ રેન્જમાં બની રહ્યો છે.

યુ.એસ.માં વ્યાજ દર (ટેપર ટેન્ટ્રમ) માં વધારાના સંદર્ભમાં, પનગઢિયાએ જણાવ્યું હતું કે, આનાથી કેટલોક કેપિટલ આઉટફ્લો થઈ શકે છે, પરંતુ તેમને આ અપેક્ષા નથી કે, 2013ના ઉનાળાના પુનરાવર્તનનુ કારણ બનવા માટે આ પુરતુ હશે. ટેપર ટેન્ટ્રમની ઘટના 2013ની પરિસ્થિતિનો સંદર્ભ આપે છે, જ્યારે ઊભરતાં બજારોમાં કેપિટલ પ્રવાહ આઉટફ્લો મળ્યો હતો અને યુએસ ફેડરલ રિઝર્વે તેના જથ્થાત્મક સરળતા કાર્યક્રમ પર બ્રેક મૂક્યા પછી મોંઘવારી દર વધ્યો.

ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે સૂચનો

ક્રિપ્ટોકરન્સી અંગેના પ્રશ્નના જવાબમાં પનગઢિયાએ જણાવ્યું હતું કે સરકાર હવાલા વ્યવહારોને નિયંત્રિત કરવામાં ક્યારેય સફળ રહી નથી અને ક્રિપ્ટોકરન્સીમાં પણ આવું જ થવા જઈ રહ્યું છે, ભલે આપણે તેના પર પ્રતિબંધ લગાવીએ. તેમણે કહ્યું, ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવાને બદલે નિયંત્રિત કરવી જોઈએ.

આ પણ વાંચો :  ધનવાન ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલી કંપનીઓને ટેક્સમાં છૂટની મહેરબાની ક્યાં સુધી ?

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">