EPFO: અધવચ્ચેથી PF ઉપાડ્યું છે ? તો તમારા વ્યાજની ગણતરી કેવી રીતે થશે, જાણી લો
શું PF ખાતામાંથી પૈસા ઉપાડ્યા પછી પણ વ્યાજ મળે? EPFO દ્વારા PF વ્યાજની ગણતરી માસિક ધોરણે થાય છે, ભલે તે વાર્ષિક જમા થાય. જો તમે વર્ષ દરમિયાન PF ઉપાડો, તો ઉપાડ પહેલાના બેલેન્સ પર તે મહિના સુધી વ્યાજ મળે.

જો તમે નાણાકીય વર્ષના મધ્યમાં તમારા PF ખાતામાંથી થોડો ફંડ ઉપાડી લીધો હોય, તો સૌથી સામાન્ય પ્રશ્ન ઊભો થાય છે કે હવે તમને વ્યાજ કેવી રીતે મળશે? શું PF પર મળતું લાભ ઘટી જશે? કે પછી આખા વર્ષ માટે તમને વ્યાજ મળતું જ રહેશે? ચાલો જાણીએ કે EPFO આવી સ્થિતિમાં વ્યાજની ગણતરી કેવી રીતે કરે છે.
EPF શું છે અને વ્યાજ કેવી રીતે મળે છે?
EPF લાંબા ગાળાની એક બચત યોજના છે, જેમાં કર્મચારી અને નોકરીદાતા દર મહિને યોગદાન આપે છે. સરકાર દર વર્ષે આ જમા રકમ પર વ્યાજ દર જાહેર કરે છે. હાલમાં EPFO વ્યાજ દર 8.25% છે.
બહુ લોકો માને છે કે વ્યાજ વાર્ષિક મળે છે, પરંતુ વાસ્તવમાં વ્યાજ માસિક ધોરણે ગણવામાં આવે છે — અને નાણાકીય વર્ષ પુરા થયા પછી એક સાથે જમા થાય છે. અર્થાત્, દરેક મહિનાની છેલ્લી તારીખે તમારા PF ખાતાનું બેલેન્સ જેટલું હશે, તેના આધારે તે મહીનાનું વ્યાજ નક્કી થાય છે.
વર્ષના મધ્યમાં PF ફંડ ઉપાડો તો શું થાય?
જો તમે વર્ષ દરમિયાન PFમાંથી કોઈપણ મહિનામાં રકમ ઉપાડો છો, તો EPFO તે મહિનાથી નવા બેલેન્સ પર વ્યાજની ગણતરી શરૂ કરે છે.
- ઉપાડવા પહેલા જે બેલેન્સ હતું, તેના પર તે મહીનાનો વ્યાજ મળશે.
- ઉપાડવા પછી જેટલું બેલેન્સ બાકી રહે છે, તેની પરથી આગળનું વ્યાજ ગણાય છે.
- એટલે કે વ્યાજ મળવાનું બંધ થતું નથી, ફક્ત આધાર બેલેન્સ બદલાય છે.
સરળ ઉદાહરણથી સમજો ગણતરી
ધારો કે એપ્રિલમાં તમારા PF ખાતામાં ₹2,00,000 બેલેન્સ હતું. ઓગસ્ટમાં તમે ₹50,000 ઉપાડી લીધા.
- એપ્રિલથી જુલાઈ સુધી – પૂરા ₹2 લાખ પર વ્યાજ મળશે
- ઓગસ્ટના અંતે બેલેન્સ ₹1.5 લાખ થશે
- સપ્ટેમ્બરથી માર્ચ સુધી – આ નવા ₹1.5 લાખ પર વ્યાજ મળશે
અર્થાત્, વર્ષ દરમિયાન PF ઉપાડવાથી વ્યાજ ઓછું નથી થતું, ફક્ત નવા, ઘટેલા બેલેન્સ પર વ્યાજની ગણતરી થાય છે. તેથી વ્યાજ મેળવવાનો લાભ તમે ગુમાવતા નથી.
LIC ની આ યોજના સામે FD-RD પણ ફીકાં, બાળકોના ભવિષ્ય માટે સુપરહિટ પ્લાન
