AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધવાથી બેરોજગારી દર થશે ઓછો, જાણો શું છે સરકારનો પ્લાન

સરકારે ચાલુ નાણાકિય વર્ષમાં બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે નાણાકિય ફાળવણી કરી છે,જેથી આ સેક્ટર પાસેથી રોજગારીની અપેક્ષા વધારે છે

Budget 2022: ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધવાથી બેરોજગારી દર થશે ઓછો, જાણો શું છે સરકારનો પ્લાન
Nirmala sitharaman (file image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 7:22 PM
Share

બજેટ 2022-23 (Budget 2022) આવી ગયું છે.તમામ લોકોને એ વાત પર ગુંચવણ અનુભવે છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)બજેટમાં તેમને શું મળ્યું ? એ વાત છે કે મોટાભાગના લોકો બજેટથી અસંતુષ્ટ છે કારણ કે તેમને ટેક્સમાં કોઇ રાહત નથી મળી અથવા એ પણ વિચારતા હશે કે બજેટથી નવી નોકરીઓનું સર્જન કેવી રીતે થશે. સરકારનો ટાર્ગેટ એ છે કે મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કેવી રીતે થાય.તમને જણાવી દઇએ કે સરકારે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર વધારે ફોક્સ રાખ્યુ છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર વાત કરીએ તો સરકારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રોડ-રસ્તા બનાવવા માટેનો ટાર્ગેટ બે ગણો વધારી દિધો છે. 2022-23 રાષ્ટ્રીય રાજમાર્ગોના નેટવર્કમાં 25000 કિલોમીટરના વધારાની વાત કરી છે. બજેટમાં આના માટે 20,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જો કે આટલો મોટો ટાર્ગેટ કેવી રીતે પુરો થશે તે બાબતે શંકા સેવાઇ રહી છે કારણ કે પહેલા છ મહિનામાં માત્ર 3,824 કિલોમીટર જ રાજમાર્ગ બનેલા છે.

નાણાકીય વર્ષ 2020-21માં કુલ 13,327 કિલોમીટર નેશનલ હાઇવે બનાવવામાં આવ્યા હતા. આ દૃષ્ટિએ 25 હજાર કિમીનું લક્ષ્ય ઘણું મોટું છે. બસ, માત્ર રસ્તાઓ જ નહીં બને પરંતુ સરકારે આગામી 3 વર્ષમાં 400 નવી ટ્રેનો બનાવવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. એટલે કે સરકાર ચમકદાર હાઈવે સાથે લક્ઝુરિયસ ટ્રેનોમાં મુસાફરી કરાવવાની પણ તૈયારી કરી રહી છે. બસ આના પરથી તમે સમજી શકો છો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોદી સરકારની પ્રાથમિકતાઓમાં ટોચ પર છે.

સરકાર વિચારે છે કે જો સારા રસ્તા હશે તો લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરનો પણ ઝડપથી વિકાસ થશે. આ સાથે સરકારનું માનવું છે કે તે રસ્તાઓ પર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ વિકસાવવામાં પણ મદદ કરશે અને તેનાથી સૌથી વધુ સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે. તેથી મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે, સરકાર આર્થિક વૃદ્ધિ અને નવી નોકરીઓ બનાવવાના વિચાર પર કામ કરી રહી છે. આ માટે સરકાર ગતિશક્તિ યોજના પર ભાર આપી રહી છે. આટલું જ નહીં, સરકાર કન્સ્ટ્રક્શન સેક્ટર પર પણ બુલિશ છે.

આ પણ વાંચો : સોમવારથી રાજ્યમાં 1થી 9 ધોરણનુ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી માહિતી

આ પણ વાંચો :Stock Market: શેરબજારમાં SST શું છે ? જાણો સરકારે શા માટે વધાર્યુ તેનું લક્ષ્ય ?

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">