Agriculture Budget 2024 : આ ખેડૂતોને સહાય આપવામાં આવશે, જાણો ખેડૂતોને બજેટમાં શું મળ્યું

|

Jul 23, 2024 | 2:30 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો માટે ઘણી જાહેરાતો કરી છે. બજેટમાં પાક ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે મદદ કરવામાં આવશે બજેટમાં ખેડૂતોને શું મળ્યું.

Agriculture Budget 2024 : આ ખેડૂતોને સહાય આપવામાં આવશે, જાણો ખેડૂતોને બજેટમાં શું મળ્યું

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારના રોજ સાતમું બેજટ રજુ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં અનેક જાહેરાત કરી છે. બજેટમાં પાકનું ઉત્પાદન વધારવા માટે ધ્યાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ કહ્યું પ્રાકૃતિક ખેતીને જોર આપવામાં આવશે. આગામી 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે મદદ કરવામાં આવશે. કઠોળ અને તેલીબિયાંના પાકને આત્મનિર્ભર બનાવવા પર ફોકસ કરવામાં આવશે. સપ્લાય ચેઇનને સુધારવા માટે ક્લસ્ટરોની રચના કરવામાં આવશે.

સૌની નજર એગ્રિકલ્ચર બજેટ પર

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે એટલે કે 23મી જુલાઈએ આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ હતું. આ બજેટમાં સૌની નજર એગ્રિકલ્ચર પર ટકેલી હતી. આવી સ્થિતિમાં ખેડૂતોને પણ આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને સરકારે તેમના માટે ઘણી મહત્વની જાહેરાતો પણ કરી છે. આવો જાણીએ સરકારે બજેટમાં ખેડૂતો માટે શું જાહેરાત કરી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ખેડૂતોને પાક ઉગાડવામાં મદદ મળશે

કૃષિ રિસર્ચમાં સુધારો કરી સરકાર પાકોનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે.આનો સીધો ટાર્ગેટ છે કે, હવામાનમાં બદલાવ થવા પર પાક પર થતી અસરને રોકવી,32 પ્રકારના પાકની 109 જાતો વિકસાવવામાં આવશે. આ રીતે ખેડૂતોને એવા પાક ઉગાડવામાં મદદ મળશે કે જેના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને તેમની આવકમાં વધારો થાય.

 

 

સરકાર શાકભાજીના ઉત્પાદનને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેના ઉત્પાદનની સાથે સ્ટોરેજ અને માર્કેટિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.

  • દેશના 5 રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે
  • સરકારનું ધ્યાન સરસવ, મગફળી, સૂર્યમુખી અને સોયાબીન જેવા પાકો પર રહેશે
  • ઝીંગાનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે.
  • મત્સ્યોદ્યોગ માટે પાંચ એક્વા પાર્ક સ્થાપવાની પણ જાહેરાત કરી.

કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે

આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેથી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થઈ શકે. આ દરમિયાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. જે ગ્રામ પંચાયતો આ યોજના અમલમાં મૂકવા માંગે છે તેમને આનાથી પ્રોત્સાહન મળશે.

Next Article