નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારના રોજ સાતમું બેજટ રજુ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં અનેક જાહેરાત કરી છે. બજેટમાં પાકનું ઉત્પાદન વધારવા માટે ધ્યાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ કહ્યું પ્રાકૃતિક ખેતીને જોર આપવામાં આવશે. આગામી 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે મદદ કરવામાં આવશે. કઠોળ અને તેલીબિયાંના પાકને આત્મનિર્ભર બનાવવા પર ફોકસ કરવામાં આવશે. સપ્લાય ચેઇનને સુધારવા માટે ક્લસ્ટરોની રચના કરવામાં આવશે.
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે એટલે કે 23મી જુલાઈએ આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ હતું. આ બજેટમાં સૌની નજર એગ્રિકલ્ચર પર ટકેલી હતી. આવી સ્થિતિમાં ખેડૂતોને પણ આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને સરકારે તેમના માટે ઘણી મહત્વની જાહેરાતો પણ કરી છે. આવો જાણીએ સરકારે બજેટમાં ખેડૂતો માટે શું જાહેરાત કરી છે.
કૃષિ રિસર્ચમાં સુધારો કરી સરકાર પાકોનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે.આનો સીધો ટાર્ગેટ છે કે, હવામાનમાં બદલાવ થવા પર પાક પર થતી અસરને રોકવી,32 પ્રકારના પાકની 109 જાતો વિકસાવવામાં આવશે. આ રીતે ખેડૂતોને એવા પાક ઉગાડવામાં મદદ મળશે કે જેના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને તેમની આવકમાં વધારો થાય.
कृषि क्षेत्र में उत्पादकता और अनुकूलनीयता
कृषि एवं संबंधित क्षेत्रों के लिए 1.52 लाख करोड़ रुपये#UnionBudget2024 #Budget2024 #BudgetForViksitBharat pic.twitter.com/5xaLzavdLO
— पीआईबी हिंदी (@PIBHindi) July 23, 2024
સરકાર શાકભાજીના ઉત્પાદનને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેના ઉત્પાદનની સાથે સ્ટોરેજ અને માર્કેટિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેથી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થઈ શકે. આ દરમિયાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. જે ગ્રામ પંચાયતો આ યોજના અમલમાં મૂકવા માંગે છે તેમને આનાથી પ્રોત્સાહન મળશે.