AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવલિંગ પર જળાભિષેક કર્યા પછી ના કરતા આ ભૂલ, જાણો મંદિરેથી ખાલી લોટો ઘરે લાવવો કેમ માનવામાં આવે છે અશુભ !

શ્રાવણ મહિનો આવતાની સાથે જ શિવભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે. કારણ કે શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ આખા મહિના દરમિયાન શિવભક્તો ઉપવાસ, જાપ, રુદ્રાભિષેક, જળાભિષેક અને શિવપૂજા કરીને ભગવાન શિવજીની પૂજા કરે છે.

શિવલિંગ પર જળાભિષેક કર્યા પછી ના કરતા આ ભૂલ, જાણો મંદિરેથી ખાલી લોટો ઘરે લાવવો કેમ માનવામાં આવે છે અશુભ !
Shivling JalabhishekImage Credit source: Magnific
| Updated on: Aug 06, 2026 | 2:39 PM
Share

શ્રાવણ મહિનો આવતાની સાથે જ શિવભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે. કારણ કે શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ આખા મહિના દરમિયાન શિવભક્તો ઉપવાસ, જાપ, રુદ્રાભિષેક, જળાભિષેક અને શિવપૂજા કરીને ભગવાન શિવજીની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણમાં કરવામાં આવતી શિવભક્તિ અન્ય દિવસો કરતાં વધુ પવિત્ર માનવામાં આવે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે મંદિરમાં જળાભિષેક કર્યા પછી, ઘણા લોકો ખાલી વાસણ ઘરે લાવે છે. પરંતુ શું તે શુભ છે કે અશુભ? જાણો શું છે માન્યતા

શિવલિંગ પર જળાભિષેકનું ધાર્મિક મહત્વ

શિવલિંગ પર જળથી અભિષેક કરવો એ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને પ્રાચીન વિધિઓમાંનું એક માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ, સોમવાર, મહાશિવરાત્રી અને પ્રદોષના દિવસોમાં જળાભિષેકનું વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર ચઢાવવામાં આવતું જળ ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા ઉત્પન્ન કરે છે. ઘણીવાર આપણે જોઈએ છે કે, ઘણા લોકો જળ અર્પણ કર્યા પછી સીધા જ ખાલી જળનો ઘડો કે લોટો ઘરે લાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શું આવું કરવું યોગ્ય માનવામાં આવે છે કે નહીં? માન્યતાઓ અનુસાર, મંદિરમાંથી ખાલી ઘડો કે લોટો કેમ પાછું નહીં લાવવું જોઈએ અને તેની પાછળના નિયમો શું છે તે વિશે જાણો.

ખાલી લોટો કે ઘડો ઘરે લાવવું અશુભ

જ્યારે આપણે મંદિરમાં જઈએ છે ત્યારે આપણે પૂજાના નિયમોનું ખૂબ ધ્યાન રાખીએ છે. ઘણીવાર લોકો ઘરેથી જળથી ભરેલો લોટો કે ઘડો લઈને શિવલિંગને અર્પણ કરે છે. પરંતુ જળ અર્પણ થયા પછી તેઓ તે ખાલી લોટો કે ઘડો ઘરે લાવે છે. માન્યતા અનુસાર, પૂજા કર્યા પછી અથવા શિવલિંગને જળ અર્પણ કર્યા પછી સંપૂર્ણપણે ખાલી લોટો કે ઘડો ઘરે લાવવું અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ખાલી લોટો કે ઘડો પાછા લાવવાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી. તેથી માન્યતાઓ અનુસાર, મંદિરથી પાછા ફરતી વખતે વાસણમાં થોડું પાણી અથવા કોઈ પવિત્ર વસ્તુ રાખવાની ભલામણ કરવામાં આવે છે.

ઘરેથી જળ લઈ જવાનું મહત્વ

માન્યતા અનુસાર, જ્યારે તમે ઘરેથી મંદિરમાં જળથી ભરેલું વાસણ લઈ જાઓ છો ત્યારે તે વધુ શુભ માનવામાં આવે છે. જળાભિષેક કર્યા પછી, વાસણને સંપૂર્ણપણે ખાલી કરવાને બદલે, તેમાં થોડું પાણી છોડી દેવું અથવા શિવલિંગને જળ અર્પણ કરતી વખતે, વાસણમાંથી પડેલા પવિત્ર જળના ટીપાં તમારા વાસણમાં પાછા લઈ લેવા જોઈએ. માનવામાં આવે છે કે મંદિરમાંથી ક્યારેય ખાલી હાથે અથવા ખાલી વાસણ સાથે પાછા ફરવું નહીં જોઈએ. જો તમને જળ નહીં મળે તો પૂજા વાસણમાંથી ફૂલો અથવા પાંદડા સાથે ઘરે પાછા ફરી શકો છો.

મંદિરમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળનું શું કરવું?

માન્યતાઓ અનુસાર, જ્યારે તમે મંદિરમાંથી વાસણમાં ચરણામૃત અથવા પવિત્ર જળ સાથે ઘરે પાછા ફરો છો, ત્યારે તેનો એક ખાસ હેતુ હોય છે. આ જળ તમારા ઘરના મુખ્ય દરવાજા પર અને ઘરના બધા ખૂણાઓ, જેમ કે રસોડા, રૂમ અને સીડી પર છાંટવું જોઈએ. માન્યતા અનુસાર, આમ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. જો તમારી પાસે દુકાન કે ઓફિસ છે તો તમે ત્યાં આ જળ છાંટીને કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ બનાવી શકો છો.

નોંધ: ઉપરોક્ત માહિતી મુખ્યત્વે હિંદુ ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. વિવિધ પરંપરાઓ અને સંપ્રદાયોમાં તેની અલગ-અલગ વ્યાખ્યાઓ જોવા મળી શકે છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, શિવલિંગ અને જ્યોતિર્લિંગમાં શું તફાવત છે ? જાણો બંને વચ્ચેનો મોટો ફરક

Follow Us
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">