
Significance & Benefits of Akhand Diya in Navratri 2023 : આ વર્ષે 15મી ઓક્ટોબરથી આસો નોરતા શરૂ થઈ રહ્યા છે. દશેરા 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આસો નોરતા દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. પ્રથમ દિવસે કળશ સ્થાપના કર્યા બાદ ગરબામાં અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં રહેલો અંધકાર દૂર થાય છે અને જીવનમાં પ્રકાશ આવે છે.
આ પણ વાંચો : Ambaji: શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં યોજાશે નવરાત્રી, જાણો આરતી અને દર્શનના સમયથી લઈ સંપૂર્ણ વિગત
દીપ જીવનમાંથી અંધકાર દૂર કરતું પ્રતીક છે. જ્યારે નોરતાના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે ત્યારે તેને નવરાત્રીના પુરા 9 દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે. જો આ નવ દિવસોમાં તે ઓલવાઈ જાય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
જો આ દીવો તમારા ઘરમાં પૂરા નવ દિવસ જલતો રહે તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. જો કે અખંડ જ્યોતિ પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદા પણ છે, જે જાણવા જરૂરી છે.
નોરતા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે. આ સાથે માતાના આશીર્વાદ વરસતા રહે છે. ઘરમાંથી નેગેટીવ અનર્જી અને અવરોધો દૂર થાય છે. નાણાકીય સમૃદ્ધિ આવે. જો નોરતાના આખા નવ દિવસ વિધિ પ્રમાણે મા દુર્ગાની પૂજા કરવામાં આવે તો દેવી મા તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને સુખી અને સમૃદ્ધ જીવન માટે આશીર્વાદ આપતા રહે છે.
રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો