Surat માં પ્રત્યક્ષ શિક્ષણની તૈયારી, જાણો સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓનો અભિપ્રાય
વાલીઓ અને વિદ્યાર્થીઓની ઇચ્છા છે કે શાળાઓ શરુ થવી જોઇએ. વાલીઓ અને વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે તેમને ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડે છે માટે પ્રત્યક્ષ શિક્ષણ શરુ થવુ જોઇએ.
સુરતમાં શાળા સંચાલક મંડળ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની તૈયારીમાં છે. સુરતની 400 શાળાઓ કરી રહી છે પ્રત્યક્ષ શિક્ષણની તૈયારીઓ. કેબિનેટની બેઠકમાં ધોરણ 9 થી 12 માટે પ્રત્યક્ષ શિક્ષણની મંજૂરી આપે તેવી માગ કરી છે. જો કે, સરકાર મંજૂરી ન આપે તો પણ શાળા સંચાલક મંડળ શનિવારથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા મક્કમ છે. ત્યારે પ્રત્યક્ષ શાળા શરુ કરવાને લઇ સુરતના વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોતના પ્રતિભાવો આપ્યા છે.
મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓની ઇચ્છા છે કે શાળાઓ શરુ થવી જોઇએ. વાલીઓ અને વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે તેમને ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડે છે માટે પ્રત્યક્ષ શિક્ષણ શરુ થવુ જોઇએ.
Latest Videos
Latest News