વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરાના અનેક ગામોમાં ઘૂસ્યા પાણી, વડસર અને અકોટામાંથી 30થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

વડોદરામાં વરસાદ તો અટકી ગયો, પરંતુ નુકસાની હજુ પણ અપાર છે, અને આ દેણ અન્ય કોઈ નહીં પરંતુ વડોદરા મનપાની આપેલી છે, કેમ કે પ્રિ મોન્સુન પ્લાન કાગળના વાઘ સમાન સાબિત થયો છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2024 | 6:32 PM

અહીં વીડિયોંમાં પહેલા તો આપ દૃશ્યો જુઓ. …અંદાજ લગાવી શકાય ખરા કે આ કહેવાતા વિકાસશીલ રાજ્યના મુખ્ય શહેરોમાંનું એક શહેર છે. વરસાદ પડે અને પાણી ભરાય એ તો સામાન્ય વાત છે પરંતુ વરસાદ અટક્યા બાદના કલાકો પછી પણ પાણી ઓસરી નથી રહ્યા. વિશ્વામિત્રીનું પાણી પણ ભયજનક સપાટીએ છે અને તેના પાણી પણ અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. એટલે આખી સમસ્યા વધુ વિકરાળ લાગી રહી છે. બીજી તરફ ડભોઇના 6 ગામોમાં ઘુસ્યા ઢાઢર નદીના પાણી.

દેવડેમમાંથી પાણી છોડાતા ડભોઇના ગામોને અસર પહોંચી છે. ડભોઇથી વાઘોડિયાનો રસ્તો બંધ કરતા વાહન ચાલકો અટવાયા હતા તો દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળતા અન્ય 14 ગામોને અસર થઈ છે. દંગીવાડા, બંબોજ, પ્રયાગપુરામાં રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું. આ તરફ પાલિકાનો કરોડોનો પ્લાન પાણીમાં જાણે કે ધોવાઈ ગયો. વડોદરાવાસીઓને સવાલ થાય કે પ્લાન બને છે તો પછી કેમ ડુબે છે શહેર?

આ સવાલ દરેક વડોદરાવાસી પુછી રહ્યાં છે કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ કેમ?? એવું નથી કે તંત્રને પાણી ભરાતા હોવાની જાણ ન હોય. છતાં એકની એક સમસ્યા લોકો વર્ષોથી ભોગવી રહ્યાં છે. તેમાં પણ વિશ્વામીત્રીમાં તો મગરનું જોખમ હોય છે ત્યારે જો કોઈના જીવને જોખમ સર્જાયું તો પછી જવાબદાર કોણ? આ સવાલ પણ થવો ખુબ જ સ્વભાવિક છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

લોકોનું કહેવું છે કે વિશ્વામિત્રીનું જોખમ એન્ક્રોચમેન્ટના લીધે વધી રહ્યું છે. પ્રશાસન કંઈ કરી નથી રહ્યું. જોકે તંત્ર જાણે છે કે જોખમ છે અને તે સતત વધી રહ્યું છે. એટલે હવે પ્રશાસન રહી રહીને કામગીરી કરીને પોતે સજ્જ છે તેવું દાખવવાનો પ્રયત્ન કરતું હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">