AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, હનુમાન મંદિરમાં દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, હનુમાન મંદિરમાં દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે

Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 19, 2024 | 6:44 PM
Share

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે. મંદિરે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક કરશે. આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહેશે. બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. આવતીકાલે એટલે કે શુક્રવારથી ગાંધીનગર લોકસભા બેઠક માટે ગુરુકુળ રોડથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે. મંદિરે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક કરશે.

આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહેશે. બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે. વિવિધ હોદ્દેદારોને બુથ વાઇસ સોંપવામાં આવેલી અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ અપાશે. ધારાસભ્યો, હોદ્દેદારો ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી અને પ્રભારી તથા સંયોજક પણ બેઠકમાં હાજરી આપશે.

Published on: Mar 14, 2024 10:42 PM
g clip-path="url(#clip0_868_265)">