Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા, હર્ષ સંઘવીએ આપી હતી ચેતવણી, જુઓ Video

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે એકપણ આરોપીને છોડવામાં નહીં આવે. ગણેશ મંડપમાં આરતી કરીને તેમણે લોકોને સુરક્ષાની ખાતરી પણ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે ગમે તેટલા મજબુત તાળા ઘર પર લગાવશે, તો પણ પથ્થરમારો કરનારાઓને તે તાળા તોડીને બહાર કાઢીને જેલ ભેગા કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2024 | 12:34 PM

રવિવારે રાત્રે સુરતના સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ મંડપમાં પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ વણસી હતી. આક્ષેપ હતો કે રીક્ષામાં આવેલા કેટલાંક વિધર્મી બાળકોએ કાંકરીચાળો કર્યો હતો. તો બીજી તરફ સ્થાનિકોએ રોષે ભરાઈ પોલીસ મથકને ઘેર્યું હતુ. જે પછી પોલીસે આરોપીઓને તેમના ઘરમા તાળા તોડીને બહાર કાઢ્યા છે. તો સાથે જ ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સતત સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે

સમગ્ર મામલે સ્થિતિ થાળે પાડવા સુરત પોલીસ આખી રાત એક્શનમાં રહી. પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. ઘરોમાં જઈ તપાસ આદરી અને ઘરને તાળા મારીને ઘરની અંદર છૂપાયેલા આરોપીઓને ઝડપવા “તાળા તોડ” કાર્યવાહી કરી. આ બબાલ દરમિયાન અનેક પોલીસ કર્મી પણ ઘાયલ થયા હતા. પણ તે તેમની ફરજ ન ચુક્યા.

અત્યાર સુધીમાં 27 જેટલાં અસામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે અને અટકાયત બાદ પોલીસે આ તમામનો કેવો “ક્લાસ” લીધો છે. તો ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે એકપણ આરોપીને છોડવામાં નહીં આવે. ગણેશ મંડપમાં આરતી કરીને તેમણે લોકોને સુરક્ષાની ખાતરી પણ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે ગમે તેટલા મજબુત તાળા ઘર પર લગાવશે, તો પણ પથ્થરમારો કરનારાઓને તે તાળા તોડીને બહાર કાઢીને જેલ ભેગા કરવામાં આવશે. મહત્વનું છે કે ઘટનાસ્થળે હાલ શાંતિપૂર્ણ માહોલ છે.

Follow Us:
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
g clip-path="url(#clip0_868_265)">