AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સરથાણામાં રેસિડેન્સીયલ વિસ્તારમાં પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી સામે લોકોનો વિરોધ

સુરતના (surat) સરથાણા વિસ્તારના લોકો પોતાના જ વિસ્તારમાં બની રહેલા પોલીસ મથકની સામે નારાજ છે. હકીકત એવી છે કે સુરતના સરથાણા વિસ્તારમાં લગભગ 30 સોસાયટીઓ આવેલી છે.

Surat : સરથાણામાં રેસિડેન્સીયલ વિસ્તારમાં પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી સામે લોકોનો વિરોધ
Surat: People protest against the construction of a police station in a residential area in Sarthana
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 24, 2022 | 10:14 PM
Share

Surat :  એક તરફ ગુનાખોરીને કાબુમાં કરવા સુરત પોલીસ રાત દિવસ પરસેવો પાડી રહી છે. શહેરના વધતા વિસ્તાર પ્રમાણે અને જુના પોલીસ સ્ટેશનોની (Police Station) ઇમારતો જર્જરિત બનતા નવા પોલીસ ભવન પણ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ સુરતના સરથાણા વિસ્તારના લોકો પોતાના જ વિસ્તારમાં બની રહેલા પોલીસ મથકની સામે નારાજ છે. હકીકત એવી છે કે સુરતના સરથાણા વિસ્તારમાં લગભગ 30 સોસાયટીઓ આવેલી છે. અહીં સરેરાશ એક લાખ કરતા પણ વધારે લોકોની વસ્તી છે.

આ વિસ્તારમાં ટીપી 22 માં પ્લોટ નંબર 74માં પોલીસ સ્ટેશન બનાવવાનું કામ મંજુર થયું છે. અહીં લોકોએ શાંતિકુંજ બનાવવા માંગણી કરી હતી. છતાંય અહીં આ જગ્યા પર પોલીસ સ્ટેશન મંજુર કરવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે રેસિડેન્સીયલ સોસાયટીમાં પોલીસ સ્ટેશન યોગ્ય નથી. આ મેઇન રોડથી લગભગ 200-250 ફૂટ અંદર છે અને ચાર સોસાયટીની વચ્ચોવચ્ચ આ જગ્યા આવેલી છે. છતાં અહીં પોલીસ સ્ટેશન મંજુર કરવામાં આવ્યું છે.

આ બાબતે છ મહિનાથી રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાંય તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. જેથી હવે આ વિસ્તારના લોકોએ ધરણા નો માર્ગ અપનાવ્યો છે. અને અહીં પોલીસ સ્ટેશન બનવાની કામગીરી સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આવનાર દિવસોમાં જો જરૂર લાગે તો ઉચ્ચ કક્ષાએ પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવશે તેવું સ્થાનિકોએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો :અમદાવાદ : શાહીબાગ BAPS મંદિરમાં શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આ પણ વાંચો :દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા વડાપ્રધાન મોદીએ બુધવારે બોલાવી મહત્વની બેઠક, તમામ રાજ્યોના મુખ્યમંત્રી રહી શકે છે હાજર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">